Saturday, December 31, 2011

Good bye 2011 and Welcome 2012 ...

કાઉન્ટ ડાઉન શરુ થઈ ચૂક્યુ છે ૨૦૧૧ ના વર્ષને વિદાય થવામાં હવે થોડા કલાકોની વાર છે. થોડી સારી અને થોડી માઠી એવી યાદો,  થોડા ઝગડા, થોડો પ્રેમ , થોડી મસ્તી અને થોડી ભક્તિ ............ એ બધાને ત્યાં જ મૂકીને નવા આનંદ અને નવી યાદો, નવા ઝગડા અને થોડો વધુ પ્રેમ ..... બધા સાથે ૨૦૧૨ને લાગણી ભીનો આવકાર ...... અને એ સાથે અંકિત ત્રિવેદીનો આ પ્રભુને પત્ર. વર્ષના છેલ્લા દિવસે મારે પણ પ્રભુ ને આ જ કહેવાનુ છે. ......

પ્રિય પ્રભુ,
અમારા ચહેરા પર ઉલ્લાસ જોવા ઈચ્છતો હોય તો આટલું કરજે જ...
કોઈપણ પ્રકારની હિંસા કરવા માગતા મનુષ્યના હ્ર્દયમાં
વૃક્ષારોપણ કરવાનુ સપનુ ઉછેરજે ...

ઘરડાં મા-બાપને દિકરો વૃધ્ધાશ્રમમા મૂકી આવે
એ પહેલાં તારી પાસે બોલાવી લે જે ...
એમની આંખોમાં
ઝાંખાપાંખા થઈ ગયેલા વર્ષોની આબરુ જાળવી લેજે ...

પ્રેમલગ્ન કર્યા પછી પણ છૂટા પડવા માગતા બે હૈયાને
પ્રેમની અદબ જાળવીને  છુટા પાડવામાં મદદ કરજે ...

વરે ઘડીએ તારી પાસે આવીને
હાથ લાંબો કરનારા માણસોને જીવનમાં
સ્વાવલંબી બનવા માટે આત્મ્વિશ્વાસ આપજે ...
મુશ્કેલીના સમયે ધરીલી ધીરજને શ્રધ્ધાનુ ફળ આપજે ...
ગમતી વ્યક્તિની જોવાતી રાહમાં શબરીની  પ્રતિક્ષા
જેટલી તીવ્રતા ન હોય એ કબૂલ,
પણ એ રાહમાં પ્રમાણિકતાની સુગંધ ઉમેરજે ...

એકબીજાને છેતરી વેતરી વિસ્તરેલા શહેરને
પોતાના 'હોવા ' વિષે શંકા થતી હોય છે ક્યારેક!
ત્યારે તું સંપની ભાષા શીખવાડવા મા મદદ કરજે ...

અમારી ભુલોને અમે નિતિ-નિયમોમાં ઢાંકી દીધી છે,
અમને બિન્દાસ્ત જિવાડવામાં મદદ કરજે ...
આટલુ કહ્યા પછી પણ
અમારે શુ કરવુ એની ખબર પણ ક્યા પડે છે?
આપેક્ષા અને મહત્વકાંક્ષા વચ્ચેના ભેદને તું
રુબરુ મળે ત્યારે સમજાશે ...


લિ.
તારા અંશનો વંશજ ...

Friday, December 30, 2011

કેટલીક અનુભવી વાતો ...

આજે કેટલીક કહેવતો અને કેટલીક અનુભવી વાતો અનુભવી માણસોના મુખે કહેવાયેલી  .....

માણસને ખરેખર સમજવો હોય તો
એ જે નથી કહેતો
અને
કદાચ જે નથી કહી શકવાનો
તે સાંભળવા મથવુ પડે  ...
- જ્હોન પોવેલ

સુખ
એક એવી ચીજ છે,
જે પરસ્પર વહેંચાવા માટે જ
સર્જાયેલી છે ...
- પીઅર કોમીલ

ચોક્ક્સ કઈ ક્ષણે
મૈત્રી રચાઈ ગઈ
તે કહેવનુ આપણા માટે
મુશ્કેલ છે
ટીપે ટીપે પાત્ર ભરાય ત્યારે
છેલ્લે એક જ ટીપુ ઉમેરાય
અને
પાત્ર છલકાઈ જાય છે
એ જ રીતે
માયાળુપણાની હારમાળામાં
છેક છેલ્લે
જે કશુક બને તેનાથી
હ્ર્દય છલકાઈ ઊઠે છે ...
- સેમ્યુઅલ જોન્સન

મિત્ર તેને કહે,
જેની આગળ તમે
હ્ર્દયમાં જે કંઈ હોય તે
ઠાલવી શકો --
દાણા અને ફુસકી, જે હોય તે બધુ જ!
તમને ખાતરી હોય
કે
કોમળ હાથો એને ચાળવાના છે
અને
જે રાખવા જેવુ હોય તે રાખી લઈને
બાકીનુ
કરુણાની ફૂંક વડે ઉડાડી મૂકવાના છે...
- અરબી કહેવત


પ્રેમ માત્ર આપતો નથી, એ ક્ષમા પણ કરે છે...
- સ્પેનિશ કહેવત

Thursday, December 29, 2011

મને કંઈક મારામાં જડતું રહે છે....

