Sunday, October 30, 2011

જો પ્રત કદી ખૂટી પડે પ્રેમની .......

બેસી નિરાંતે બે ઘડી પૃથક્કરણ કરતા રહો;
જે પણ મળે સારું સતત એને ગ્રહણ કરતા રહો.

એ ભ્રમ કદી ના પાળવો , આકાશ અહીંથી અહીં સુધી,
ક્ષિતિજ કંઈ સીમા નથી જો વિસ્તરણ કરતા રહો.

આ પ્રેમ નામે ગ્રંથોનો ફેલાવો વધવો જોઈએ,
જો પ્રત કદી ખૂટી પડે તો સંસ્કરણ કરતા રહો.

એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો. .......

- હિતેન આનંદપરા

Friday, October 28, 2011

નવાવર્ષમાં નવા જીવનને પત્ર ... "પ્રિય જિંદગી .."

જો આત્મામા પ્રકાશ હોય તો માનવીમાં સૌંદર્ય હશે.
જો માનવી સુંદર હોય તો ઘરમાં સંવાદિતા હશે.
જો ઘરમાં સંવાદિતા હોય તો રા્ષ્ટ્ર્માં વ્યવસ્થા અને સુમેળ હશે.
જો રાષ્ટ્ર્માં સુમેળ હોય તો વિશ્વમાં શાંતિ હશે. ....

આ સુંદર ચિનિ કહેવત સાથે સરવાણીના સહુ વાચક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ..... આવનાર તમામ વર્ષોમાં સરવાણીના વાચક મિત્રો, એમના મિત્રો , અને એ મિત્રોના મિત્રો .... ઈન શોર્ટ ... "હુ માનવી બનુ વિશ્વમાનવી ... " એ ન્યાયે ......  સમગ્ર મનુષ્યોના આત્મા પ્રકાશમય રહે ... એવી સરવાણી તરફ્થી હ્ર્દયપૂર્વકની શુભે્ચ્છા ... અને એ સાથે નવાવર્ષની ભેટ સ્વરુપે લેખક શ્રી સૌરભ શાહ નો "પ્રિય જિદંગી .... " ના નામે લખાયેલ આ અનોખો પત્ર ....... આ પત્ર મે ક્યારનો વાચેલો પણ ખાસ નવા વર્ષમા   પ્રિય  વાચક મિત્રોને ભેટ કરવા માટે જ હજી સુધી પોસ્ટ નહોતો કરેલો ..... ખરેખર દરેક નવાવર્ષની શરુઆત પહેલા .... પાછલા વર્ષોની જિંદગી પર નજર નાખી ને આવનારી જિંદગીને એક પત્ર તો લખવો  જોઈએ .... ભલે લાઈફમાં ક્યારેક હદબાર હતાશ થઈ જવાય તો પણ જીવન સાવ કાઢી નાખવા જેવુ નથી હોતુ ... કેમકે ... લો હવે આ પત્ર જ વાંચી લો .......

પ્રિય જિંદગી,

તને શોધવાની ખૂબ કોશિશ કરી. તું કોણ છે, ક્યાથી આવે છે, ક્યાં જાય છે,  તારુ સ્વરૂપ કેવુ છે, તુ જે છે  એ શા માટે છે . પ્રશ્નો સતાવતા રહ્યા છે. આજે ખબર પડે છે કે તું  મારામાં જ છે, હું જે છુ તે જ તું છે.

કોઈ કહે છે કે તારુ બીજુ નામ સંઘર્ષ છે. કોઈ કહે છે કે તારુ તખલ્લુસ પ્રેમ છે તો કોઈ તને સમર્પણનો પર્યાય ગણે છે. મારા માટે તુ તમામ વ્યાખ્યાઓ થી પર છે. તને ચોક્ક્સ ચોકઠામા બાધી રાખવાનુ મને ગમતુ નથી. તને બાંધી દેવાથી હુ પોતે બંધિયાર થઈ જઉ છુ.

