Tuesday, June 28, 2011

કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં. ....

લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.
તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને....
 
કેટ્લુ રોમેન્ટિક લાગે છે નહિ ! આખુ બાળપણ ને લગ્ન ન થાય ત્યાં સુધી છોકરીઓ પોતાની આંખમાં એક પ્રેમાળ અને મનભાવન જીવનસાથીના સપના જોતી આવે છે. અને એક દિવસ લગ્ન પણ થઈ જાય છે. પણ એના સપના પૂરા નથી થતા. ઘર, વર, કદાચ મોભો બધુ મળે છે પણ તો યે જે સપનામા હતો એના ૧૦% જેટલો પણ જીવનસાથી વસ્તવિકતામા નથી મળતો.. ઉલ્ટાનુ ઘણાને તો સાવ જ ઉલ્ટુ પાત્ર મળે છે. પછી કોઈ પત્નિ , કોઈ માતા પંખો શોધે છે, તો કોઈ કેનાલ તો કોઈ ઝેરી દવા અને .... એવી વસ્તુ જે એને દુખભરી અસહ્ય જીંદગીમાથી કાયમ માટે છુટકારો આપી દે .... આ કઈ ઉકેલ નથી એ તો સહુ જાણે છે .... પણ આનો ઉકેલ શોધવો અઘરો છે એ પણ આપણે બધા જ જાણીએ છીએ. ............................ સ્ત્રીઓની આત્મહત્યાની સંખ્યામા થઈ રહેલા વધારા પર શ્રી રાજ ગોસ્વામીનો એક ચિંતનાત્મક લેખ રવિવારના સંદેશમાથી ..........

પારિવારિક મૂલ્યોઃ ભણતરના વળતરમાં મળેલો વર-જાનવર

સમાચાર : મુંબઈના ઉપનગર વડાલામાં ૨૪ બિલ્ડિંગો ધરાવતા ૯૦ એકરના હાઉસિંગ કોમ્પ્લેક્સ, સોસાયટીના હોદ્દેદારોએ બિલ્ડિંગના રહેવાસીઓના ટેરેસ પર જવા પ્રતિબંધ ફરમાવ્યો છે. મુંબઈમાં બનેલી આત્મહત્યાની બે ઘટનાઓમાં સંતાનો સાથે માતાએ ટેરેસ પરથી ઝંપલાવ્યું હતું. તેના પગલે કોમ્પ્લેક્સમાં આવું કંઈ ન બને તે માટે હોદ્દેદારોએ ટેરેસ પર જવાનો રસ્તો બંધ કરી દીધો છે.

કોઈને મરવું જ હોય તો ટેરેસ અનિવાર્ય નથી. ઘરની બાલ્કનીમાંથી ય આ (દુ)સાહસ કરી શકાય, પણ આપણે મેથડની વાત બાજુએ મૂકીએ અને આ મેડનેસની વાત કરીએ. આ મુંબઈની જ વાત નથી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ય (અને દેશનાં અનેક શહેરોમાં ય) સંતાનો સાથે માતાની આત્મહત્યાના સમાચારો એટલા સામાન્ય થઈ ગયા છે કે એને ‘સમાચાર’ કહેવા કે કેસ એ ય મૂંઝવણ થઈ જાય. ૨૦૦૯ના એક અભ્યાસ મુજબ ભારતમાં કુલ આત્મહત્યાઓમાંથી ૨૦ પ્રતિશત ગૃહિણીઓ હતી. આ સંખ્યા ૨૦૧૧માં બદલાઈ ગઈ હોવાનાં કોઈ કારણ નથી. આપણે ખેડૂતોની આત્મહત્યાઓ બાબતે બૂમાબૂમ કરીએ છીએ, પરંતુ હકીકત એ છે કે ભારતમાં પ્રતિવર્ષ ખેડૂતો કરતાં ય વધુ ગૃહિણીઓ આત્મહત્યા કરે છે.

ગૃહિણીઓની આત્મહત્યા અને સમાજની ચુપ્પીનું કારણ એક જ શબ્દ છે :  પારિવારિક મૂલ્યો અથવા ઇજ્જત અથવા આબરૂ. આપણે ત્યાં બધું જ બદલાય છે. સામાજિક મૂલ્યો બદલાય છે, રાજકીય મૂલ્યો  બદલાય છે, આર્થિક મૂલ્યો બદલાય છે, નૈતિક મૂલ્યો બદલાય છે, પરંતુ પારિવારિક મૂલ્યો બદલાતાં નથી. ભારતીયો પારિવારિક મૂલ્યોને સર્વોચ્ચ ગણે છે. ભારતનો એક વિશાળ મધ્યમવર્ગ પારિવારિક મૂલ્યોના કન્ડિશનિંગ સાથે મોટો થાય છે. ૨૫ વર્ષે એક ઠીકઠાક નોકરી, ૩૦ સુધીમાં લગ્ન અને ૩૨ સુધીમાં બે (મિનિમમ) બચ્ચાં.  આ ડિફોલ્ટ કન્ડિશનિંગ સ્ત્રીઓ માટે ભયાનક હોય છે. આત્મહત્યા કરનારી મોટા ભાગની સ્ત્રીઓ લગ્ન અને એના પગલે સર્જાનારી સ્વર્ગીય દુનિયાનાં દીવાસ્વપ્ન જોઈને મોટી થઈ હોય છે.

ઠીકઠાક ભણતર (સારો વર મળે એ માટે, કારકિર્દી માટે નહીં) પછી એ સમયસર પરણી જાય છે. ડેડલાઈનની અંદર બચ્ચાં પેદા થાય છે અને પછી જ્યારે ભણતરના વળતરમાં મળે તો વર જાનવર સાબિત થાય છે અને મમ્મી-ડેડી, દાદા-દાદીએ મનમાં ઠસાવેલ લગ્નની ખોખલી દુનિયા ધ્વસ્ત થાય છે. ત્યારે આ સ્ત્રીઓના બહાર નીકળવાના તમામ રસ્તા બંધ થઈ ચૂક્યા હોય છે. કદાચિત્ એ પોતાના પગ પર ઊભી રહે તો પણ તૂટેલા લગ્નજીવનની સામાજિક શરમનું શું? એક જ રસ્તો છે : ટેરેસ પર જવાનો.

પારિવારિક મૂલ્યોની આપણી નિર્દયી વ્યવસ્થામાં ડિવોર્સ કે સ્ત્રીઓની એકલતા (સિંગલહૂડ)ને કોઈ સ્થાન નથી. એનાથી વિપરીત એ એક અભિશાપ છે અને આ અભિશાપને કારણે જ સ્ત્રીઓ આત્મહત્યા કરે છે. ભારતમાં જો ડિવોર્સ લગ્ન જેટલા જ સરળ અને સ્વીકાર્ય હોય અને પ્રત્યેક પિતા એની દીકરીને સ્વતંત્ર રીતે જીવન જીવવાના પાઠ ભણાવે તો આપણે ત્યાં સ્ત્રીઓની આત્મહત્યાના કિસ્સા ઘટી જાય અને તો જ લગ્ન બંધનના બદલે સાચા અર્થમાં બગીચો બની જાય.

અમારી એક અમેરિકન ફેસબુક ફ્રેન્ડે એની ‘વોલ’ પર અમેરિકન સ્ટાર ઇંગ્રીડ બર્ગમેનનું વિધાન મૂક્યું છે : “એક ઘર હોય, પતિ હોય, બચ્ચાં હોય... એ સ્તો આપણું જીવન છે, પણ મને લાગે છે કે (એમાં) રોજ એક દિવસ ફોગટમાં જાય છે. જાણે હું અડધી જીવતી છું અને અડધી એક કોથળામાં ગૂંગળાઈ રહી છું.” આ એક અમેરિકન, સ્વતંત્ર અને પગભર સ્ત્રીની વેદના છે. અમારી એ ગુજરાતી ફ્રેન્ડ પછી (એઝ યુઝવલ) ફેસબુક ચર્ચામાં લખે છે, “વાત સ્વતંત્રતાની નથી, પણ માતૃત્વ કે પિતૃત્વ સાથે જે રોમેન્ટિસીઝમ જોડી દેવાયું છે એની છે. મુદ્દો એ છે કે ક્યારેક એનો ભાર લાગે છે. લગ્નમાં પોતાના માટે થોડી જગ્યા, થોડો અવકાશ હોવો જોઈએ. (ઇંગ્રીડ બર્ગમેન, ઇંગ્રીડ બર્ગમેન અને કોથળાની ગૂંગળામણ!)