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર

Tuesday, December 27, 2011

આજની રાત હું ઉદાસ છું ...

રાત્રિને કહો કે આજે
એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા
ફૂલની પાંખડી માફક એ સામો આવે,
વૃક્ષોને કહો કે એના પર્ણોમાં
એ કોઇ અજબની રાગિણી વગાડે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય -

આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે

બ્રહમાંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં
નેપૂર સાંભળવા છે;
મધદરિયે મોજાંને પહેરાવેલા વલય
મારે ઉતારી લેવા છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા
મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે

મિલના ઊંચા ભૂંગળાને કોઇ ચંદનની
અગરબત્તીમાં પલટાવી દો,
સિમેંટ-કોંક્રિટનાં મકાનોને કોઇ સરુવનમાં
ફેરવી દો;
આંખની કીકીઓને કોઇ ચંદ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઇ સાગરની લહેરોમાં
લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને
મારે ખડખડાટ હસી લેવું છે..............

– હરીન્દ્ર દવે 

તમે પ્રેમ કરવા જેવા માણસ છો? .....

મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઈન્તેઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં.

- બરકત વિરાણી ‘બેફામ’

માણસને સૌથી મોટી ઝંખના શેની હોય છે?
પ્રેમની, લાગણીની, સ્નેહની અને આત્મીયતાની. પોતાના લોકોની લાગણી જ જિંદગીને જીવવા અને માણવા જેવી બનાવે છે. તમે કેટલા સમૃદ્ધ છો તેનું માપ તમને કેટલા લોકો પ્રેમ કરે છે તેના પરથી નીકળે છે અને તમે કેટલા સમજુ અને શાણા છો તેનું માપ તમે કેટલા લોકોને પ્રેમ કરો છો તેના ઉપરથી નીકળે છે.

પ્રેમ કરવો સહેલી વાત નથી.
પ્રેમ કરવા માટે એક હળવાશ હોવી જોઈએ. બધા માણસો પ્રેમ કરી શકતા નથી. જો તમે પ્રેમ કરી શકતા હો તો માનજો કે કુદરતે તમને વિશિષ્ટ શક્તિ આપી છે. પ્રેમ કરવા માટે માણસે પોતાનો ઈગો, ઈર્ષા, સ્વાર્થ, નફરત, નારાજગી અને બીજું ઘણું બધું ઓગાળી નાખવું પડે છે.

માણસ કાચ જેવો પારદર્શક હોવો જોઈએ, જેની આરપાર જેવા છીએ એવા દેખાઈ શકીએ. પારદર્શક બનવા માટે કાચ ઉપર જામી ગયેલા ધૂળના થરોને ધસીને દૂર કરવા પડે. તમને મળીને તમારા લોકોને મજા આવવી જોઈએ. કોઈને પાછું મળવાનું મન થાય એવી રીતે આપણે તેને મળીએ છીએ ખરાં?

દરેક માણસમાં એક વિશિષ્ટ પ્રકારનું તત્ત્વ હોય છે.
 એ તત્ત્વ કાં તો માણસને પોતાની તરફ ખેંચે છે અથવા તો દૂર ફંગોળે છે. કેટલાક લોકો લોહચુંબક જેવા હોય છે અને કેટલાક લોકો ઇલેક્ટ્રિક કરંટ જેવા હોય છે. તેને અડકો ત્યાં જ ઝાટકો લાગે. તમે વિચાર્યું છે કે તમારામાં કયું તત્ત્વ વધુ અસરદાર છે? તમારા લોકો તમારી નજીક આવે છે કે દૂર ભાગે છે? દૂર ભાગતા હોય તો માનજો કે તમારી અંદર કંઈક ખૂટી ગયું છે, તમારી અંદરથી કંઈક ખોવાઈ ગયું છે. તમારે જે બીજા પાસેથી જોઈએ છે એ તમારી પાસે છે ખરાં?

માણસ પ્રેમનો એકરાર કેવી રીતે કરે છે?
આઈ લવ યુ. હું તને પ્રેમ કરું છું. પ્રેમની આ પહેલી શરત છે કે હું તને પ્રેમ કરું છું. કોઈ એવું નથી કહેતું કે હું તને પ્રેમ કરતો નથી પણ હું ઇચ્છું છું કે તું મને પ્રેમ કરે. તમે પ્રેમ કરતા ન હો તો કોઈ તમને પ્રેમ કરતું હશે તો પણ તેનો પ્રેમ તમને સ્પર્શશે નહીં. ઘણી વખત આપણા લોકો તો આપણને પ્રેમ કરતાં હોય છે પણ આપણે જ આપણી જાતને એક કોચલામાં બંધ કરી દીધી હોય છે.

