Friday, September 28, 2012

આટલું બધું વ્હાલ ...

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.

પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?     
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?

નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?      
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

- સુરેશ દલાલ
( આભાર - tahuko.com/ )

દુખ...

કહેવાય છે - "દુખ જીવનમાં અનિવાર્ય છે " -  આ આપણે બધા જાણીએ છીએ. 
પરંતુ - "દુખી થવુ અનિવાર્ય નથી ... "  - આ પણ જાણીએ છીએ. છતાં જ્યારે દુખ આવી પડે ત્યારે બધી જાણકારી વરસાદમાં કાચો રંગ ધોવાય એમ ધોવાઈ જાય છે. 

આજેપણ શ્રી કુન્દનિકા કાપડીઆની "પરોઢ થતા પહેલા" માંથી  થોડાક વધુ અંશો ... સબજેક્ટ છે  "દુખ"  ....

*********************************************
- બધુ સુષ્ઠુ સુષ્ઠુ, રુ જેવુ નરમ નરમ, મધ જેવું મીઠુ મીઠુ નથી,  હોઈ શકે નહી, હોવુ જરુરી પણ નથી.
દુનિયાનું સાચુ સ્વરુપ એટલે માણસના નિમ્ન નિકૃષ્ટ રુપનો પરિચય તેમ નહી, પણ માણ્સના મનની અતાગ  સૃષ્ટી ... તેના ભયો,  ઈચ્છાઓ, વિજયો, કારુણ્યો, ભૌતિકતા અને ઉર્ધ્વ આરોહણની કામના આ બધા વિવિધ ને વિરોધી તત્વોની પરસ્પર ક્રિયામાંથી નિર્મિત થતાં, જીવનના લાખો કરોડો સ્વરુપો .....

- શું માણસને દુખ આવી પડે ત્યારે જ એનુ સાચુ સ્વરુપ પ્રગટ થાય છે? ત્યારે જ તે પોતાના યથાર્થ રુપને પામે છે? અને દુખ શુ એટલા માટે જ આવે છે કે માણસ પોતાના સાચા સ્વરુપ ને પામી શકે?

દુખ કદાચ માણસને તેના સાચા સ્વરુપની પીછાણ આપવ આવે છે. પણ દુખથી ભય પામીને માણસ તરત તેમાંથી છુટવાનો પ્રયત્ન કરે છે.

દુખમાંથી નાસી છુટવાને બદલે, એના ઘોર એકાંતની વચ્ચે બેસી, માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સાચા સ્વરુપનો સાચો પરિચય મેળવી લે તો દુખની કામગીરી પૂરી થાય.. તો તે ફરી ફરી ધ્વારે આવી ઉભુ ન રહે  .... કદાચ ....

- વૃક્ષને પણ એની ઋતુઓ છે ... આવાગમન ના ચક્રો છે. માર્ચ મહિનાનો ફૂલ ભરેલો આનંદ અને હેમંતની સૂની એકલવાઈ ડાળીઓમાં ભારે પગલે પસાર થતી ઘડીઓ છે. એક પછી એક તેના બધા પાન ખરી પડશે ત્યારે પણ તે રાહ જોઈ શકશે, કારણ કે તેને ખબર છે થોડા સમય પછી ફરી તેના અંગોમાં નવા રંગોની મંજરી ખીલી ઉઠશે.

માણસ આવી રાહ જોઈ શકતો નથી. કારણ કે તેના ચક્રો વૃક્ષના ચક્રો જેટલા નિયમિત નથી. તે વધુ સભાન અને વધુ ગતિશીલ છે. એથી જ શું તેનુ જીવન અસ્થિર અને અનિશ્ચિત હશે ?

દુખના ભારથી જ માણસ કચડાઈ જાય છે અને પોતાના સઘળા સુંદર અંશો ગુમાવી દે તેમ પણ બને. પણ જીવન વિષે જેનામાં થોડી ગંભીરતા છે તેમને માટે દુખ હંમેશા એક વિશેષ સંકેત લઈને આવતું  હોય છે.