અભ્યાસ કહે છે કે ભારતમાં ડિવોર્સની સંખ્યા વધી રહી છે. આ સારી વાત છે. મતલબ કે સ્ત્રીઓ ટેરેસના રસ્તે જવાને બદલે ડિવોર્સના રસ્તે જાય એવો બદલાવ આવકાર્ય છે. કહે છે કે કોઈ પણ સમાજને સમજવો હોય તો એની સ્ત્રીઓની સ્થિતિને સમજવી. આ માપદંડ પ્રમાણે વધુ ને વધુ સ્ત્રીઓ ડિવોર્સનો વિકલ્પ પસંદ કરે છે, એ સારા સમાચાર કહેવાય. એનાં બે કારણ છે, એક તો આ સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર છે અને બીજું, એ મોટાં શહેરોમાં રહેનારી છે, જ્યાં ડિવોર્સ હોવાની શરમ પ્રમાણમાં ઓછી છે.


લગ્ન એક પવિત્ર બંધન (આ નામની એક ટીવી શ્રેણી ધૂંઆધાર લોકપ્રિય છે) છે એવી મધ્યમ વર્ગીય માન્યતા તૂટવી જોઈએ. લગ્ન પછી પ્રેમનાં ફૂલ ખીલે છે એ બીજી ગેરમાન્યતા છે. હા, ટેરેસના દરવાજા જરૂર ખૂલે છે. પ્રેમને અને લગ્નને કોઈ લેવાદેવા નથી. બે વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતી હોય તો મેરેજ ર્સિટફિકેટના કાગળિયાથી શું ફરક પડે. અને બંને જો કમિટેડ ન હોય તો પછી લગ્નની જંજીર પહેરવાનો મતલબ શું? શાદી અને બરબાદી પરની એકમાત્ર અર્થપૂર્ણ હિન્દી ફિલ્મ ‘અર્થ’ (૧૯૮૨)માં નાયક ઇન્દર (કુલભૂષણ) કવિતા (સ્મિતા પાટિલ)ના ઇશ્કમાં વિરક્ત થઈને પત્ની પૂજા (શબાના આઝમી) પાસે ડિવોર્સ પેપર્સ પર હસ્તાક્ષર લેવા આવે છે ત્યારે પૂજા કહે છે, “બેચારી કવિતા... જીસ શાદી કે બંધન કે લિયે ઇતની બેકરાર હૈ ઉસે યે માલૂમ નહીં કે વો શાદી એક કાગઝ કે ટુકડો સે તૂટ શકતી હૈ!”

લગ્ન અને પ્રેમની પૂરી બદમાશી આપણી પારિવારિક મૂલ્ય વ્યવસ્થામાંથી આવે છે. બે તદ્દન અજાણ્યાં લોકો સાથે સૂઈને બચ્ચાં પેદા કરે અને એમાં આડઅસરરૂપે પ્રેમ પણ પેદા થઈ જાય એવી બેવકૂફીના કારણે ઘણી સ્ત્રીઓએ જાન ગુમાવ્યો છે, જે ગુજરાતમાં દીકરીઓ પર જાત-જાતની ચોપડીઓ પ્રકાશિત થાય છે એ જ ગુજરાતમાં દીકરી ‘સાપનો ભારો’ પણ ગણાય છે, આજેય... ટુ હેલ વિથ ધ ફેમિલી વેલ્યુ.
  - રાજ ગોસ્વામી

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં. ...

Monday, June 27, 2011

સાગર મોકલું છું....

એ ભલે લાગે છે અક્ષર મોકલું છું,
ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.

તું સ્વયમ ઝળહળ છે જાણું છું છતાંયે,
કોડિયું મારું આ થરથર મોકલું છું

થઈ ગયું મોડું પડ્યું જન્મોનું છેટું,
તો ય લાગે છે સમયસર મોકલું છું.

હાંસિયામાં ક્યાં લગી ઊભું રહે એ,
તેં કદી દોર્યું’તું એ ઘર મોકલું છું.

નામ, જાતિ, ધર્મ તો આ દેહને છે,
છે બધાથી પર એ ભીતર મોકલું છું.

તેં સતત ઝંખ્યો ને હું ઊજવી શક્યો ના,
એ જ હા, હા એ જ અવસર મોકલું છું.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Friday, June 24, 2011

મા, માતા, મમ્મી, બા .. નામ રુપ જુજવા અંતે હેતનુ હેત ...

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ...


ખરેખર મા-બાપના કોઈ પર્યાય નથી હોતા. માતા અને પિતા બંનેનુ પોતપોતાનુ અલગ અને છતા એકસરખુ મહત્વ હોય છે જીવનમા. કોઈ એકનો અભાવ જીવનને ખાલી ખાલી બનાવી દે છે. ખાસ કરીને જે ઉંમરમા એમની સહુથી વધુ જરુર હોય ત્યારે જ જો મા કે બાપ કે પછી બંને છોડીને જતા રહે ત્યારે જીવન અઘરુ થઈ જાય છે ...... પણ ગઈકાલે અહી મૂકેલી કવિતામાં નાનપણ મા જ "મા" ને ગુમાવી દીધેલ બાળક ને એ પણ સરખુ યાદ નથી કે એની મા કેવી લાગતી હતી. બાળક ્છે એટ્લે સહજતાથી કહી દે છે કે "મા તુ મને આમ તો નથી સાંભરતી ...." .....    " મોટેભાગે રમત રમવામા મશગુલ હોવ ત્યારે મને તુ યાદ નથી આવતી. કયારેક ક્યારેક જ વચમા સાંભરી આવે છે તુ.  છ્તાય  ખાસ તો રાતના અંધકાર મા જ્યારે એકલો  હોવ ત્યારે ખુલ્લા કાળા આકાશમા મા મને તારી  આખો .. તારો ચહેરો દેખાઈ જાય ને... ત્યારે જ મા તુ  સહુ થી વધુ યાદ આવે છે."

ખેર આ તો એ બાળકની વાત થઈ ..... મા હોય કે કોઈપણ અન્ય સ્વજન હોય એને ગુમાવવાનુ દુખ તો જેણે સ્વજન ગુમાવ્યુ હોય એ જ જાણે. આજથી ચાર વર્ષ પહેલા... મે જ્યારે મારી મમ્મીને અચાનક ગુમાવી દીધી ત્યારે ... મને પણ સમજાતુ નહોતુ કે આટલા વર્ષ ઈશ્વરે મને માના સાંન્નિધ્યમા રહેવાની તક આપી એને માટે એનો આભાર માનુ કે પછી આમ અચાનક એને મારી પાસેથી છીનવી લીધી એને માટે એના પર ગુસ્સો કરુ ! જે હોય એ માના સાન્નિધ્યમા જેટ્લુ રહીએ એટલુ ઓછુ જ પડે .... 