મને નવાઈ લાગે ્છે કે લોકો તારાથી શા માટે કંટાળી જાય છે ? કંટાળવુ તો તારે જોઈએ, આ લોકોથી. તારો કેવો ઉપયોગ કરતા રહે છે તેઓ.. રોજ સવારે ઉંઘમાંથી ઉઠવાથી શરુ કરીને રાત્રે પથારીએમાં સૂતા સુધી  તેઓ ખાવાપીવા ને કમાવા સિવાય બીજું શું કરે છે ? છત્રપતિ શિવાજીની મહામૂલી તલવાર્નો ઉપયોગ ટીંડોરાનુ શાક સમારવા કરતા હોય તે રીતે ખર્ચી નાખે છે.

તારા માટે હું મારાથી શક્ય હોય એટલું બધુ કરીશ, શક્ય જ શુ કામ, મારાથી અશક્ય હોય તે કરવાનો પણ પ્રયત્ન કરીશ. એમાં એમાં સફળતા મળે કે નિષ્ફળતા. મારાથી જે અશક્ય હોય તે કરવાના પ્રયત્નો વડે જ હું શક્યતાની સીમાને ઓળંગીને મારો વ્યાપ વધારી શકીશ.

મારે તારાથી ભાગવુ નથી. તારાથી પલાયન થઈને હું ક્યાં જાઊં. મારે તારો સામનો પણ નથી કરવો. જેને ચાહતા હોઈએ એનો સામનો કરવાનો કે પછી તેની સાથે હળીમળીને ફહેવાનું હોય. મારે તારી ખૂબ નજીક રહેવુ છે. મારી બધી જ ખામીઓ, બધી જ નબળાઈઓ, બધી જ મજબૂરીઓ તું સ્પષ્ટ રીતે જોઈ શકે એટલી નજીક.

મને ખબર છે કે સ્વંય ભગાવાન શ્રી કૃષ્ણ સાથે હોય તોય યુધ્ધ લડવુ પડતુ હોય ્છે. મારે પ્ણ લડવુ પડશે. ટાળવુ નથી એને.  એટલી જ પ્રાર્થના કરવી છે કે એવા સમયે નાહિંમત થઈને , કાયર થઈને બેસ્સે ન પડુ. અર્જુનને સમજાવવા ભગવાન પાસે સમય જ સમય હતો., પૂરા અઢાર અધ્યાય જેટ્લો. મને સમજાવવા એ ક્યાથી આવે. મારા જેવા કરોડોને એણે સમજાવવાના છે. વળી, એ આવે તો અર્જુન માટે આવે. હું એવી પાત્રતા ક્યાથી લાવુ. મારે પોતે જ મને ગીતા સંભળાવવી પડશે.

અત્યાર સુધી ખૂબ માગતો રહ્યો છુ તારી પાસે. અને દર વખતે માગતા કરતાં અનેક્ગણુ મળતુ રહ્યુ છે. હવે કશુ જ માગવુ નથી, માત્ર આભાર માનવો છે. તુ જે આપ્યા કરે છે તે બદલ.

આ માણસ જાતનુ શુ થવા બેઠુ  છે એવુ બોલવાની ફેશન ચાલે છે. ભવિશ્ય સુવર્ણમય છે એવી આશા રાખવી બાલિશતાની નિશાની ગણાઈ જય એવો ડર છે.નિરાશાવાદીઓ જો મેચ્યર ગણાતા હોય તો મારે એવા પુખ્ત નથી બનવુ. મારે મારી મુગ્ધતા સા્ચવી રાખવી છે. તારા ભૂતકાળની ને વર્ત્માનની સમૃધ્ધિ જોઈને હું કેવી રીતે કહુ કે તારુ ભવિષ્ય કાળુ ડિબાંગ છે. લોકો કંઈપણ કહે, મને તારુ ભાવિ ઉજ્જ્વળ લાગે છે અને તારી સાથે જોડાયેલો છુ એટલે મારુ પણ.