એક યુવાન સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે કોઈ મને પ્રેમ કરતું નથી. તળાવના કાંઠે એક બાંકડા પર બેઠેલા સંતે કહ્યું કે બેસ. સંતે એક પથરો લીધો અને તળાવમાં ફેંક્યો. ડબ દઈને પથરો પાણીમાં ડૂબી ગયો અને તળિયે પહોંચી ગયો. થોડી ક્ષણો પછી સંતે એક ફૂલ લીધું અને તળાવમાં ઘા કર્યો. ફૂલ તરવા લાગ્યું. સંતે કહ્યું કે તરવા માટે ફૂલ જેવા બનવું પડે. તારે તરવું છે પણ બદલાવું નથી. તારામાંથી પથ્થરને હટાવી દે. આપણે દુનિયાને બદલવી હોય છે પણ પોતાને બદલાવું હોતું નથી. દુનિયા બદલાઈ શકે છે, શરત માત્ર એટલી હોય છે કે તેની શરૂઆત આપણાથી થવી જોઈએ.

માણસ તો પોતાને પણ પ્રેમ નથી કરતો.
 જે માણસ પોતાને પ્રેમ ન કરી શકે એ બીજાને શું પ્રેમ કરી શકવાનો? માણસ પાસે દરેક વ્યક્તિના અભિપ્રાય હોય છે, માત્ર પોતાનો અભિપ્રાય જ હોતો નથી. કોઈના પણ વિશે પૂછો તો ફટ દઈને કહી દેશે કે એ માણસ તો આવો છે, એ માણસ તો તેવો છે. ભાગ્યે જ લોકો એવું વિચારે છે કે હું કેવો છું. આપણી જાત માટે પણ આપણે બીજાના અભિપ્રાય ઉપર જ આધાર રાખતા હોઈએ છીએ. કોઈ આપણને સારા કહે તો આપણે હરખાઈ જઈએ છીએ અને કોઈ આપણને ખરાબ કહે તો નારાજ થઈ જઈએ છીએ. કેટલા લોકોને પોતાના વિશે તટસ્થ અભિપ્રાય હોય છે?

સાચું કહેજો, તમને ખબર છે કે તમે કેવા છો?
તમે જેવી તમારી જાતને સમજો છો, એવું જ તમારા લોકો તમને માને છે. તમારો અભિપ્રાય અને એમનો અભિપ્રાય જુદો છે કે સરખો? દરેક વ્યક્તિને પોતાના વિશે ઊંચો અભિપ્રાય જ હોય છે. મહત્ત્વનું એ છે કે એવો અભિપ્રાય તમારા લોકોનો હોવો જોઈએ. પોતાની જાત પ્રત્યે સાચો અભિપ્રાય બાંધવો સૌથી અઘરો છે. સાચો અભિપ્રાય જો સારો ન હોય તો તેને સુધારવો કે બદલવો તેનાથી પણ અઘરું છે.

તમે તમારી જાતને પ્રેમ કરો છો કે પછી તમે જ તમારી જાતને કોસે રાખો છો?
મારી તે કોઈ જિંદગી છે? મારા નસીબમાં જ બધી ઉપાધિઓ લખી છે, હું જ શા માટે? મારી સાથે જ આવું થાય છે! મારી કોઈને પડી નથી, બધા સ્વાર્થનાં જ સગાં છે, બધા મારી ભલમનસાઈનો ફાયદો ઉઠાવે છે, હું જ મૂરખ છું કે બધાં માટે બધું કરું છું, બધા લોકોને જરૂર હોય ત્યાં સુધી જ સંબંધ રાખે છે, કોઈને પ્રેમ કરવા જેવું નથી, આપણે જ ખેંચાયે રાખવાનું? બીજા લોકોએ કંઈ નહીં કરવાનું? આ દુનિયામાં સીધા લોકોનું કામ જ નથી, હરામી સાથે હરામી જ થવું પડે... આપણે આખી દુનિયાને ચોર, લુચ્ચી, લફંગી, સ્વાર્થી, બદમાશ, નાલાયક ચીતરી દઈએ છીએ અને પછી ધીમે ધીમે આપણે પણ એવા થઈ જઈએ છીએ. આપણે જેવા હોઈએ એવા આપણે રહેતા નથી. આપણે હંમેશાં બીજા જેવા જ થઈ જઈએ છીએ. કેટલાક લોકો એવું માને છે કે દુનિયા ભલે ગમે એવી હોય, હું તો જેવો છું એવો જ રહીશ. મારે સારા રહેવું છે, જેને જે કરવું હોય એ કરે. તમે સારા રહેશો એટલે સારા લોકો આપોઆપ તમારી તરફ ખેંચાશે. તમે જેવા હશો એવું જ તમારું વર્તુળ રચાશે. વાદળો કાળાં અથવા ધોળાં હોઈ શકે પણ મેઘધનુષ્ય રંગીન જ હોય છે. વાતાવરણ ગમે એવું હોય મેઘધનુષ્ય એના રંગ બદલતું નથી. આપણી ચામડીનો રંગ એક જ રહે છે પણ મનના રંગો છાશવારે બદલાય છે. ઘડીકમાં ખુશ થઈ જઈએ અને ઘડીકમાં ગુસ્સે થઈ જઈએ છીએ. ઘડીકમાં બધું ગમવા લાગે અને ઘડીકમાં બધું નક્કામું લાગે! આપણે બીજા રંગોમાં એટલી આસાનીથી ઓગળી જઈએ છીએ અને આપણો ઓરિજિનલ રંગ ગુમાવી બેસીએ છીએ. કેટલા લોકો તમારા રંગે રંગાય છે?