"મમ્મી , તુ જો ક્યાકથી મને સાંભળી શકતી હોવ કે દેખી શકતી હોવ તો આ જરુર વાચજે .... તુ હતી ત્યારે એક દિવસ પણ મારાથી દુર જતી તો હુ બેચેન થઈ જતી ..... એક દિવસ પણ તારા વગર ના રહી શક્તી હુ ચાર વર્ષથી તારા વગર એકલી કેમની રહુ છુ એ મને પણ સમજાતુ નથી . કદાચ તારી શીખવેલી દરેક જીણી જીણી નાની નાની વાત .. આજે મને તારા વગર જીવવામા મદદ કરી રહી છે ..... "

મારી મમ્મીની ચોથી પુણ્યતિથિએ .... પંચમ શુક્લની " બા પાસેથી શીખ્યો છુ ..." ખાસ સરવાણી પર ...... દુનિયાની દરેક માતાને સલામ ....
 આમ તો આ કવિતા કવિ શ્રી કૃષ્ણ દવે ધ્વારા આયોજિત કવિ સંમેલનમાં શ્રી પંચમ શુક્લના સ્વમુખે સાંભળેલી ત્યારથી જ અહી મૂકવાનો વિચાર હતો પણ પૂરી કવિતા નહોતી ... પછી થોડા દિવસ પહેલા જ "readsetu.wordpress.com " પરથી પૂરી કવિતા મળી આવી .... તો ખાસ આભાર readsetu.wordpress.com ....
ભણ્યા પછી પણ શું ગણવાનું, બા પાસેથી શીખ્યો છું હું
ભાર નકામો ભૂલી જવાનું, બા પાસેથી શીખ્યો છું હું

વહેવારોને જાળવવાનું બા પાસેથી શીખ્યો છું હું
આદર્શોને ઓળખવાનું બા પાસેથી શીખ્યો છું હું

સંન્યાસીને જમાડવાનું બા પાસેથી શીખ્યો છું હું
સંસારી થઇને રહેવાનું બા પાસેથી શીખ્યો છું હું

ટાઢાકોઠે સાંભળવાનું બા પાસેથી શીખ્યો છું હું
હૈયું ક્યે એમ કરવાનું બા પાસેથી શીખ્યો છું હું

કણ કણ રે ને ઊડે ફોતરાં, એ જ માપથી હળવું ભારે
જરૂર જેટલું વેતરવાનું બા પાસેથી શીખ્યો છું હું

આદુને ઝીણી ખમણીથી, કોળાને મોટા ચાકુથી
કદ પ્રમાણે વેતરવાનું બા પાસેથી શીખ્યો છું હું

મુઠ્ઠીમાં મંદરાચળ જેવું, કોઠીમાં ઘઉં દાણા જેવું
અવરનજરને પારખવાનું બા પાસેથી શીખ્યો છું હું

કથાપૂજામાં એક આચમન, સૂતક હોય તો માથાબોળ
પાણી ક્યાં ક્યમ વાપરવાનું બા પાસેથી શીખ્યો છું હું

ચકલીની કણકી નોખી ને ગૌમાતાનો ગ્રાસ અલગ પણ
થાળીને ધોઇને પીવાનું બા પાસેથી શીખ્યો છું હું

પલકવારમાં તાકેતાકા ઉખેડવાની ગુંજાઇશ પણ
પંડ જેટલું પાથરવાનું બા પાસેથી શીખ્યો છું હું

સુરજને દઇ અર્ઘ્ય સવારે, કરી આરતી સંધ્યા ટાણે
ચડતી પડતી જીરવવાનું બા પાસેથી શીખ્યો છું હું

- પંચમ શુક્લ

મા મને કોઈ દી સાંભરે નૈ...

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમામ ગણગણ થાય,
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય-
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ….કોઈ દી

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા-
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા,
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ….કોઈ દી

સૂવાનાં ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું;
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ….કોઈ દી

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ ....

-ઝવેરચંદ મેઘાણી

Tuesday, June 21, 2011

ચંદ્રકાન્ત બક્ષીની અટપટી વ્યાખ્યાઓ ...

ચંદ્રકાન્ત બક્ષીની અટપટી વ્યાખ્યાઓ કેટલાક રોજ બ રોજ વપરાતા શબ્દો માટે ...

"ઘર એટ્લે શુ ?" જ્યોર્જ બર્નાડ શૉ એ વ્યાખ્યા આપતા કહ્યુ હતુ, " ઘર એ છોકરી માટે જેલ છે અને સ્ત્રી માટે વર્કશોપ છે. " આ જ રીતે અમેરિકન હાસ્યકાર એચ.એલ.મેન્કેને કહ્યુ હતુ, "સંસારમા બે જ વર્ગના માણસો  સુખી છે. એક પરિણિતા સ્ત્રીઓ અને બીજા અપરિણિત પુરુષો. " અહી થોડા રોજબરોજ વપરાતા શબ્દોને વ્યાખ્યાઓમા બાંધવાની કોશિશ કરી છે. જેમકે , ...

મંમી - " એ વ્યક્તિ જે તમે નાના હતા ત્યારે વહેલી ઉઠીને એક કપ ચા બનાવી આપતી હતી. હવે તમારુ લગ્ન થઈ ગયુ છે એટલે વહેલી ઉઠીને બે કપ ચા બનાવે છે."


તલાક - " આઈ ડોન્ટ લવ યુ .... આઈ ડોન્ટ લવ યુ .... આઈ ડોન્ટ લવ યુ .... !"

કામ
- કામવાળીનો પતિ.


પાણિગ્રહણ - " ગ્રહણો ત્રણ જાતના હોય છે. સૂર્યગ્રહણ, ચંદ્ર્ગ્રહણ અને પાણિગ્રહણ. પહેલા બેમાંથી થોડા સમય બાદ મુક્તિ થઈ જાય છે. ત્રીજામાંથી સામાન્ય રીતે મુક્ત થવાતુ નથી. થવાય તો પણ એ તકલીફનુ કામ છે. "

પ્રેમપત્ર - "પુરુષ માટે જુનિયર કે.જી. ની અને સ્ત્રી માટે હાયર સેકન્ડરીની પરિક્ષા."


આઈ લવ યુ - " જ્યારે પતિ-પત્નિ બંનેની આંખોમાં ઊંઘ ઘેરાઈ ચૂકી હોય ત્યારે ઊઘ ઉડાવવા માટે ઉચ્ચારાતો મંત્ર. પણ આ મંત્ર અપરિણામી છે."

આદર્શ પતિ - "ઘરમાં કલર ટીવી હોય છતાં પણ રેડિયો પર મિડિયમ વેવ પકડીને મુંબઈ "અ" સાંભળ્યા કરતો હોય એવો પુરુષ. "


પ્રેમ - "પતિનો "પ" અને મંમ્મીનો "મ" આ બે વચ્ચે સંતુલન રાખીને બનાવેલો શબ્દ."

રસોડું - " આઅ એક એવો રહસ્યપ્રદેશ છે જેની ભૂગોળ સતત બદલાતી રહે છે. અને પુરુષ મૃત્યુ સુધી આની ભુલભુલામણી સમજી શકતો નથી. "


જન્મદિવસ - "પુરુષ અનાયાસે ભુલી શકે અને સ્ત્રી અનાયાસે યાદ રાખી શકે એવો દિવસ. "

પ્રણયત્રિકોણ - "આ એક એવો ત્રિકોણ છે જેના બે ખૂણા સરખી ડિગ્રિવાળા છે, એકબીજાના પૂરક, સમભાવી છે,સુંવાળા ્છે અને વાગતા નથી. પણ એના ત્ર્ણ ખૂણામાથી એક ખૂણો અણિદાર છે., વાગ્યા કરે છે અને એ જ દેખાયા કરે છે. જ્યોમેટ્રીમા જે આઈસોસિલિસ ટ્રાયંગલ છે એ  આ પ્રણયત્રિકોણનુ જ પ્રતિક છે."


કજોડુ - "એક બૂટ અને એક ચંપલ સાથે મૂક્યા હોય એવી સ્થિતિને કજોડુ કહે છે. "


ડિયર
-" પતિ જ્યારે સાંભળતો નથી ત્યારે આ શબ્દ વપરાય છે. આ શબ્દ મૂળ મેડિકલ વિજ્ઞાનમાંથી આવેલો છે."

સ્ત્રીહઠ - " અમેરિકાના 'વૂમન્સ ડે " પત્રે ૬૦,૦૦૦ પરિણિતા સ્ત્રીઓને એક પૂછ્યો હતો - ' જો તમારે ફરીથી પરણવુ હોય તો તમે આ જ પુરુષને પરણો ? ' - અને ૩૮% સ્ત્રીઓએ કહ્યુ હતુ - ' ના, હવે પરણવુ હોય તો આ બબૂચક્ને તો ન જ પરણાય ! આ બાકીની ૬૨% સ્ત્રીઓના પ્રતિભાવની આપણી ભાષામા સ્ત્રીહઠ્ની સંજ્ઞા આપવામાં આવી છે. "

 - ચંન્દ્ર્કાન્ત બક્ષી

Sunday, June 19, 2011

હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને...