તને કદાચ હશે, પણ મને તારા માટે કોઈ ફરિયાદ નથી. વીતેલા વર્ષોમા મે તને ખૂબ વેડફાઈ જવા દીધી એટલે તુ ફરિયાદ કરે એ સ્વાભિક છે. તને હક છે મને ઠપકો આપવાનો. પણ મારી કોઈ ફરિયાદ નથી. ફરિયાદ સિવાયનુ બીજુ ઘણુ કહેવાનુ છે મારે. એ કહેવા માટેનો જ સમય ઓછો પડ્શે તો ફરિયાદો કરવામાં શા માટે મારો સમય વાપરી નાખુ ?

શુ કહેવુ છે મારે ? ખાસ તો એ કહેવુ છે કે અમે તને આટલી વેડફી નાખી છતા તુ સૌનુ ભલુ જ કર્યા કરે એવી ઉદારતા તારામાં ક્યાથી આવી. તારામાં એવુ શુ છે કે ક્યારેક અમે પોતે અમારી જાતને અગ્નિકુંડમાં મુકાયેલા અનુભવીએ છીએ છતા તુ જીવવા જેવી લાગે છે. એવુ કયુ આકર્ષણ, એવુ કયુ ખેચાણ તારામાં છે જે અમને તારાથી દૂર જવા દેતુ નથી અને બીજુ કંઈ નહી પણ ખાસ મારે તને એ કહેવુ છે કે તુ તો મને જીવવા લાગે છે પણ તને હું શા માટે જિવાડવા જેવો લાગુ છુ.


બસ, આજે આટલુ જ. શેષ રુબરુ મળીએ ત્યારે. એ વખતે મારી આંખો મીંચાયેલી હ્શે એટલે મને ઓળખી કાઢ્વાની જવાબદારી તારી અને મારી ઓળખ એટલી કે એ ક્ષણે તે મને ઓઢેલી હશે .


એ જ લિખિતંગ,
તારા સાન્નિધ્યને ખૂબ નિક્ટતાથી,
પ્રસન્નતાથી માણી રહેલ હુ.

 
- સૌરભ શાહ ના પુસ્તક  "પ્રિય જિંદગી" માથી ...

Again......  Happy New Year .......... Have a beautiful Life  ...

Sunday, October 23, 2011

ये जाने कैसा राज है ...

एक बात होटों तक है जो आई नहीं
बस आँखों से है झांकती
तुमसे कभी मुझसे कभी
कुछ लब्ज है वो मांगती
जिनको पहन के होटों तक आ जाए वो
आवाज़ की बाहों में बाहें डाल के इठलाये वो
लेकिन जो ये एक बात है एहसास ही एहसास है
खुशबु सी जैसे हवा में है तैरती
खुशबु जो बेआवाज़ है
जिसका पता तुमको भी है, जिसकी खबर मुझको भी है 
दुनिया से भी छुपता नहीं, ये जाने कैसा राज है ...





------------------------------------------------------------------

जब जब दर्द का बादल छाया, जब गम का साया लहराया
जब आँसू पलकों तक आया, जब ये तनहा दिल घबराया 
हमने दिल को ये समझाया, दिल आखिर तू क्यों रोता है..
दुनिया में युही होता है..
ये जो गहरे सन्नाटे हैं..वक्त ने सब को ही बांटे हैं 
थोडा गम है सबका किस्सा..थोड़ी धुप है सब का हिस्सा 
आँख तेरी बेकार ही नम है, हर पल एक नया मौसम है 
क्यूँ तू ऐसे पल खोता है..दिल आखिर तू क्यूँ रोता है..
 
- जावेद अख्तर  (From the movie Zindagi na Milegi Dubara)

Wednesday, October 19, 2011

પ્રેમ + વ્હાલમની વાતો ...

"બે મળેલા જીવ વચ્ચે લય ન પ્રગટે તો માનવુ કે બે વચ્ચે જે ઝંકૃતિ પ્રગટી તે પ્રેમ નહી, પણ પ્રેમ નો ભ્રમ હતો..
પ્રેમનો ભ્રમ પણ ખાસ્સો સુખદાયી જણાય છે. જો પ્રેમ નો ભ્રમ આટલો સુખદાયી હોઈ શકે તો, સાચુકલો પ્રેમ કેટ્લો આનંદપ્રદ હશે!