આખી દુનિયા સુંદર છે,
આખું જગત સરસ છે, આખી સૃષ્ટિની રચના તમારા માટે જ થઈ છે, કુદરતે દરેક સૌંદર્યનું નિર્માણ તમારા માટે જ કર્યું છે. આખી દુનિયાએ તમને પ્રેમ કરવો છે પણ તમારી એના માટે તૈયારી છે? બધાએ તો તમને પ્રેમ કરવો જ છે પણ તમે પ્રેમ કરવા જેવા માણસ છો? ન હો તો, બની જાવ. બધા આપોઆપ તમને ચાહવા લાગશે. દરવાજો તો ખોલો, પ્રેમ બહાર જ દરવાજો ઉઘડવાની રાહ જુએ છે! 

છેલ્લો સીન

આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો એ આપણી જાત છે.
- લાઈટોન

- Article by કૃષ્ણકાંત ઉનડકટ, from "Sandesh" news paper

Friday, December 23, 2011

સૂરજ ઈન્કમટૅકસ ભરે છે ...

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ
લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને
સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સુરજ પાસે નથી જ કાળું નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે
નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે
આવાં-તેવાં મ્હેણાં-ટોણે, દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી
મિલક્ત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી
સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સશીટ થાય છે રોજેરોજની ટૅલી,
ટૅલી થાવામાં કારણમાં અંતરનો રાજીપો, અહીંયા નથી કોઈની મુરાદ મેલીઘેલી
આભના પેલા મેહેતાજીને લઈ આવો કે અહીંના લોકો ગોટાળાને પ્રેમ કરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

– મુકેશ જોષી

Monday, December 19, 2011

ભીના સમયની આણ...

આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છે
આપને પણ જાણ છે હા, મને પણ જાણ છે.

છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમ
આપણી વાણીનુ પહાડોમાં જરી રોકાણ છે.

દૂર સાથે ચાલીને પાછો વળુ છુ એકલો
આપણી વચ્ચે ગરમ વંટૉળના મંડાણ છે.

ધૂળની ડમરી થઈ પગલાં બધા ઊડી ગયાં
આપણી વીતી ક્ષણોનું આ નવું પરિમાણ છે. 

હું સમયથી પર થવાના યત્ન પણ કરતો નથી
આપણે માથે હજી ભીના સમયની આણ છે ...

- ચિનુ મોદી



Friday, December 16, 2011

સહજ તને હું સ્મરું...

સહજ તને હું સ્મરું
મારી બધ્ધી ખુશીઓ તારી હથેળીઓમાં ધરું

સમય વહે છે જાણે ઝરણું વહેતું ખળખળખળ
રૂનો ઢગલો મને અચાનક લાગે છે વાદળ
સ્મરણોની નૌકામાં બેસી દૂર દૂર હું સરું

મારી બધ્ધી ખુશીઓ તારી હથેળીઓમાં ધરું .......

પળને રોપું તો એમાંથી ઊગે પારિજાત
પંખી મારી સામે બેસી કરે છે તારી વાત
મારું ક્યાં કંઈ ચાલે છે અહીં, સમય કહે તે કરું 

મારી બધ્ધી ખુશીઓ તારી હથેળીઓમાં ધરું ........

- હિતેન આનંદપરા

Monday, December 12, 2011

હરએક માણસ બુદ્ધ છે

એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે
આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે

છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ
ને કહ્યું તારી હયાતિ તો સ્વયં એક યુદ્ધ છે

જેને તે ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે !

જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈપણ ઉંમરની વ્યકિત વૃદ્ધ છે

વિશ્વ એની ગતમાં ચાલે, તારી ગતમાં તું રમેશ
આટલી અમથીક એવી વાત પર તું કૃદ્ધ છે ?