 લાઈફ ક્યારેક બહુ અજીબ લાગે છે .... કે પછી ક્યારેક આપણે જ એટ્લા અજીબ બની જતા હોઈએ છીએ ? નાના હોઈએ ત્યારે એમ થાય ક્યારે જલ્દી મોટા થઈ જઈએ અને મોટા થઈએ ત્યારે એમ થાય છે કે શુ કામ મોટા થયા ? કાશ ફરી  નાના થઈ જઈએ .... ભી્ડમા હોઈએ તો એમ થાય કે ક્યાક દૂર શાંત સ્થળે એકાંતમાં નિરાંતે રહીએ .... અને એકલા હોઈએ તો એમ થાય કે પોતાના લોકોની વચ્ચે રહીએ.  well .... પણ એકલા રહેવુ અને એકાંતમાં રહેવુ એમા પણ ઘણો ફરક (ફર્ક) છે.  આપણે જેમની વચ્ચે રહેતા હોઈએ એ ખરેખર આપણા હોય તો એમની સાથે રહેવુ એ સાચેજ મજા છે. છતાંય પોતાની જાત સાથે થોડો સમય ગાળવાની, ખુદની સાથે વાત કરવાની પણ એક અલગ મજા છે ....

એકાંતની વાત નિકળી છે તો એક વાર્તા યાદ આવે છે ..... એકવાર એક સંત ફરતા ફરતા એક શક્તિશાળી રાજાના રાજ્યમા આવે છે.  એટલે રાજા અને રાણી પણ એમને મળવા જાય છે. સંતની સાથે ધર્મ અને ધ્યાનની ચર્ચા કર્યા  પછી રાજા અને રાણી ને એમા વધારે રસ પડે છે અને વધારે ઉંડાણપૂર્વક સંત પાસેથી ધ્રર્મ અને ધ્યાન વિશે જાણે છે. તેમ જ એને જીવનમાં ઉતારવાનો અને એ મુજબ જ જીવવાનો નિર્ધાર કરે છે. રોજ અમુક નક્કી સમય સુધી રાજા અને રાણી ધ્યાન કરવા લાગે છે. અને વધુ ને વધુ પોતાની અંદર ઉતરતા જાય છે. જીવનને , આસપાસની વસ્તુઓ ને સમજતા જાય છે.

એકવાર રોજ ની જેમ જ રાજા અને રાણી ધ્યાન કરીને બેઠા હોય છે ત્યા અચાનક રાણીને પ્રશ્ન થાય છે ...અને એ  રાજાને પૂછે છે કે -"આમ તો આ પ્રશ્ન બહુ વિચિત્ર છે છતા મારા મનનુ સમાધાન કરો અને કહો કે તમે સહુ થી વધારે કોને પ્રેમ કરો છો ?" રાજા વિમાસણમા મૂકાઈ જાય છે. ધર્મના સાચા રસ્તા પર ચાલવાની ટેક લીધી છે તો જુઠ્ઠુ તો બોલાય નહી .... પણ તો યે એ વિચારે ચડી જાય છે ... રાજા પણ વિચારે છે કે આખરે એ સહુથી વધારે શેને પ્રેમ કરે છે ? આજ પહેલા એણે ક્યારેય આ વિષે વિચાર્યુ નહોતુ. એ રાણી પાસે એક દિવસ નો સમય માગે છે અને સામે રાણીને પણ એ જ સવાલ પૂછે છે કે " રાણી તમે કોને પ્રેમ કરો છો સહુથી વધુ ?" 
આખરે બંને નક્કી કરે છે કે ધ્યાન કરતી વખતે મગજ શાંત હોય એટલે ત્યારે જ આનો જવાબ શોધીશુ.

બીજા દિવસે ધ્યાન કર્યા બાદ રાજા રાણીને જણાવે છે કે " માફ કરજો રાણી પણ તમે પૂછેલો સવાલ આજે ધ્યાન કરતા મે મારી જાતને પૂ્છ્યો તો મને જાણવા મળ્યુ કે હુ સહુથી વધારે મને જ પ્રેમ કરુ છુ. હુ જે કઈ પણ કરુ છુ એ મને સુખ મળે છે, શાંતિ મળે છે, આનંદ મળે છે , સંતોષ મળે છે એટલે જ કરુ છુ.....અર્થાત હુ મને જ સહુથી વધુ ચાહુ છુ " ......................... રાણી કહે ," આશ્ચર્ય ! પણ મે પણ ધ્યાન કરતા કરતા મારી જાતને આ સવાલ પૂછ્યો તો મને પણ ખબર પડી કે હકીકત મા હુ પણ મારી જાતને જ સહુથી વધારે પ્રેમ કરુ છુ ...".........

" માણસ ખરેખર ખુદને જ સહુથી વધારે ચાહે છે ..... અને એ  જ સાચુ અને યોગ્ય છે. જે ખુદને ચાહી ના શકે એ બીજાને તો કેવી રીતે ચાહી શકે ?" .....  કોઈ ની ખુશી માટે ક્યારેક કોઈ પોતાની ખુશી જતી કરે છે એ વાત સાચી .... પણ એ ખુશી જતી કરવા પાછળ પણ ખુદ ને જ આત્મસંતોષ આપવાની ભાવના રહેલી હોય છે ને! તો એમા પણ અલ્ટીમેટલી તો પોતાની જાતને ચાહવાની  વાત આવીને! ...  આપણે જે કંઈ કરીએ છીએ એ આખરે તો ખુદને જ કેંન્દ્રમા રાખીને કરીએ છીએ ને! જાતથી અળગા થઈને તો ભલા ક્યા જઈ શકવાના! .... "
anyways,  વધુ પડ્તી ફીલોસોફી અહી ગદ્યમા છલકાઈ જાય  એ  પહેલા  પદ્યમા આ  philosophical poem :)

એક પણ પગલું- સગડ મૂક્યા વિના, અવગત થઈને,
આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને ?

ગેરહાજર રહીને પણ ચોમેર ચર્ચાયા કરે એ,
નોંધ લેવાયા વિનાનો હું ફરું છું વ્યક્ત થઈને.

ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
હું ગુમાવું છું ઘણું - હદથી વધારે,  પુખ્ત થઈને.

સાંજનું ખાલીપણું, કાયમનું દુશ્મન છે, છતાંયે
કૈં સભર બનવાની તક મળતી રહે છે, રિક્ત થઈને.

ગત જનમનાં બીજ, અંકુરિત થવાની શક્યતા છે,
એક જણ, મારી નસોમાં, વહી રહ્યું છે, રક્ત થઈને.....

- હિતેન આનંદપરા

Thursday, June 16, 2011

તારી ને મારી જ ચર્ચા ..

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!

આપણે એકાંતમાં ક્યારેય ભેગા ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!

આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!

આપણે તો પ્રેમનાં અરમાન પુરવાના હતા,
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!


- ખલીલ ધનતેજવી

ચંદ્ર પરની ચપટી ધૂળ પણ મોંઘી પડે ! – by વિનોદ ભટ્ટ

આજે ચંદ્રગ્રહણ છે.  આખી દુનિયા હાલ એની જ વાત કરે છે. તો આજે  ચંદ્ર  ચર્ચા   ...  :-) ... ના ભાઈ આપણે કોઈ સાયન્ટિફીક ચર્ચા કે " તમારો ચંદ્ર નબળો છે કે સબળો ..." એવી જ્યોતિષ ચર્ચા પણ નહી ... ચંન્દ્ર પર પ્રથમવાર પગ મૂકતી વખતે આમ્ર સ્ટ્રોંગ ના શુ એક્શન - રીએક્શન હતા એ વિનોદ ભટ્ટના શબ્દોમા ... અને ચંદ્રની વાત હોય અને ગઝલ ના હોય એમ બને ! ... 

 તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !..... 