આ રીતે દુખ જીવનની એક બહુ મૂલ્યવાન વસ્તુ છે. સુખ આપણને ઉંઘાડી દે છે. દુખ ધક્કો મારીને જગાડે છે. માણસને માથે દુખ આવી પડે ત્યારે હજારો ઈચ્છાઓ ને પદાર્થની શોધમાં દોડતુ તેનુ મન ઘડીભર અટકી જાય છે. પોતાની તરફ પાછુ વળે છે અને પૂછે છે - આવુ કેમ થયુ? આવુ મારા જ સંબંધ માં કેમ બન્યુ? બીજીપણ ઘણી વસ્તુની જેમ દુખમાં અનેક અર્થો રહેલા છે અને આપણે દુખની પીડામાં અટકી ના જઈએ તો એ અર્થ આપણને સમ્જાવા લાગે છે.

અને દરેક માણસ માટે એનો માર્ગ જુદો હોય છે. એ દરેકે જાતે શોધી લેવાનો હોય છે.

*********************************************
 અને છેલ્લે ,

હું ગુનાશોધક છુ મારા પર બધા ભેદો ખૂલે,
કે ટકોરા મારતો ચાલુ ને દરવાજો ખૂલે

હાથ લંબાવીશ તો ટૂટી જશે ભ્રમણાની ભીંત
આ વધેલા મારા નખથી કંઈક ચહેરાઓ ખૂલે.

ક્યારનો અટવાઉ છુ અર્થોના લેબેરિન્થમાં
કોઈ તો ચાવી મળે કે કોઈ તો રસ્તો ખૂલે ... 

- હનીફ સાહિલ


   

Thursday, September 27, 2012

પ્રેમકાવ્ય ....

ગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી કુન્દનિકા કાપડીઆનુ પ્રદાન હંમેશા  શ્રેષ્ઠ રહ્યુ છે.. એમની "પરોઢ થતા પહેલા" નવલકથામાંથી કેટ્લાક અંશ ...

નવલકથાની નાયિકા સુનંદા ખુબ સરળ સહ્રદયી અને સીધી સાદી છે. અને એ લવમેરેજ કરે છે દેવદાસ જોડે. જે એક કલાકાર છે.......આજમાં જ જીવનારો માણસ ... " જે છે એ આજે જ છે ...અને આજને જીવી લેવી જોઈએ" એ થીયરી વડે જીવનારો માણસ .. અચાનક એને ત્યજીને જતો રહે છે ...પછી જ સુનંદાના જીવનમાં મથામણ શરુ થાય છે ...  જીવન પ્રત્યેના પ્રશ્નો અને જીવન પ્રત્યેની સમજ  .... આવી મથામણમાં સુનંદાના મુખે બોલાયેલા કેટ્લાક ઉત્કૃષ્ટ સંવાદો .... 

*********************************************
સુનંદા યાદ કરે છે ........


દેવદાસ કહેતો - "તને તો ખબર છે મારામાં કેટલી રોબસ્ટ લાઈફ છે! હું તો ભાઈ જીવવામાં માનુ છુ. ગમે તે સ્થિતિ એ જીવન માણવામાં માનું છું"

સુનંદા વિચારે  છે  ....
પણ જીવનને માણવાની આ 'માંસલ પિપાસા'. અન્યનો વિચાર જ ન કરતી ક્ષુધા રોગિષ્ઠ મનની જ નિપજ છે.

બહારથી જે કાવ્યમય લાગે તે વચનોમાં કેટલી તો વંચના હોય છે. પોતાની ચંચળ પ્રકૃતિની પરવશતાને માણસ મુક્તિનુ નામ આપી શકે અને પોતાના અહમને જ કેન્દ્રમાં રાખીને ક્ષણે ક્ષણે બદલાતા જીવનને "શુધ્ધ આજ" નું જીવન ગણે, તેનાં મૂળ હ્ર્દયના પ્રેમના નિર્મળ પાતળાઝરાને ક્યાથી પહોચી શક્યા હોય? 

છીછરા આવેગો, સ્વાર્થ, ચંચળતા, નિરંકુશતાને છૂટૉ દોર ન મળે તે માટે થઈને એક પવિત્ર બંધન (લગ્ન) રચવામાં આવ્યુ હતુ.

પણ કેવળ બંધન તરીકે કદાચ કોઈ બંધન પવિત્ર હોઈ શકે નહી.