ઊંઘમાં પણ તું રખે રાજી ન થઈ બેસે, રમેશ
એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે ! ................

- રમેશ પારેખ

Thursday, December 8, 2011

સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો..

સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો,
જાગતી’તી શમણાંમાં કેટલીયે રાત, મને તે દિ’ ના લાગ્યો કાંઈ આકરો.

સુણીને મોરલીનો નાદ મધરાતે હું ઝબકીને એવી તો જાગી,
ત્યારથી આ નયણાંને ક્યાંયે ન ગોઠતું ને હૈયાને રઢ એક લાગી;
સખીઓ સૌ સંદેશા કહી કહી થાકી ને તોયે ના આવ્યો કહ્યાગરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.

આવી મળે ને ભલે મારગમાં કોઈ દિ’ તો કાળિયાનું મ્હોંયે નથી જોવું,
યમુનામાં ધીરેથી પડછાયો પાડતો ને મુરલીને જઈને શું કહેવું !
દાણ રોજ રોજ મને આપવાનું મન થાય એવો આ મુલકનો ઠાકરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.

- મણિલાલ દેસાઈ
From: tahuko.com

Wednesday, December 7, 2011

પ્રેમ વ્યક્ત કરવા મોકાની રાહ જોવી જરુરી છે ?

શું માણસને માણસની જરુર માત્ર મુશ્કેલીમાં જ હોય છે ? આવા જ સબજેક્ટ પર કૃષ્ણ્કાંત ઉડનકટનો એક આર્ટિકલ .....

એમ તો હું પણ દુઆ કરતો હતો, પણ ખરી રીતે તો દુઃખો રડતો હતો.
એ જ ડુબાડી ગયા મને મઝધારમાં, જેમના વિશ્વાસ પર હું તરતો હતો...
- હસનઅલી નામાવટી
 

દવાખાને જવું હતું ત્યારે ઘણા લોકો હાજર હતા પણ મારે બગીચામાં ફરવા જવું હતું ત્યારે કોઈની કંપની ન હતી. એક વ્યક્તિએ કહેલી આ વાત છે. તે બીમાર પડયા ત્યારે નજીકના અનેક લોકો આવી ગયા. નો ડાઉટ, એ બધા જ લોકો સારા અને લાગણીશીલ છે. બધાએ પૂછયું કે અમે તમારા માટે શું કરી શકીએ? એક નજીકની વ્યક્તિને કહ્યું કે તારે જાણવું છે ને કે તું મારા માટે શું કરી શકે? તો તું અત્યારે ચાલ્યો જા અને જ્યારે આ કોઈ ન હોય ત્યારે આવજે.

આપણે બધા જ આપણા લોકોને જરૂર પડે ત્યારે ખડે પગે ઊભા રહેવા તત્પર હોઈએ છીએ, પણ મોટા ભાગે આપણને એવું લાગે કે હવે તેને મારી જરૂર છે ત્યારે જ આપણે જતાં હોઈએ છીએ! કોઈને આપણી જરૂર છે એવું નક્કી કરવાવાળા આપણે કોણ? આપણે એવું શા માટે માનતા હોઈએ છીએ કે જ્યારે જરૂર પડે ત્યારે જઈએ એને જ સંબંધ કહેવાય!

માણસને માણસની જરૂર માત્ર મુશ્કેલીમાં જ નથી પડતી, ઘણી વખત કોઈ વાત કરવા, કોઈ આનંદ વ્યક્ત કરવા અને ઘણી વખત માત્ર ટાઇમ પાસ કરવા માટે પણ માણસની જરૂર પડતી હોય છે. આપણું જ કોઈ વ્યક્તિ જ્યારે આઈસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતું હોય ત્યારે આપણે દવાખાનાની બહાર રાત-દિવસ જોયા વગર હાજર હોઈએ છીએ, પણ આઈસીયુમાં દાખલ વ્યક્તિ જ્યારે તેના ઘરે એકલી હોય ત્યારે તેની દરકાર કરી હોતી નથી! મોટાભાગે માણસ એવું જતાવવા કે સાબિત કરવા માટે આવતો હોય છે કે તમારા ખરાબ સમયે અમે આવ્યા હતા!

સવાલ એ થાય કે માત્ર ખરાબ સમયે જ જવાનું? આપણે અનેક વખત એવું બોલીએ અને સાંભળીએ છીએ કે લગ્નમાં ન જઈએ તો ચાલે પણ મરણમાં તો જવું જ જોઈએ! આવું શા માટે? મરણ પ્રસંગે પોતાની વ્યક્તિની હાજરીથી દુઃખ અડધું થઈ જાય તો એ જ વ્યક્તિની હાજરીથી લગ્નનો આનંદ બેવડાઈ ન જાય? તમને ક્યારેય એવું લાગ્યું છે કે આપણા સંબંધોમાં ઘણી બધી ‘ફોર્માલિટીઝ’ પ્રવેશી ગઈ છે? આપણા સંબંધો માત્ર વ્યવહાર નિભાવવા પૂરતા જ થઈ ગયા છે!