1969ની વીસમી જુલાઈએ નીલ આર્મસ્ટ્રૉંગે ચન્દ્ર પર પગ મૂક્યો ત્યારે અમે અમારાં ધાબામાં સૂતાં સૂતાં ચન્દ્ર સામે તાકી રહ્યા હતા – એ તપાસવા કે ચન્દ્ર પર કોઈ માણસ ચાલતો દેખાય છે ? એક સજ્જન એ વખતે કહેતા હતા કે સારું છે કે આજે સુદ બીજ છે, બાકી એ લોકો અમાસના દિવસે જશે તો તેમને મુસીબત થશે, ચન્દ્ર જડશે જ નહીં…. ખરેખર તો તેમણે પૂનમની રાતે જ ત્યાં ઊતરવું જોઈએ – બધું બરાબર જોઈ તો શકાય ! અમેરિકી સમય પ્રમાણે રાત્રે દસ ને ઓગણચાલીસ મિનિટે આર્મસ્ટ્રૉંગે ચન્દ્ર પર પહેલાં પોતાનો ડાબો પગ મૂક્યો હતો ત્યારે ચન્દ્ર પર દિવસ હતો. ત્યાંનો એક દિવસ આપણા ચૌદ દિવસ જેવડો મોટો છે – આનો અર્થ એવો થાય કે ત્યાં જો માણસો વસવાટ કરે ને સરકારી કચેરીઓ સ્થપાય તો કર્મચારીઓનો પગાર દર બે દિવસે કરવો પડે. આપણા ફેબ્રુઆરી મહિનાની જેમ ત્યાં અઠ્ઠાવીસ દિવસનો મહિનો ગણાય. લેણદાર પાસેથી બે દિવસના વાયદે લીધેલ પૈસા અહીં અઠ્ઠાવીસ દિવસ સુધી વાપરી શકાય. આમ તો અહીંથી (એટલે કે અમેરિકાથી) ત્રણ વિજ્ઞાનીઓ ચન્દ્ર પર ગયેલા, પણ ચન્દ્ર પર પગ મૂકવાનું સદભાગ્ય તો નીલ આર્મસ્ટ્રૉંગ અને એડવિન એલ્ડ્રીનને જ મળ્યું. સાથે હોવા છતાં માઈકલ કૉલિન્સના ભાગ્યમાં તો યાનમાં જ બેસીને ‘બોર’ થવાનું આવ્યું. લાવ, જરા બહાર નીકળીને પગ છૂટો કરી આવીએ કે આસપાસ કોઈ પાનનો ગલ્લો હોય તો એકસોવીસનો માવો (કિમામ જ્યાદા) ખાઈ આવીએ એવું મન તે ન કરી શક્યો – આનું નામ નસીબ ! – ચંદ્ર પર હોવા છતાં તેના પર પગ કે માથું ટેકવવાની ખુશનસીબી તેને ન મળી. આર્મસ્ટ્રૉંગ જ્યારે 18-20 વર્ષનો હશે ત્યારે તેની કુંડળી કે હથેળી જોઈને જ્યોતિષીએ તેને કહ્યું હોત કે તારો ચન્દ્ર અતિ બળવાન છે, એક દિવસ એવો આવશે જ્યારે તું સાક્ષાત ચન્દ્રને મળી શકીશ, તો આર્મસ્ટ્રૉંગે એને ગપ્પું માની મજાક ઉડાવી હોત, પણ હવે તે જ્યોતિષીઓને પૂછતો હશે કે જુઓ ને, મારે મંગળગમનનો યોગ છે કે નહીં ?

 ચન્દ્રયાન ‘ઈગલ’માંથી બહાર નીકળવા અગાઉ બારણું ખોલવા આર્મસ્ટ્રૉંગ તૈયાર થયો ત્યાર પહેલાં તેણે બહાર જવાનો પોશાક પહેરી લીધો હતો – ભલે આપણને કોઈ ઓળખે – ન ઓળખે પણ કપડાં તો વ્યવસ્થિત પહેરવાં જોઈએ ને ! સવાલ પૃથ્વીની આબરૂનો હતો. કાશ્મીરમાં હિમવર્ષા વખતે આપણે જેમ શરીરને ગરમ કપડાં-ધાબળા વગેરેથી ઢાંકી દઈએ છીએ એ રીતે તેણે સમદબાણનો પોશાક પહેરીને શરીરને મૂનપ્રૂફ બનાવી દીધું હતું. કહેવાય છે કે ચન્દ્ર પર ઑક્સિજનનું નામ નથી. ચન્દ્ર પર હવા પણ નથી (ત્યાં પતંગ ચડાવી શકાય નહીં). એટલે વાતાવરણના યોગ્ય દબાણ વિના અને પ્રાણવાયુ વગર ચન્દ્ર પર માણસ તરત જ ગુજરી જાય. આપણે મરવા માટે ડૉક્ટરની મદદ લેવી પડે છે – ત્યાં એવી જરૂર ન પડે, એમ જ ઊકલી જવાય. ચન્દ્ર પર ગરમી તેમજ ઠંડી અસહ્ય છે – એ.સી., આઈસ્ક્રીમ ને બરફનો ધંધો ધમધોકાર ચાલી શકે, ગરમ કપડાંનો પણ. ના છત્રી, રેઈનકોટના ધંધાવાળા ભૂખે મરે.

આર્મસ્ટ્રૉંગ અહીંથી કૅમેરો લઈ ગયો હતો, પણ ફોટા પાડતાં પહેલાં ત્યાં તે કોઈને ‘સ્માઈલ પ્લીઝ’ કહી શક્યો નહોતો. ચન્દ્ર પરથી તેને એફિલ ટાવર કે તાજમહાલ દેખાયા નહોતા. હા, ચીનની દીવાલ જોઈ શકેલો. આયરિશ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉએ ચીનની દીવાલ પ્લેનમાં ઊડીને જોઈ હતી. પત્રકારોએ તેને પૂછ્યું હતું કે ચીનની દીવાલ તમને કેવી લાગી ? – ત્યારે તેણે કહેલું કે દીવાલ જેવી લાગે એવી આ દીવાલ લાગી હતી, એમાં બીજું શું લાગે ! – અમારા જેવો દોઢ ડાહ્યો ત્યાં હાજર હોત તો શૉને પૂછત કે પેલી કહેવત પ્રમાણે ચીનની દીવાલને કાન હતા ? પૃથ્વી કરતાં ચન્દ્ર પર છઠ્ઠા ભાગનું જ ગુરુત્વાકર્ષણ છે, આ કારણે આર્મસ્ટ્રૉંગનું વજન પણ પૃથ્વીના મુકાબલે છઠ્ઠા ભાગનું થઈ ગયું હતું. આ હિસાબે ચન્દ્ર પર ગધેડા ફાવી જવાના. અહીંના કરતાં ત્યાં તે વધુ માટી પોતાની પીઠ પર ઉઠાવી શકશે, મજૂરી પણ વધુ પામશે. જોકે એ તેના માલિક લઈ લેશે….. શોષણ તો ચન્દ્ર પર પણ થવાનું.
પતિ બહારગામથી આવે ત્યારે તેની પત્ની રિવાજ મુજબ પૂછતી હોય છે કે મારા માટે શું લઈ આવ્યા ? – એ રીતે ચન્દ્ર પરથી પાછા ફરેલા આર્મસ્ટ્રૉંગની સ્ત્રીએ પણ તેને પૂછ્યું હશે કે 3,65,192 કિલોમીટર ફરી આવ્યા, ત્યાંથી મારા માટે શું લઈ આવ્યા ? ‘ધૂળ.’ આર્મસ્ટ્રૉંગે હસીને જવાબ દીધો હશે ત્યારે ખીજમાં તે સ્ત્રી બોલી હશે : ‘આ તો પાઉડર જેવી ઝીણી માટી છે, આનાથી તો વાસણ પણ ન મંજાય…’ એ સ્ત્રી સામે દયાથી જોતાં તે વિચારતો હશે કે આને બાપડીને ક્યાં ખબર છે કે અડતાલીસ રતલ માટીનાં ઢેફાં ઊંચકી લાવવાનો ખર્ચ 38,400 કરોડ ડૉલર થયો છે – આમાંની ચપટી ધૂળ કેટલાની થાય ? જોકે આર્મસ્ટ્રૉંગે ચન્દ્ર વિશે બહુ વાતો નથી કરી. આ અંગે તે કોઈને ઈન્ટરવ્યૂ આપતો નથી – ચન્દ્ર પર તે પોતાનો અબાધિત અધિકાર ભોગવવા માગતો હોય એમ બને. પણ બાકીના બે યાત્રીઓને ચન્દ્ર બરાબરનો ચડી ગયેલો. એક માનસિક રીતે ચન્દ્ર પર રહેવા ઈચ્છતો હોય તેમ દારૂની લતે ચડી ગયેલો ને બીજાએ ત્રણ વખત લગ્ન કર્યાં છે.