પાલવ અડક્યાનો વ્હેમ પણ હ્ર્દયંગમ હોય છે કારણ કે, કશુક અલૌકિક પામવાની શક્યતાનો કોમળ ઈશારો એમા રહેલો હોય છે.
પ્રત્યેક માણસને જીવન મા આવી રોમાચક પળ પ્રાપ્ત થવી જ જોઈએ.
આવો કોમળ ઈશારો જ્યાં તાણી જાય ત્યાં વહી જવુ એ જો ગુનો હોય તો તે સૌએ કરવા યોગ્ય એવો કાવ્યમય, મધુમય અને પ્રભુમય ગુનો છે..."

- ગુણવંત શાહ

આવો કાવ્યમય, મધુમય અને પ્રભુમય ગુનો થઈ જાય અર્થાત અચાનક જો કોઈ ગમવા લાગે તો હાલત કદાચ નીચેના કાવ્યમાં જણાવી છે એવી જ થતી હશે ..... ન કહેવાય ન સહેવાય .... વ્હાલમ સાથે થયેલી વાતો કોઈને કહી ના શકાય ને એને કોઈને કહ્યા વગર રહી ના શકાય ... એ જ તો હોય છે પ્રેમ નો જાદુ ....

વ્હાલમની વાતો કાંઇ વ્હેતી કરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા,

ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી,

પાગલની પ્રીત કંઇ અમથી હરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું ?

ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

- ભાસ્કર વોરા

Sunday, October 16, 2011

We are prisoners ...

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?
...

We are prisoners of our own suffering and  we Love that prisons ...   આપણે આપણી પીડાઓના બંદી છીએ અને એ બંદીખાના માટે આપણને અનુરાગ હોય છે ...

" એક્વાર  કેટ્લીક ગુંચોમા ફસાયેલા એક માણસ ને મે થોડો સમય કોઈ આશ્રમમા રહેવા જવાનુ કહ્યુ .. તો તેણે કહ્યુ - ત્યા જઈને મને સિગારેટ પીવાની સ્વતંત્રતા મળે તો રહેવા જઉ !

...... તેની આ સ્વતંત્રતા તો તેની, ગુલામ બનાવનાર ઈચ્છાની આધીનતા હતી. આપણે સુખને શોધવા જતા એ શોધની ઈચ્છાના ગુલામ બની જઈએ છીએ. આપણી આસપાસ શોકના તાણા વણ્યા હોય છે એ આપણી આસક્તિ બને છે. એને આપણે નિષ્ઠાનુ નામ આપીએ છીએ. કોઈ વિધવાને કહો કે તારા મૃત પતિ માટે તુ તારા સુખ-્સમૃધ્ધિનો ત્યાગ કરી દે તો એ કરવા તે તત્પર થશે, પણ તેને કહો કે - તુ તારા શોક અને દુખનો ત્યાગ કરી દે તો એ માટે એ તૈયાર નહી થાય ...  "  .....  કારણ કે -  We are prisoners of our own suffering and  we Love that prisons ...

- From the book -  "પરોઢ થતા પહેલા .. " - by કુન્દનિકા કાપડીયા ..

અને છેલ્લે ... આવા જ સંદર્ભમાં સૈફ પાલનપૂરીની એક ગઝલ ...


નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

Friday, October 14, 2011

जीवन क्या है ...

जीवन क्या है चलता फिरता एक खिलोना है,
दो आंखों में एक से हँसाना एक से रोना है..

जो जी चाहे वो मिल जाये कब ऐसा होता है,
हर जीवन जीवन जीने का समझौता है,
अब तक जो होता आया है वो ही होना है..

रात अँधेरी भोर सुहानी यही ज़माना है,
हर चादर में दुःख का ताना सुख का बाना है,
आती सांस को पाना जाती सांस को खोना है.....

- writer - dont know

Tuesday, October 11, 2011

ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !

તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !

એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?

-અદી મિરઝાં

Monday, October 10, 2011

સૂર્યાસ્ત ...