તો શેનાવડે એક માણસ બીજા માણસ પ્રત્યે કર્તવ્યશીલ, જવાબદાર, કાળજીપૂર્ણ રહી શકે? શાના વડે સંબંધો ટકી શકે?

આનંદ અને પ્રેમથી સભર બનેલા હ્રદય વડે. જેમાં બધા સ્વાર્થ પાતળા પડી જાય છે, જે માણસને તેની ઈચ્છાઓની સીમાઓમાંથી મુક્ત કરે છે અને તેને વધુ ઉંચા, વધુ તેજોમય જીવન પ્રતિ નિરંતર વહેવા પ્રેરે છે.

માણસની ઈચ્છામાં જ્યારે પોતાની ઈચ્છા સિવાય બીજા કોઈની ઈચ્છાનો સમાવેશ થતો નથી ત્યારે તે સ્વાર્થના નીચલામાં નીચલા પગથિયે ઉભો હોય છે.


તેની ઈચ્છા જ્યારે વિશ્વપ્રક્રૃતિની ઈચ્છામાં ભળી જાય છે ત્યારે તે મુક્તિના ચરમ શિખરને પામે છે. આ બે સ્થિતિમાં હજારો પગથિયા રોજને રોજ ચડતા જવુ એ
જ જીવનની ગતિ છે, દિશા છે, સાર્થકતા છે.

*********************************************


લોકો કહે છે મારો પ્રેમ સાચો હતો કે એનો પ્રેમ સારો હતો ... પણ પ્રેમ ક્યારેય સાચો - ખોટો કે  સારો-ખરાબ હોઈ શકે નહી. પ્રેમ ભલા ખોટો કે ખરાબ કેવી રીતે હોઈ શકે ? પ્રેમ કાં તો માત્ર હોઈ શકે અથવા ના હોઈ શકે ... જે પ્રેમ જવાબદારી ના લાવે કે ઉર્ધ્વગતિએ ના લઈ જાય એ પ્રેમ સિવાય કંઈપણ હોઈ શકે પણ પ્રેમ ના હોઈ શકે .... એ પ્રેમનો ભ્રમ હોઈ શકે કા તો ઘડી બે ઘડીની ગમ્મત કે પછી ખાલી વાસના ...

અને છેલ્લે આ પ્રેમકાવ્ય ....


આ એક પ્રેમકાવ્ય છે
તે પાણીની સપાટી પર લખવુ જોઈએ,
અને હવામાં ઊડતુ મૂકી દેવુ જોઈએ,
અથવા તો એક સસલાને આપી દેવુ જોઈએ
મોઢે કરાવવા માટે,
અથવા તો તેને સંતાડી દેવુ જોઈએ
જૂના પિયાનોમાં.
આ પ્રેમકાવ્ય છે,
તે વાંચવુ ના જોઈએ
ઝરુખામાં,
તે શીખવુ ના જોઈએ
ઉઘાડા આકાશ નીચે,
તે ભુલાવું ના જોઈએ
વરસાદમાં,
અને તે આંખની
એકદમ નજીક ના રાખવુ જોઈએ.


ઝીશન સાહિલ
અનુવાદ - દિનેશ દલાલ

Monday, September 24, 2012

તું મારી નજીક નહીં આવ...

"વિચારવાની કુટેવ છોડીને જીવવાનું રાખવું. સંસારમાં નજર નાખશો તો તરત સમજાઇ જશે કે જેઓ વિચારે છે તેઓ દુ:ખી છે. જેઓ નથી વિચારતા તેઓ ઘણી બધી ખટખટથી બચી જાય છે. " - ગુણવંત શાહ

અને જેઓ વિચારશીલ છે એમને નીચેની કવિતા સમજવામાં જરાય તકલીફ નહી પડે ...

તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને તારી બીક લાગે છે.
તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને મારી બીક લાગે છે. 


ફરી પાછું એનું એ મળવું
છૂટા પડવું, મળવું :
એનું એ અમૃતચક્ર, વિષચક્ર,
ચક્ર, ચક્રાકાર ગતિ….
ફરી પાછી અપેક્ષા
ફરી પાછી ભરતી ને ઓટ
ચંદ્રનો ઉદય ને ક્ષય
ફરી પાછો ભય -
ખબર નથી કે ગીતનો લય
ક્યાં અને ક્યારે તૂટી જશે -


તું મારી નજીક નહીં આવ
ભલે આ ગીત અધૂરું રહે
ભલે આ ગીત વણગાયું રહે -

પણ હવે
ઉઝરડા સહન કરવાની
મારી કોઇ તાકાત નથી....