ચન્દ્રને પાગલપણા સાથે સીધો સંબંધ છે એમ કહેવાય છે. .... 

- વિનોદ ભટ્ટ ...
આભાર - readgujarati.com

સાચે જ ચંન્દ્રને પાગલપણા સાથે સીધો સંબંધ હોય એમ લાગે જ  છે ....

અને છેલ્લે ...

હુ ય સૂર્ય છુ, હુ ય ચંદ્ર છુ
હુ ઉગી જઈશ મને પ્રેમ કર..
હુ નથી જ સુંદર તે છતા,
હુ ગમી જઈશ મને પ્રેમ કર. ....

Tuesday, June 14, 2011

કોને ખબર ? ....

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

- રમેશ પારેખ
( આભાર - "લયસ્તરો")

આજ રચના પરથી શ્રી બિમલ દેસાઈ ‘નારાજ’ એ કરેલી રચના ... 

કોણ કોને ઝંખે છે કોને ખબર?
હું તને કે તું મને કોને ખબર?

કોણ આવે છે રદીફ કાફીયા બની?
કોણ ગઝલમાં ઝળહળે કોને ખબર?

લ્યે હથીયાર મેં નીચે મુકી દીધા.
તોયે જીત્યો કોના બળે કોને ખબર?............


(આભાર "સહિયારુ સર્જન"  )

Sunday, June 12, 2011

કેટલાક માણસો ...Article

સૌ સમયના વહેણમાં વહેતાં રહે છે એ રીતે
જેમ નદીઓને સતત વહેવું પડે છે ઢાળમાં ! ....
- ભરત વિંઝુડા
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો......

-રતિલાલ ‘અનિલ’


કેટલાક માણસો સાવ સુક્કા ઘાસ જેવા હોય  છે.
તેઓ ભારામા બંધાઇ શકે છે, ભેસનો આહાર બની શકે છે,
અને ઝટઝટ બળી શકે છે, પરંતુ ખીલી શક્તા નથી.
ગમાણમા પડેલા સુક્કા ઘાસને ભારે નિરાત હોય છે, ન ખીલવાની નિરાત !

ધ્રુવ પ્રદેશ ના થીજી ગયેલા બરફ ને નિરાત હોય છે.
એ વહી જવાની ઉપાધીથી મુકત હોય છે.

ખાબોચિયુ સુકાઈ શકે છે પણ વહી નથી શકતુ.
ઝરણુ સદાય વહેવાની ધુન મા હોય છે.
પ્થ્થરો સાથે અથડાતા રહી ને એ વ્હેવાનુ ચાલુ રાખે છે.
પ્રત્યેક પગથિયે પહાડી ઝરણુ પોતાની જાત ને જોખમમા મૂકતુ રહે છે.
એના આવા સાહ્સ માથી જ સંગીત પેદા થતુ હોય  છે.
આ વિશ્વમા જ્યા અને જ્યારે કશાક પ્રકારનો સંઘર્ષ 
લયબધ્ધ બને ત્યારે જ 
સંગીતનુ નિર્માણ થતુ હોય છે.
સંગીત એટ્લે  સંઘર્ષનો મોક્ષ...
ખાબોચિયા અને ઝરણા વચ્ચે જીવતી માણસજાત 
સતત કોને અનુસરવુ તેની વિમાસણમા જ જિદગી પૂરી કરતી આવી છે.
ખાબોચિયાની સલામતી એટ્લે મ્રુત્યુ પહેલા જ મરી જ્વાની જડ્બેસલાક, બંધિયાર અને ગંદી વ્યવસ્થા.

ઝરણાની બિનસલામતી એટ્લે જિવાય ત્યા સુધી જીવી જ્વાની મંગલમય અવ્યવસ્થા.


- by ગુણવંત શાહ

અને છેલ્લે ....

પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
શોધ, ભાષI તું પ્રથમ શબ્દો વગરની....
- રમેશ પારેખ
 

Friday, June 10, 2011

સંજોગ જોઇએ ...

સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઇએ,
સાચું પૂછો તો ભાગ્યમાં કોઇ યોગ જોઇએ!

એમ સમજાશે નહીં કિંમત શી મિલનની,
રામ-સીતાના જેવો વિરહ ને વિયોગ જોઇએ!

કષ્ટ વિના સાધના ફળતી નથી કદી,
શીલાની અહલ્યા થવાં કોઇ સંયોગ જોઇએ!

કર્મનાં કાજળ ન ગંગાજળથી ધોવાતાં,
જીવનમાં સત્યનાં સદા પ્રયોગ જોઇએ!

યુધ્ધમાં તલવાર તો કોઇની સગી નથી
મિત્ર યા શત્રુ સહુનો ભોગ જોઇએ!

પામવાં મૃત્યુ ‘રવિ’ આખરમાં કુદરતી,
જેની દવા મળે નહીં એ રોગ જોઇએ! -------- 

- રવિ ઉપાધ્યાય

Thursday, June 9, 2011

પત્ની એટલે પત્ની ........( કંઈક હળવુ હળવુ ...)

પત્ની એટલે પત્ની .........

લોઈડ રોઝન ફિલ્ડે લખ્યું છે કે
મારા લગ્નજીવન દરમિયાન માત્ર બીજી વાર કાર્પેટ ઉપર મારાથી સિગારેટની રાખ પડી ગઈ કે તરત જ મારી પત્નીએ કહ્યું, “કાયમ કાર્પેટ ઉપર જ રાખ નાખવાનું તમે નક્કી કર્યું છે?”

લોઈડ રોઝનફિલ્ડ કહે છે કે, એની પત્નીએ કાર્પેટ ઉપર કાયમ સિગારેટની રાખ નાંખવાનો એના ઉપર આક્ષેપ મૂક્યો એટલે એણે એને થોડી સમજ આપવાનો નિશ્ચય કર્યો. અને થોડા દિવસ પછી એક ટ્રકમાં બે ટન રાખ મંગાવીને એના મકાનના કમ્પાઉન્ડમાં ઢગલો કરાવ્યો. ટ્રક ખાલી થઈને પાછી ફરી ગયા પછી એણે એની પત્નીને બોલાવીને રાખનો ઢગલો બતાવ્યો.
“આ બધું શું છે?” પત્નીએ નવાઈથી પૂછયું.
અને રોઝનફિલ્ડને બરાબર તક મળી ગઈ. “એ રાખ છે - એક હજાર ચારસો ઓગણચાલીસ રતલ. ઘણી ગણતરી કર્યા પછી મેં નક્કી કર્યું છે કે, તું કહે છે એ પ્રમાણે રોજ હું કાર્પેટ ઉપર સિગારેટની રાખ નાખતો હોઉં તો એનો આવડો ઢગલો થાય!”

પત્ની રાખના ઢગલા સામે તાકી રહી. “ઓ ભગવાન ! સારું થયું ને કે મેં એ બધી રાખ સાફ કરીને બહાર ફેંકી દીધી!”

રોઝનફિલ્ડ મૌન!

અને રોઝનફિલ્ડની પત્ની કાંઈ એક અને અજોડ હોય એવું તો બની શકે નહીં
એ    કોઈ ખાસ વિશિષ્ટ નથી. બીજા પુરુષોને પણ એવી પત્ની હોઈ શકે છે................................................................


“તમે કાયમ બાથરૂમનો નળ ખુલ્લો મૂકી દો છો.”

“કાયમ રાત્રે મોડા આવો છો.”

“કાયમ મિત્રો સાથે ગપ્પાં મારો છો.”

આવું તો ઘણાં પુરુષોએ ઘણી વાર સાંભળ્યું હશે. 