 એવુ કહેવાય છે કે - જીવનમાં મોટેભાગે આપણે આપણી ખુદને માટે એક સારા વકીલ હોઈએ છીએ અને બીજાને માટે એક્દમ સચોટ જ્જ .....  માણસજાત બહુ ચાલાક છે .... અથવા કહો કે પોતાને ચાલાક માનતી હોય છે ... લોકોને ખબર પણ ના પડે એવી રીતે વય્ક્તિના  વખાણ કરીને એની બુરાઈ કરવામા આવે છે .. લોકોને શુ જે માણસ વખાણ કરતો હોય છે એની પણ હકીકત મા એ ખબર નથી હોતી કે વખાણ ના પડદા પાછળ હકીકત મા તો એના મુખ માથી બુરાઈ જ નિકળી રહી ્છે ... પણ આપણે બીજાને જજ કરવાની ... બીજા વિશે અભિપ્રાય આપવાની કે બાંધી દેવાની જરુર જ શુ છે  ? એક માણસ તરીકે આપણે ખુદ પણ ક્યા એટલા પરફેક્ટ હોઈએ છીએ તે બીજા પાસેથી આપણે પરફેક્શનની અપેક્ષા રાખવી જોઈએ !!! જો આપણી આસપાસ ના લોકો આપણ ને આપણી નબળાઈઓ સાથે સ્વીકરતા હોય તો આપણે શા માટે આપણી આસપાસના લોકોને એમની નબળાઈઓ સાથે સ્વીકારી શકીએ નહી ! .....  આવી જ વાત પર ફાધર વાલેસનો એક સરસ આર્ટીકલ વાચવામા આવ્યો તો એ તો મારે અહી વાચક મિત્રો માટે મૂકવો જ રહ્યો .... 

= = = = = = = = = = = = = = = = = = = = = = =

"માણસ એમ તો સારો છે, પણ સ્વભાવ સહેજ વિચિત્ર છે એટલે એની સાથે મજા નહિ આવે." ...  " એ તો પ્રામાણિક જીવ છે, પણ એવી રીતે બોલવાની આદત છે કે લાંબો વખત બેસી ના શકાય." .....  " એ આદર્શ વ્યક્તિ કહેવાય - પણ એનાથી દૂર રહો તો જ! બાકી એની પાસે રહેવુ અઘરુ બની જાય ."

"માણસ સારો પણ ... " માણસ સારો છે એ પ્રમાણપત્ર હતુ. પરંતુ  એમાં એ ' પણ ' આવ્યો એટલે પ્રમાણપત્ર નુ પુણ્ય ગયુ. એટ્લે કે સારો કહીને ખરાબ બનાવી દીધો, ભલામણ કરીને ફરિયાદ નોંધાવી દીધી.

આપણને જેનો પરિચય હોય એના વિષે આપણો અભિપ્રાય પણ હોય, અને અભિપ્રાયની સાથે એવો ન્યાય પણ હોય કે એના ઘડતરમાં કંઈક બાકી છે, અને એનુ ઘડતર જો આપણા હાથમાં હોત તો કંઈક વધારે સારો દેખાવ કરી બતાવત એવો ખ્યાલ પણ ખરો. 'માણસ સારો પણ .... " - અને એ ' પણ' માં અભિપ્રાય છે, ફરિયાદ છે, માણસને સુધારવાનો ઢોંગ છે, લોકોનો ન્યાય મેળવાની ચેષ્ટા છે.

સૂર્યાસ્ત મા સારુ છે કે એના ઉપ્ર અને એના વિશે આપણું કશુ ચાલતુ નથી. આપણે કહીએ તોય એમાં કોઈ ફેર પડવાનો નથી. સૂર્યાસ્ત આપ્ણા હાથમાં નથી એટલે જ સૂર્યાસ્તનું સૌંદર્ય આપણા જીવનમાં છે.