આપણે ફોન ઉપર વાત કરતી વખતે એવું ઘણી વખત બોલીએ છીએ કે કંઈ કામ હોય તો કહેજો! હું બીજી ઘડીએ આવી જઈશ! તમે આવું કહો અને સામેનો માણસ તમને એમ કહે કે મારે અત્યારે ફિલ્મ જોવા જવું છે, તમે મારી સાથે ચાલો તો તમે જાવ?

કોઈને કંઈ કામ હોતું નથી, આપણે નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે તેને મારું કામ છે એટલે મારે જવું જોઈએ! અરે ભાઈ, કામ હોય ત્યારે તો બધા જ આવી ચડે, કામ ન હોય ત્યારે પણ કોઈની જરૂર હોય છે! સુખમાં અને પ્રેમમાં આપણી નજર કોઈને શોધતી હોય છે, એ વ્યક્તિ આંખ મીંચાવવાની તૈયારી હોય ત્યારે છેક આવે તેનો શું મતલબ? આપણે ત્યાં છેલ્લી ઘડીએ હાજર રહેવાનું જ માહાત્મ્ય શા માટે છે? છેલ્લા શ્વાસો વખતે ગંગાજળ આપવા માટે પહોંચી જવા કરતાં એ વ્યક્તિ જ્યારે રોલિંગ ચેર પર છાપું વાંચતી હોય ત્યારે તેને પાણીનો પ્યાલો આપવાનું માહાત્મ્ય કદાચ વધુ ઊંચું, મોટું અને મહાન હોય છે.

આપણા બોલિવૂડમાં હમણાં એક ઘટના બની. ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાનો ભાઈ બોબી ચાવલા એક વર્ષથી કોમામાં છે. જુહી અને શાહરૂખ ખાન સારાં મિત્રો છે. હમણાં ફિલ્મ ‘રા-વન’નું સંગીત શાહરૂખે યશ જોહર અને બોબી ચાવલાને અર્પણ કર્યું. શાહરૂખની કંપની રેડ ચિલિઝ એન્ટરટેઇનમેન્ટ શરૂ કરવામાં અને ચલાવવામાં બોબીએ ખૂબ મદદ કરી હતી. એક વર્ષ સુધી શાહરૂખે બોબી વિશે કોઈ પૂછપરછ કરી ન હતી. બોબીને સંગીત અર્પણ કર્યા પછી જુહીએ કહ્યું કે શાહરૂખે તેના ભાઈની કદર કરવામાં બહુ મોડું કર્યું. જે લોકો બોબીને એક મિનિટ પણ રેઢો મૂકતા ન હતા એ જ લોકો હવે ફરકતા નથી. તબિયત જોવા આવવાનું તો દૂર રહ્યું કોઈ પૂછતું પણ નથી કે બોબીને કેમ છે. એ પછી જુહીએ જે વાત કરી તે વધુ મહત્ત્વની છે. તેણે કહ્યું કે આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા કેમ કોઈ કરુણ પ્રસંગની રાહ જોતા હોઈએ છીએ? તેણે એમ પણ કહ્યું કે મોડું થઈ જાય એ પહેલાં આપણા માટે મહત્ત્વના અને આપણા પ્રિય લોકોની કદર કરી લેવી જોઈએ.

આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે બેટર લેઇટ ધેન નેવર. આ વાત સાચી અને સારી છે, પણ સવાલ એ થાય કે વ્હાય લેટ? વ્હાય નોટ અર્લી? અને આ વહેલું કે મોડું કોણ નક્કી કરે? પ્રેમ વ્યક્ત કરવા, લાગણી દર્શાવવા, કદર કરવા માટે કોઈ મોકાની, કોઈ ઘટનાની કે કોઈ સમયની રાહ જોવાની જરૂર નથી. આપણા લોકો આપણી રાહ જોતા હોય છે પણ એ લોકો બોલાવે ત્યાં સુધી તમે રાહ ન જુઓ. તમે જાવ તો કોને ગમે? એ વિચાર કરી જોજો અને જે ચહેરા તમારી નજર સમક્ષ આવે એને મળી તમારી સંવેદના વ્યક્ત કરી દેજો. દરેક ક્ષણ ‘રાઇટ ટાઇમ’ જ હોય છે, ‘રાઇટ ટાઇમ’ની રાહ જોશો તો એ સમય રોંગ ટાઈમે જ આવશે!


છેલ્લો સીન

આજ એ તમારી બાકીની જિંદગીનો પહેલો દિવસ છે.
- હાર્વે ફાયરસ્ટોન જુનિયર

અને છેલ્લે ...

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?  ................................