પણ, “તમે કાયમ પહેલી તારીખે પગાર લાવો છો.” કે “અવારનવાર મારી સાથે પિક્ચર જોવા આવો છો.” એવું ક્યારેય નહીં સાંભળ્યું હોય.

એક વાર એક ભાઈ પત્નીને લઈને એક મિત્રને ત્યાં જવા ઉપડયા. સરનામું પાક્કું હતું, પણ એ લત્તામાં કેટલાંક નવાં મકાનો બની ગયાં હતાં. દસેક મિનિટ આંટા માર્યા છતાં મિત્રનું ઘર ન મળ્યું. એટલે પત્નીએ કહ્યું, “તમે કાયમ ઘર ભૂલી જાઓ છો.”

“કાયમ?” (એ વખતે. મોબાઈલ ફોન શોધાયા નહોતા, નહીં તો ફોન કરીને મિત્રને પૂછી શકત.)

“હા. કાયમ”. પત્નીએ કહ્યું.

“છેલ્લે હું ક્યારે ભૂલી ગયેલો?”

“ગયે વર્ષે ધીરુભાઈ કટલેરીવાળાની દુકાન નહોતા ભૂલી ગયા?”

“અરે, એમણે તો દુકાન જ કાઢી નાખેલી મને એ ખબર નહોતી.”

“પણ મારે તો તમારી સાથે આ રીતે જ કલાક રખડવું પડેલું ને?”

પેલા ભાઈ પૂછી ન શક્યા કે કોને કોના માટે રખડવું પડેલું? એમણે માત્ર ઘડિયાળમાં જોયું ને ચૂપ થઈ ગયા.

“સુકેશી, આજે મારા બોસનો જન્મદિવસ છે. આજે હું વહેલો ઘરે નહીં આવી શકું.” પતિએ ફોન કર્યો.
“તમે આ રીતે કાયમ મોડા ઘરે આવો એ બરાબર ન કહેવાય.”
“કાયમ ક્યાં આવું બને છે?”
“આફ્રિકાથી તમારા પેલા મિત્ર આવેલા ત્યારે પણ તમે મોડા ઘરે આવ્યા હતા.”
“પણ એને તો ચાર વર્ષ થયાં.”
“થયાં હશે પણ મને કાયમ આ રીતે એકલા રહેવું ગમતું નથી.”
કોઈની પત્નીને એકલા રહેવું ગમતું નથી. છતાં પોતાની બહેનપણી સાથે ખરીદી કરવા જતી વખતે એ પોતાના પતિને આગ્રહ કરીને સાથે લઈ જતી નથી.
“મહેન્દ્રકુમારને ત્યાં સરસ સાડીઓ આવી છે!”
“પણ સાડી તો હમણાં જ ખરીદી છે ને?”
“હમણાં એટલે?”
“ગયા મહિને”
“તમે પણ ખરી અતિશયોક્તિ કરો છો! ગયે મહિને એટલે હમણાં કહેવાય?”
પતિને માથું ખંજવાળવું પડે છે.
અને છતાં પુરુષો પત્ની વિના જીવી શકતા નથી....    

-   from  the article of  મોહમ્મદ માંકડ,

Wednesday, June 8, 2011

તારા ગયા પછી ....

તારી સાથે કરેલી વાતો
મેં કદી સમયને સોપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠેકઠેકાણે
પુરાણા વારસા સાથે
નવી ઈમારતોથી
ભરાતા રહેલા આ શહેરમાં
મન ટેકવવાની જગ્યાઓ

સમુદ્ધ ઊઠળી ઊછળીને
સાક્ષી પુરાવે છે
અને જ્યાં આપણે બેસતા
એ કાળમીંઢ પથ્થર પર
સમયનું કશું ચાલતુ નથી.
તારી સાથે વીતેલી સાંજ
મેં કદી ઢળતા સૂરજને આપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠંડી હવા વચ્ચેથી
તારા ઉષ્ણ ઉચ્છવાસ

તારી સાથે ચાલતા
એ રસ્તાને મેં કદી
મુકામને હવાલે કર્યો નથી
એટલે જ તો….........

- અશ્વિની બાપટ

Monday, June 6, 2011

હવે તો ધરુ વૃક્ષનુ ધ્યાન ! ...


કોઈ વ્રુક્ષ કપટી નથી હોતુ
કોઈ પંખી ભ્રષ્ટ નથી હોતુ
કોઈ વાદળ કંજુસ નથી હોતુ
પર્વત જેટ્લો ઉંચો,
તેમ એની ખીણ ઉંડી.
મહાસાગર ગહન - ગંભીર ખરો
પણ એનો ઉમળ્કો તો અનંત 
તરંગરાશિ પર સદાય ઉછળતો જ રહે છે.
નદીના હ્ર્દયમાં ભેદભાવ નથી હોતો
સાધુ જેવા દેખાતા ગમે તે માણસોનો
ચરણસ્પર્શ કરવા માટે પાગલ બનીને 
પડાપડી કરનારા લોકોને
ઉપર ગણાવ્યા તેવા
ભવ્ય અને દિવ્ય ગુરુસ્થાનો
નજરે નહી પડતા હોય ???
 
- ગુણવંત શાહ


ગઈકાલે ૫ જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ હ્તો. જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યુ છે એ જોતા હવે દરેક દિવસ "પર્યાવરણ દિન" તરીકે જ ઉજવવો જોઈએ.... પાડ માનો કુદરતનો કે હવા, પાણી, ઉજાસ, લીલોતરી, પંખીઓના મીઠા ટહુકા .... આ બધા માટે આપણને બિલ નથી ભરવા પડતા...... અને એટલે જ આપણને એની કીંમત નથી રહી..... કે પછી ક્યારેક અંગત લાઈફની દોડાદોડીમા આ બધા ખજાનાને માંણવાની અને એની સંભાળ રાખવાની ફૂરસદ નથી રહી ..... પણ હાલ તો હવે પૃથ્વીની એ સ્થિતિ થઈ ગઈ છે કે "આપણે બચવુ હશે તો જખ મારીનેય પર્યાવરણ ને બચાવવુ પડશે... " 


કહેવાય છે કે પુસ્તક એક ઉત્તમ મિત્ર છે. તો પછી વૃક્ષ પણ એક ઉમદા સ્વજનથી કંઈ ઓછુ નથી. જેટલુ જગતના આ વાતાવરણ પાસેથી આપણે જીવનભર લઈએ છીએ એનુ ઋણ ચુકવવુ તો અશક્ય છે... એના બદલામા એના જેટલુ જ કઈક આપવુ પણ અસંભવ છે. પરંતુ એક વૃક્ષ વાવીને, આપણી આસપાસ વસતા પશુ- પંખીઓને ઓછા કનડીને, પ્રમાણસરની વીજળીને - પાણી વાપરીને આપણે થોડુ તો યોગદાન આપી જ શકીએ. એ આપણી ફરજ અને ધર્મ બંને છે ........ સાચે જ લેખક ગુણવંત શાહ સાચુ કહે છે કે જેણે જીવનભર એક પણ વૃક્ષ નથી વાવ્યુ એ  વાસ્તવમા વાંઝીયા જ છે ....

અને છેલ્લે ...



પથ્થરના આલય નહી, દેજે હર્યાભર્યા મેદાન,
હવે તો ધરુ વૃક્ષનુ ધ્યાન  !
લીલોછમ અવતાર ધરીને ઊભા સ્વયમ ભગવાન,
હવે તો ધરુ વૃક્ષનુ ધ્યાન  !

ફળ આપ્યા કોને ને કોને દીધી મહેકની છાબ,
કહો કદી વૃક્ષોએ રાખ્યો એનો ક્યાય હિસાબ ?
કેટકેટલા પંખી આવે બેસે ભરે ઉડાન,
હવે તો ધરુ વૃક્ષનુ ધ્યાન  ! ...
- કૃષ્ણ દવે

Friday, June 3, 2011

दिल का सारा प्यार लिखूँ....

सावन अब बांट रहा ग्रीष्म की तपन,
बदल रहे है मौसम के सभी समीकरण। ........ 