દરેક વ્યક્તિ  સૂર્યાસ્ત જેવી છે. કુદરત નુ સર્જન, કલાનો નમૂનો. દરેક વ્યક્તિ જુદી અને અલગ અને આગવી. દરેક વિશિષ્ટ અને દરેક સુંદર. અને એકેય આપણા હાથમાં નથી ! દરેક ના રંગ ને વાદળ ને ગુણ ને લક્ષણ જુદા છે. દરેકનુ વ્યક્તિત્વ પૂરું ને દરેકનું સૌંદર્ય સાચુ. સ્વીકારવાનુ છે. માણવાનુ છે.

ને એમા આપણી ભૂલ હવે આવે છે. આપણને લાગે છે કે એ વ્યક્તિ તો સારી છે ... પણ વધારે સારી હોત તો સારુ થાત અને 'વધારે સારો થાત ' એમાં એનું સૌંદર્ય ચૂકી ગયા. એને આપણા કાબૂ મા લેવા ગયા એમાં એનું વ્યક્તિત્વ ખોઈ બેઠા.

વ્યક્તિઓ આપણા હાથમાં નથી. સૂર્યાસ્ત આપણા હાથમાં નથી. સૂર્યાસ્ત થવા દો. વ્યક્તિને થવા દો. જેવી છે તેવી થવા દો..ખીલવા દો. જીવવા દો. દરેક વ્યક્તિને માન આપો, દરેકનુ સ્વાતંત્ર્ય સાચવો, દરેક ની અસ્મિતા સ્વીકારો. એમાં એનો લાભ છે - અને તમારો પોતાનો લાભ છે.

કુદરત રોજ એક સૂર્યાસ્ત આપે છે. જીવનમાં રોજ જુદી જુદી વ્યક્તિઓ મળે છે. દરેકનુ દાન લઈએ. દરેક નો સંદેશો ઝીલીએ, દરેકનો પ્રેમ વધાવીએ અને આખુ જીવન પ્રેમમય, આનંદમય, સૌંદર્યમય બની જશે.

- ફાધર વાલેસ  article from the book   " e-legance " ...

Wednesday, October 5, 2011

શાંત મનની ખીણમાં ...

જ્યારે હું તારા વિચારોમાં અછડાતો હોઉં છું,
દૂરના જંગલપ્રદેશમાં રખડતો હોઉં છું.

શાંત મનની ખીણમાં પડઘાય તારું નામ જ્યાં,
હું જ અસ્થિર ભેખડો માફક ગબડતો હોઉં છું,

રાતની ઊઘડી ગયેલી બારીની તું બહાર જો,
ક્યાંય જાગ્રત પાંદડાઓમાં ખખડતો હોઉં છું.

હું ઉલ્લંઘી કાળ ને સ્થળ, સ્વપ્ન તારું જોઉં છું,
પ્રાત:કાળે સૂર્યની સાથે ઝગડતો હોઉં છું.

જાય છે ઓફિસ તરફ જે, એ જ રસ્તામાં કશે,
હું ખરેલી સૌ વસંતોને કચડતો હોઉં છું..............

- હેમેન શાહ

Sunday, October 2, 2011

ખરતો તારો ...

ગામના ઘરની અગાશીમાં સૂતાં સૂતાં
ક્યારેક, નસીબદાર હો તો,
ક્ષિતિજ પર ખરતો તારો દેખાય
નાનપણમાં ખબર નહોતી
કે ખરતો તારો જોતી વખતે
મનમાં વ્યક્ત કરેલી ઈચ્છા
ભગવાન પૂરી કરી દેતા હોય છે.
માત્ર તારાના ખરવાનો  રોમાંચ થતો.
મોટા થયા પછી ખબર પડી
કે ખરતો તારો જોઈને
ભગવાન પાસેથી કશુંક માગી લેવાનુ હોય
પણ આ ઉંમરે ઈચ્છાઓની યાદી
એટલી લાંબી થઈ ગઈ હોય
કે એટલી વારમાં કશું માંગી ન શકીએ.
રાતના એકલવાયા અંધારામાં
તારાઓ હજુય ખર્યા કરે છે ...

( સૌરભ શાહ ના પુસ્તક - "પ્રિય જિંદગી" માંથી ... )