Sunday, December 4, 2011

પ્રિય પ્રભુ ... (પ્રભુને પત્ર)

દોસ્ત જ્યારે ખૂબ વ્હાલો હોય ત્યારે એ આપણા જીવનમાં ઈશ્વરની લગોલગનુ સ્થાન ભોગવતો હોય છે. પણ જો ઈશ્વરને આપણે જીવનમાં દોસ્તની લગોલગ નુ સ્થાન આપી દઈએ તો .... તો કદાચ ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા બમણી થઈ જાય, ઈશ્વર સાથે વાત કરવી સરળ થઈ જાય અને તેને અર્પણ થતી પ્રાર્થનામા પવિત્રતાનુ પ્રમાણ વધી જાય ..... કવિ, લેખક , સંપાદક અને એક સારા વક્તા એવા શ્રી અંકિત ત્રિવેદીએ કંઈક આવુ જ કર્યુ છે ....

પ્રિય પ્રભુ,

વ્યક્તિ ખૂબ જ ગમવા માંડે ,
વધારે પડતી અંગત થવા માંડે પછી -
'તમે' નું સંબોધન ઓગળીને
'તુ' માં પરિણમતુ હોય છે.

તને પ્રાર્થનામાં શોધ્યો ...,
માળાના મણકામાં શોધ આદરી તારી ...,
બહારનાં દ્રશ્યો સાથે કિટ્ટા કરી
પરંતુ કોઈ મોટો માણસ એપોઈન્ટ્મેન્ટ આપીને
આત્મિયતા વગર મળતો હોય એવુ લાગ્યું ...

પછી તને દોસ્ત તરીકે સ્વીકાર્યો
ફોન જોડ્યા વગર વાત કરી તારી સાથે ...
તને શ્વાસમાં ભરીને ખુલ્લા રસ્તા પર ચાલવા નિકળી પડ્યો ...
હવે બધામાં મને તારો અવાજ સંભળાય છે
પવનની દરેક અદામાં તારો મિજાજ પરખાય છે.
કુદરતની બધી જ કળાઓ
તારી મૌનવાણીનો મુખર પ્રદેશ લાગે છે ...

દ્રશ્ટી તારી  સૃષ્ટિને જુદા એંગલથી જોવા લાગી છે .
તારી પ્રગટેલી પૃથ્વી પર દુખ છે જ નહી
દુખ એ તો એક માણસે
બીજા માણસને આપેલી ભેટ છે.
તું તો અમને જીવન આપવામાં માને છે
અને જીવન એ તો આનંદથી વિતાવવાનું વેકેશન છે ...

મારી પાસે મીરાબાઈનુ ગીત નથી
એકતારાનુ સંગીત નથી
મારુ બધુ જ ભુલીને
તારી પાસે આવી શકુ એ શક્ય પણ નથી

કારણ કે તે જ મને વ્યસ્ત રાખ્યો છે
મારી પાસે સવારે ઊઠવાનો અવકાશ છે પણ,
નરસિંહ મહેતાનું પ્રભાતિયુ નથી.
કરતાલનો કલરવ નથી
જીવનની નજીક જતાં ઉત્પન્ન થયેલો કકળાટ છે.
મારા માથા પર કશુ જ નથી
છ્તાંય મોરપિચ્છની હળવાશ નથી.

મારી પાસે તને આપવા જેટલુ સ્મિત છે ...
બચાવીને રાખેલો ઉમળકો છે ...
તું મળીશ ત્યારે તને પોંખવા માટે
સંઘરી રાખેલુ વ્હાલ છે ...
કો'ક ખૂણે ફંફોસીશ તો પ્રતિક્ષા પણ મળી આવશે ...
હું 'આજનો' માણસ છુ. તારુ સાહસ છુ.
બોલ, મારી સાથે દોસ્તી ફાવશે ને?

લિ,
તારામાં ઓગળવા મથતો ...

Saturday, December 3, 2011

એ જ નક્કી ના થતું ...

આવવાનું કે જવાનું, એ જ નક્કી ના થતું,
ચાલવું કે થોભવાનું, એ જ નક્કી ના થતું.

જીવવાના આ બનાવો રોજ બનતા હોય છે,
શ્વાસ લઈને શું થવાનું, એ જ નક્કી ના થતું.

ધારવાની વાત નીકળીને અમે અટકી ગયા,
દર્દને ક્યાં સ્પર્શવાનું, એ જ નક્કી ના થતું.

પાંદડાએ પાનખરમાં પ્રશ્ન પંખીને કર્યો,
શું કરું હું આ હવાનું?, એ જ નક્કી ના થતું.

જે તમે આપી દીધેલું ભૂલમાં એ સ્વપ્નથી,
ઊંઘવું કે જાગવાનું, એ જ નક્કી ના થતું....

-

Thursday, December 1, 2011

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા...












આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ;
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે
મોરલીના સૂર મૂંગા થાય;
એને પણ સાન જરી આવે કે રાધાથી
અળગા તે કેમ રહેવાય?