- સુરેશ દલાલ 

 Poem Reference : tahuko.com

Sunday, September 23, 2012

પડછાયા, શબ્દ - સંબંધ ...

આમ તો મૂળ કૃતિ વાંચવાની જે મજા હોય તે અનુવાદમાં ના હોય . પણ ક્યારેક અનુવાદ પણ મૂળ સાહિત્ય જેટ્લા જ ઉત્તમ હોય છે. તો આજે બે હિન્દી કવિતાઓના અનુવાદ .... 

પડછાયા 

આ અંધારામાં 
આપણા બેના પડછાયા 
હળી-મળી ગયા છે

બત્તી નહીં કરતા
અલગ થઈ જશે.

કવિ - વી. પી. સિંઘ
અનુવાદ -  હિતેન આનંદપરા

શબ્દ - સંબંધ

મેં મારા દુખ-દર્દ તમને નહીં,
કલમને કહ્યા હતા;
જો એણે તમારી સુધી પહોંચાડ્યા નહીં
તો હું તમને દોષ નથી દેતો.

મેં મારા દુખ-દર્દ તમને નહી 
કાગળને કહ્યા હતા;
જો તમે મારા પ્રત્યે સહાનુભુતિ ના દર્શાવી 
તો હુ તમને દોષ નથી દેતો.

મેં મારા દુખ-દર્દ તમને નહીં,
કાળી રાતોને કહ્યા હતા,
મૂંગા તારાઓને કહ્યા હતા,
સૂના આકાશને કહ્યા હતા,

જો એમનો પ્રતિદ્વનિ 
તમારા અંતરમાંથી નહી ઊઠે
તો હું તમને દોષ નથી દેતો.

મને ખબર હતી 
કે એક દિવસ
મારી વેદનાનો સાથ મારાથી છૂટશે
પણ મારા શબ્દોથી
મારી વેદનાનો સંબંધ ક્યારેય નહીં તૂટે.

કવિ - હરિવંશરાય બચ્ચન
અનુવાદ - સુશી દલાલ

Friday, September 21, 2012

यूँ ही बेसबब न फिरा करो...

यूँ ही बेसबब न फिरा करो, कोई शाम घर भी रहा करो
वो ग़ज़ल के सच्ची किताब है, उसे चुपके चुपके पढ़ा करो

कोई हाथ भी न मिलायेगा, जो गले मिलोगे तपाक से
ये नए मिजाज़ का शहर है ज़रा फासले से मिला करो

अभी राह में कई मोड़ हैं , कोई आएगा कोई जाएगा
तुम्हें जिसने दिल से भुला दिया उसे भूलने की दुआ करो

मुझे इश्तेहार से लगती हैं ये मुहबतों की कहानियां
जो कहा नहीं वो सुना करो, जो सुना नहीं वो कहा करो 

कभी हुस्न-ए-पर्दानशीं भी हो ज़रा आशिकाना लिबास में
जो मैं बन सवर के कहीं चलूँ, मेरे साथ तुम भे चला करो

ये खिजां की ज़र्द सी शाल  में , जो उदास पेड़ के पास है
ये तुम्हारे घर की बहार है, इसे आंसुओं से हरा करो

 नहीं बेहिजाब वो चाँद सा की नज़र का कोई असर न हो
उसे इतनी गर्मी-ए-शौक़ से बड़ी देर तक न तका करो

- 'बशीर बद्र'

Monday, September 17, 2012

મહેકને અડકી ગયા....

'માપ દરિયાનું ગજું' એવું કહી મલકી ગયા,
ફૂટપટ્ટી રેતને ધરતા તમે અટકી ગયા.

આંકડા ઓછા પડે તો આંગળાઓ ચાલશે,
ચાંદ સૂરજને ગણો, તારા ભલે છટકી ગયા.