ધોમ ધખતા તાપ પછી પહેલા પહેલા વરસાદની વાત જ નિરાળી છે ........ વરસાદ એ ઘરમા કે લાયબ્રેરીમા બેસીને વર્ણન કરવાની કે વર્ણન વાચવાની વસ્તુ નથી. એ તો મંદિરમા જેવી શ્રધ્ધાથી પ્રસાદ લેવાય એવી જ શ્રધ્ધાથી  ખુલ્લા આકાશમાથી વરસતી પવિત્રતામા મન મૂકીને ભીજાઈ જવાની અદભુત ઘટના છે ..... એ અનુભવવાની વસ્તુ છે... અને  આજે  અહી એ અદભુત ઘટના ઘટી છે. આઈ મીન ઉનાળાના સખત તડકા પછી આખરે વર્ષારાણીની સવારી આવી જ પહોચી .... સો લેટ્સ સેલીબ્રેટ ..... Happy Monsoon ..... પણ વરસાદના આ આગમનના આનંદમા લખવુ તો શુ લખવુ ?? ........ કંઈક આ જનાબ જેવી જ મુંઝ્વણ થાય છે ..... 

कुछ जीत लिखूँ या हार लिखूँ..
या दिल का सारा प्यार लिखूँ..

कुछ अपनो के ज़ज़बात लिखूँ या सपनो की सौगात लिखूँ..
मै खिलता सुरज आज लिखूँ या चेहरा चाँद गुलाब लिखूँ..

वो डूबते सुरज को देखूँ या उगते फूल की सांस लिखूँ..
वो पल मे बीते साल लिखूँ या सादियो लम्बी रात लिखूँ..

सागर सा गहरा हो जाऊं या अम्बर का विस्तार लिखूँ..
मै तुमको अपने पास लिखूँ या दूरी का ऐहसास लिखूँ..

वो पहली -पहली प्यास लिखूँ या निश्छल पहला प्यार लिखूँ..
सावन की बारिश मेँ भीगूँ या मैं
आंखों की बरसात लिखूँ..

कुछ जीत लिखूँ या हार लिखूँ..
या दिल का सारा प्यार लिखूँ.................

— दिव्य प्रकाश

---------------------
रिश्ता उस से इस तरह कुछ मेरा बढ़ने लगा
मैं उसे लिखने लगा तो वो मुझे पढ़ने लगा

तेरे दर्द का ख़याल मुझ तक आया जो कभी
सावन का बदल मेरी आँख में भरने लगा.....

 
njoy ...

Wednesday, June 1, 2011

પ્રેમ - દોસ્તી - સ્ત્રી અને શ્રી ચંન્દ્ર્કાન્ત બક્ષી

ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર
હું બચી જઈશ મને પ્રેમ કર... !
બધા વેદ-ગ્રંથ-પુરાણ સૌ
હું કળી જઈશ મને પ્રેમ કર... !
છુ તૂટી જવાની અણી પર
હું ટકી જઈશ મને પ્રેમ કર ... !

---------------------------------------

દુનિયાની કોઈ ભાષા એવી નહી હોય જેમા પ્રેમ અને દોસ્તી પર નહી લખાયુ હોય ....  એમ તો જીવન-મૃત્યુ , સ્ત્રી-પુરુષ, વિશ્વાસ, શ્રધ્ધા, ઈશ્વર    વગેરે વગેરે ... એવા  કેટલાક default ટોપીક્સ છે જેના પર લગભગ બધી ભાષામા રસપ્રદ મંથન થયુ છે.... પણ આજે પ્રેમ - દોસ્તી અને સ્ત્રી પર શ્રી ચંન્દ્ર્કાન્ત બક્ષીના કેટલાક અવતરણો ..........................................

  • સ્ત્રી સાથે દોસ્તી કે દુશ્મની કેમ થઈ શકે ? સ્ત્રીની સાથે માત્ર પ્રેમ થઈ શકે.
  • પ્રેમમા શુ છે અને મૈત્રી શુ છે, એવા પ્રશ્નો આપણે ભાગ્યે જ આપણી જાતને પૂછ્યા છે, પણ શરીરમાં બે ફેફસાં છે એમ માણસની જિંદગીમાં પ્રેમ અને દોસ્તી છે.
  • પ્રેમ વિષે બ્રહ્મચારીથી વ્યભિચારી સુધી દરેકનો પોતાનો એક અભિપ્રાય છે.
  • દરેક પ્રેમની એક જ ભાષા હોય છે : "પ્રામાણીક જૂઠ "!
  • એક ઉંમર હોય છે પ્રેમ થઈ જવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરી લેવાની, અને એક ઉંમર હોય છે પ્રેમની નિષ્ફળતાનો સ્વીકાર કરી લેવાની.
  • જો પ્રેમ મહાન પ્રેમી પુરુષ છે તો એના માથામાં એક સ્ક્રૂ લૂઝ હોવો જોઈએ, જો એ સ્ત્રી હોય તો ઘણા સ્ક્રૂ !
  • લવ કરવા માટે કૂદવૂ પડે અને ગોઠણ છોલાય ત્યારે ઉર્દુની ઈશ્કિયા શાયરી કામ આવતી નથી. પાનવાળાની દુકાને ઉભા રહીને આદમક્દ આયનામાં જોઈને વાળ ઓળતા ગોરાચિટ્ટા સુંવાળા નવરાઓ માટે ઉર્દૂના શેર ચરક્તા રહેવું ઠીક છે, બાકી લવ એ જુદી ચેલેન્જ છે. એમાં થોડાં મર્દ બનવુ પડે છે!
  • મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌધ્ધિક છે.
  • ગુજરાતી પુરુષ બિચારો પ્રેમ કરે પણ સામાન્ય દ્વિપગી જવાન મનુષ્ય બાથરુમની બહાર નિકળીને પણ ગાવું, ગુનગુનાવું ચાલું રાખે તો સમજવું કે એ રોમાંસિત અવસ્થામાં છે. આજકાલની પેઢીને જુમ્મા ... ચુમ્માની હ્રદયવિદારક ચીસો પાડવી પડે છે. ૭૦ એમ. એમમાં ભુસકા મારવા પડે છે. પ્રેમ એ સરકસના અંગકસરતના ખેલ કરવા જેવો એક કઠિન વ્યાયામ બની ગયો છે.
  • સૌથી મોટી ટ્રેજેડી 'નોટ ટુ લવ ' નથી, પણ 'નોટ ટુ બી લવ્ડ" છે .  આપણે કોઈને પ્રેમ ન કરીએ એ ટ્રેજેડી નથી, કોઈ આપણને પ્રેમ કરતું નથી એ ટ્રેજેડી છે.
  • પ્રેમ કરતાં કરતાં કોઈ દિવસ કોઈને શરદી લાગતી નથી.
  • પ્રેમને લિપિ, ભાષા, ધ્વનિ, સ્વર જેવાં પરાવલંબનોની જરુરત નથી, એ નિ: શબ્દ, અ-સ્વર હોઈ શકે છે. કદાચ ' આઈ લવ યુ ..... ' ન કહેવુ પડે એને જ પ્રેમ કહેતા હશે.
  • પ્રેમ માણસને હું કેદમાથી મુક્તિ આપે છે. જે સંબંધમાં બીજો આપણા માટે કે આપણા જેટલો જ અથવા આપણાથે વિશેષ મહત્વ્નો બની જાય એને પ્રેમ કહેતા હશે ...પ્રેમ જ્યારે વેદનાની ચમક પહેરીને આવે છે ત્યારે તે ગજબનાક ખટ્ટો મીઠો સંતોષ આપી જાય છે.
  • પ્રેમનુ ગણિત કે રસાયણ નથી. પ્રેમમાં મિકેનિક્સ કે મેથેડોલોજી ન હોઈ શકે પ્રેમ કદાચ સંગીતની જેમ ફેલાઈ જાય છે. વિસ્તરતો જાય છે. ઈમ્પ્રોવાઈઝ થતો જાય છે.
- ચંન્દ્ર્કાન્ત બક્ષી

--------------------------------
અને છેલ્લે ....

હોઠ પર તાળાં હશે તો ચાલશે
આંખમાં તોફાન હોવું જોઈએ...

તું અઢી અક્ષરમાં બાંધી રાખ મા
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ .... (જિગર જોષી "પ્રેમ")