Monday, September 5, 2011

" કૃષ્ણાયન " ... થોડાક અંશ

મથુરાની આંખોને લ્હેવા જતાંય કદી
મનમાં શું એમ જરા આવ્યું ?
કે ગોકુળ મોંફાટ હશે રોયું !
શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું .......


હમણા જ શ્રી કાજલ ઓઝા વૈધની " કૃષ્ણાયન " વાંચી એમાંથી  થોડાક અંશ  આજે અહી વહે્ચવાની ઈચ્છા થાય છે થોડાક ફરી ક્યારેક  ... 

દ્રશ્ય કંઈક આવુ છે .... યાદવાસ્થળી પછી દુખી થઈને ઝાડ નીચે બેઠેલા કૃષ્ણના પગમાં જરા નામના શિકારીથી ભુલથી બાણ વાગી જાય છે. હવે કૃષ્ણનુ મૃત્યુ નજીક છે.... અને અંતિમ સમયે એમને એમનુ આખુ જીવન યાદ આવી રહ્યુ છે ... ખાસ કરીને એમના જીવનની ત્રણ મહત્વની સ્ત્રીઓ રાધા - રુકીમણી અને દ્રૌપદી .... પ્રેમિકા - પત્નિ અને સખી ....  યાદમા ખોવાયેલા કૃષ્ણ પાસે લેખિકા ધ્વારા બોલાવડાવેલ  કેટલાક સંવાદ ....
--------------------------------------------------------------------

- "સ્ત્રીઓ શા માટે એક્બીજાથી જુદી નથી હોતી ? 
 
કોઈપણ યુગની, કોઈ પણ વયની સ્ત્રી શા માટે એક્સરખુ વિચારે છે ? શા માટે એકસરખી બાબતે પીડા અનુભવે છે ? શા માટે એક સરખી બાબતે પીડા અનુભવે છે ? શા માટે એકસરખી વાત પર ક્રોધિત થાય છે ? અને ક્રોધ વ્યક્ત કરવાની રીત પણ શા માટે એકસરખી હોય છે ? " કૃષ્ણના મનમાં પ્રશ્નો ઉદભવતા હતા ....


- " સાથે સાથે જીવનારા બે જણાને વિયોગની ભયાવહતા ત્યારે જ સમજાતી હશે, જ્યારે વિદાયની પળ સાવ સામે આવીને ઊભી રહે. એ પળ ક્યારેય આવશે જ નહી , એવા સુખદ ભ્રમમાં જીવતા સર્વે જીવો કાં તો એ પળનું સત્ય જાણતા નથી અને જો જાણતા પણ હોય તો એને સ્વીકાર કરવાની માનસિકતા એમની નથી હોતી.
ભવિષ્યમાં વિયોગ થશે એમ માનીને આજ ની સુખદ પળને નકારવાની કે તિરસ્કારવાની આવશ્યકતા નથી. પરંતુ, આવનારી પળ પ્રત્યે આંખો મીંચવાથી એ નહી આવે, અથવા નિશ્ચિત સમય કરતા મોડી આવશે એવુ પણ નથી જ !
વિદાય આવશે જ. જેનો આરંભ થયો છે એનો ક્યાંક પહોંચીને અંત પણ થશે જ. એ જાણનારા, જાણીને સ્વીકારનારા કદાચ વર્તમાનને વધુ આનંદ થી, વધુ સંતોષથી માણી શકે છે...... "


- " પાર્થ, સ્ત્રી અને પુરુષમાં ફેર છે. એમની નીતિ, એમના ધર્મો, એમની વિચારવાની પધ્ધતિ પણ જુદી જુદી છે... એક ઋદયથી વિચારે છે અને બીજો મસ્તિષ્ક્થી ... સ્ત્રી પ્રેમ કરવામાં પુરુષ કરતા વિષેશ શક્તિમાન છે. સ્ત્રીને માટે પ્રેમ સમર્પણ છે. પ્રેમ સેવા છે, પ્રેમ સહચાર્ય છે. જ્યારે પુરુષ માટે પ્રેમ વધુ કે ઓછા અંશે આત્મિક્મ આધ્યાત્મિક અન્ય્ભવ છે. જ્યારે પુરુષ માટે એ ક્ષણિક આવેગનુ નામ છે.... સ્ત્રીની નીતિ એક જ પુરુષને જીવનભર સમર્પિત રહેવાની છે, જ્યારે પુરુષ બહુ વિવાહી રહીને સર્વેને ચાહી શકે છે.સ્ત્રી ક્ષમા કરી શકે છે પુરુષના ભયાનક અપરાધને પણ - જ્યારે પુરુષ ધર્મ અને વેરની ભાષા જાણે છે."


- " પુરુષ સ્ત્રીમા ઘણુબધુ ઝંખે છે. એક મા, એક પ્રિયતમા, એક પત્નિ, એક મિત્ર, એક મંત્રી અને ક્યારેક એક વિચક્ષણ શત્રુ પણ ..... " 
  
-------------------------------------------------------------------- 

અને છેલ્લે ...

માધવે રાધા જ્યાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી
સાત સાત સૂરના મેઘના ધનુષ જેમ
રોમ રોમ રાગીણી જાગી ….

ફૂંકે તે સૂર સૂર, ઝીલે તે સૂર સૂર
સૂર સૂર શ્યામ અને રાધા
ખીલ્યું છે સૂરધનું આંખનાં અગાધ એમાં
ઓગળે છે દ્વેત આધા આધા
સૂરનો ત્રિભંગ સોહે મોહે વરમાંડ, આજ
અદકું કંઇ વિશ્વ વરણાગી….

માધવે રાધા જ્યાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી .....

- ઉશનસ

No comments:

Post a Comment