હાથ જો છોડી શકો ને,તો જ આગળ જઈ શકો,
આ સમયનો સાથ આપી કેટલા ભટકી ગયા.

પાંદડા પર આભ ઉતર્યું ને જમીન કોરી રહી,
ને સરોવર જોઈને આ,શી ખબર છલકી ગયા.

ફૂલની હાલત ઘણી ગંભીર જેવી થઈ જશે,
ભૂલથી કોઈ વાર પણ જો મહેકને અડકી ગયા.....


-

Sunday, September 16, 2012

સ્થળ, સમય, ઘટના.....

કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે,
દાખલો ઔકાતનો અડધો લખે છે.

વીજળી, વાદળ અને વગડો લખે છે,
ચન્દ્ર નહિ પણ તારલો ખરતો લખે છે.

શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે,
કોણ મારા નામનો પડઘો લખે છે?

જો ત્વચા પર વાગતો ચટકો લખે છે,
સ્થળ, સમય, ઘટના કશે અટકો લખે છે.

છાંયડો, વરસાદ ને તડકો લખે છે,
જિંદગી પણ કેટલી શરતો લખે છે! ............

- કવિ રાવલ


Friday, September 14, 2012

કારણ કે ...

 લેખક ગુણવંત શાહના શબ્દોમાં કહુ તો બિમારી અને મુસીબત / દુખ / ચિંતા ખરા અર્થમાં સેક્યુલર છે ... 
 બિનસાંપ્રદાયિક ...  એ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર એનુ કામ કરે છે ... એ આવે છે ત્યારે ધ્રર્મ, જાતિ, ઉંમર, ગરીબી-અમીરી કંઈ જોતા નથી ... એ બસ આવે છે ... અને જેની પાસે આવે છે એને ઉદાસ કરીને જાય છે ...

હું ઉદાસ છું ...
કારણ કે  મધ્યાહ્મને સૂર્ય આથમી ગયો છે
કારણ કે  ઘાસ પીળું પડી ગયું છે
કારણ કે  પતંગિયાં ઊડી ગયાં છે
કારણ કે  ફૂલો કરમાઈ ગયાં છે
કારણ કે  વૃક્ષોનાં પાંદડાં જમીન પર પડયાં છે
કારણ કે  ભીંજવ્યા વિનાનો વરસાદ વરસે છે
કારણ કે  અંધારું છવાતું જાય છે
કારણ કે  દીવાલો પડું પડું થાય છે
કારણ કે  વિચારોનું વાવાઝોડું ત્રાટકે છે
કારણ કે  અનેક પ્રશ્નો સળવળે છે
કારણ કે  દલીલોની ભુલભુલામણી છે
કારણ કે  મન ભૂલું પડયું છે
કારણ કે  સ્મરણોની વણજાર આંખે ઊભરાય છે
કારણ કે  બોદા શબ્દોથી હોઠ એંઠા થયા છે
કારણ કે  રાહ જોતા પગ ખોટા પડી ગયા છે
કારણ કે  તણખલું ડૂબી ગયું છે
કારણ કે  સપનાં નંદવાઈ ગયાં છે.


- પન્ના નાયક

Tuesday, September 11, 2012

मुझे अपने शौक़ का सामां बना रखा है...

जिसे  मैंने अपने दिल  में मेहमां  बना रखा है 
उसने मुझे अपने शौक़ का सामां बना रखा है
[शौक़ का सामां = an item of pleasure ]
 
 गुलपोश रहा करता था सेहन-ए-चमन मेरा  
 गुलन्दाम नें उस चमन को बियांबां बना रखा है
[गुलपोश = covered with flowers , सेहन-ए-चमन = garden in the backyard, गुलन्दाम = beauty, बियांबां  = deserted]
 
यास-ओ-उम्मीद के दरमियाँ  रक्साँ  ज़िन्दगी
जुस्तुजू में मैंने भी इस रक्स को रवां बना रखा है

[ यास-ओ-उम्मीद = dispair and hope, दरमियाँ = between,रक्साँ  = dancing,  जुस्तुजू = In quest, रक्स = dance, रवां = continuous]
 
मैं मुहब्बत  में उसके हर तक्सीर को भूल जाता हूँ  
वो समझते हैं की  'मुज़्तरिब' को नादाँ बना रखा है
[तक्सीर = mistake, नादाँ = ignorant/naive ]
 
- 'મુજ્તરિબ'

Monday, September 10, 2012

હું અમસ્તો પારદર્શી શબ્દ છું ...

હું અમસ્તો પારદર્શી શબ્દ છું,
તો ય બીજા સૂર્યનો વિકલ્પ છું.

આ નગર પહેલાં સૂરજમુખી હતું
હું સુગંધોનું બીજુ અસ્તિત્વ છું.

આયનાનો રંગ આકાશી થશે,
માત્ર હું તો ફૂલ જેવો સ્પર્શ છું.

લાગણી તો વારતાની કુંવરી
કેટલો હું પણ હવે  અસ્વસ્થ છું.

વિસ્મયોના  આલ્બમમાં ચોડજો,
હું સમયને એક ગમતું સ્વપ્ન છું ...

- પ્રકાશ ભટ્ટ

Sunday, September 9, 2012

આ નથી કઈ તારું કામ રહેવા દે,..

આ નથી કઈ તારું કામ રહેવા દે,
પ્રેમના ગામે મુકામ રહેવા દે...

ગોકુળની માટી ને ખૂલાસા દેવાના,
આ શોભતું નથીતને શામ રહેવા દે...

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે,
પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે.......
- હિતેન આનંદપરા

Sunday, September 2, 2012

શ્રી ગુણવંત શાહ - કેટલાક અંશો ...

આજે શ્રી ગુણવંત શાહની "જાત ભણીની જાત્રા"માંથી કેટ્લાક અંશો -

જીવનના આખરી તબક્કે ટોલ્સટોયે લખ્યુ છે - "પ્રેમ એટ્લે શરીરને કારણે વિખુટા પડેલા બે આત્માનું મિલન."

"રાઈ નો પર્વત" નાટક્માં રમણભાઈ નિલકંઠ લખે છે -
જે શૌર્યમાં કોમલતા સમાઈ,
તેને જ સાચુ પુરુષત્વ માન્યું ...


કવિ ઉમાશંકર જોષી લખે છે -
પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે;
મળે મર્દને સ્ત્રીની ઉંચાઈ ત્યારે ...


મારી પાકી માન્યતા છે કે જે સમાજમાં સ્ત્રીઓનું શોષણ થતુ હોય એવા 'અસભ્ય' સમાજમાં પુરુષો કદી સુખી ના હોઈ શકે. સ્ત્રીઓનું ઢીંગલીકરણ કે ઓબ્જેકટીફીકેશન થાય તેવા પછાત સમાજમાં માનસિક રુગ્ણતા નોર્મલ બાબત બની રહે છે. મારુ માનવુ છે કે સ્ત્રીઓની પૂજા કરવાની જરુર નથી, જરુર છે એના પર્સનહૂડના સહજ સ્વીકારની.

જેઓ પાસે ભુલ કરવાની હિંમત નથી;
જેઓ પાસે ભુલ કબૂલ કરવાની તાકાત નથી;
જેઓ ચોમાસામાં પણ ભીના થવા તૈયાર નથી;
જેઓ શિયાળામાં પણ હુંફાળા નથી થઈ શકતા;
જેઓ ઉનાળામાં પણ શિતળતાનુ અભિવાદન નથી કરતા;
જેઓ ખાસ મિત્રને પણ દિલની વાતો નથી કરતા;
જેઓ શત્રુની એકાદ ખુબીને પણ બિરદાવી નથી શકતા;
જેમની આંખો ભીની થવાની ખો ભૂલી ગઈ છે;
જેઓ સુખને મમળાવવામાં કંજૂસાઈ કરે છે;
જેઓ દુખને છાતીએ વળગાડીને ફરતા રહે છે;
જેઓ એકપણ પુસ્તકના પ્રેમમાં નથી;
જેમણે જીવનમાં એક પણ વૃક્ષ ઉછેર્યુ નથી;
જેમણે એક્પણ મધુર સંબંધ ખીલવ્યો નથી;

એવા લોકો પીએચડી થયા હોય, તોય અભણ જાણવા.
તેઓ બે પગ પર ઉભા છે એ તો એક અકસ્માત છે! .......


- ગુણવંત શાહ