પાસે આવે તો જરા નાચાકોડી મુખ ક્યાંક
સરી જવું સપનાની શેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

 ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
કહેવું કે પીડ નથી કાંઈ;
વેદના તે કહેવાની હોય? ભલે વિરહની
કાળજું આ જાય કંતાઈ!

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે
વ્હેતી હવાની સૂની લ્હેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

- સુરેશ દલાલ

હરિ તુ શુ કરે ? ...

ઉડવાનુ શરુ કર્યા પછી પંખીને ક્યારેય ચિંતા નહી થતી હોય કે એ આમ ઉડે તો સારુ લાગશે કે તેમ ઉડે તો સારુ નહી લાગે. ખીલ્યા પછી કોઈ ફૂલ એમ નહી વિચારતુ હોય કે એની પાસેની ડાળીનુ ફૂલ વધુ ઘેરા રંગનું, ભરાવદાર કે વધુ સારુ છે. કે એની સુગંધ અમુક વિસ્તાર સુધી નહી ફેલાય તો એનુ શુ થશે ? સતત ઉડાઉડ કરતા અને જરાય ઝંપીને ના બેસતા પતંગીયા ક્યારેય લાચાર નહી હોય ! ક્યારેય કોઈ પંખી, પતંગીયુ કે ફૂલ ડરેલુ નથી હોતુ . ડર તો ખાલી આપણને માણસોને હોય છે. લાચાર તો હંમેશા આપણે જ રહેતા હોઈએ છીએ. ક્યારેક સંસ્કાર, સમાજ, સિધ્ધાંતો , નિયમોને લીધે ... ક્યારેક આપણી માન્યતાને લીધે ... ક્યારેક આપણા સગા-વહાલા અને પ્રિયજનોની લાગણીઓને લીધે ...   ક્યારેક શુ ઈશ્વર પણ લચાર બનતો હશે ! ક્યારેય એને કશાનો ડર રહેતો હ્શે  ! .....

હરિ તને લાચારીનો રોટ્લો  પીરસવામાં આવે તો તુ શુ કરે ?
જમે-પાછો ઠેલે ? .. દસથી છ કામ પર ગયાનો ડોળ કરી
સાંજે પાછો ફરે ઘરે અને દિકરી ત્યારે પૂછે: ' પપ્પા શુ લાવ્યા?'
ત્યારે તુ મુઠ્ઠી ખોલે કે બંધ કરે ? હરિ તુ શુ કરે ? ...

Wednesday, November 30, 2011

અચાનક અકળ કૈં દ્રવી જાય છે,
ઝીલું ત્યાંજ એ ઝરમરી જાય છે.
ધધખતાં હ્રદયની ધમણ ફૂંક પર,
રુધિર લોહરસમાં ઢળી જાય છે.


-પંચમ શુક્લ 
------------------------------------------------------------------
જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
કોઇ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુ:ખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?

- વેણીભાઇ પુરોહિત

Tuesday, November 29, 2011

લાગણીનો રંગ ...

લાગણીનો રંગ ઘેરો હોય છે,
આંખમાં એનો જ ચ્હેરો હોય છે.


શ્વાસ, ધડકન કે વિચારોના વમળ
હર તરફ એનો જ પહેરો હોય છે.


એ મળે તો એમ લાગે રણમહીં,
ચોતરફ સાગરની લ્હેરો હોય છે.


સાવ સીધી વાતમાં ઢાળે નજર,
પાંપણોમાં ભેદ ગહેરો હોય છે.


એમને કુરબાન મારી સૌ દુઆ,
પણ ખુદા, તું કેમ બ્હેરો હોય છે.


એ નદી થઇને નહીં આવી શકે,
એટલે ચિક્કાર નહેરો હોય છે ?


ઝાંઝવાનો દેશ ‘ચાતક’ને ફળે,
શક્યતા નામેય શહેરો હોય છે. 


- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’


Monday, November 28, 2011

તું ઈટ્ટાકિટ્ટા છોડ ...

(તને હું બહુ કનડું છું નઈં...?!)

તું ઈટ્ટાકિટ્ટા છોડ
અરે,
આમ નજરના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું જ પરાયુ બનાવી શકાય છે!
એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક નયે હોઉં
પણ ઘડીકમાં ચોર પગલે
તારી શય્યામાં સળ થઈ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડીયે જાઉં
હું કાંઈ નક્કી નહીં હોઉં
તારા પુસ્તકનું સત્યાવીસમું પાનું હોઈશ
તું ચાલે એ રસ્તો હોઈશ
ક્યારેક રીસે ભરાઉ તો
તું મને સંભારે પણ હું તારી યાદમાં ન જ આવુ
છબીમાં હોઉં પણ તારી સામે ન જ હસુ
ક્યારેક જુની પેટીમાં છુપાયેલ મારો કોઈ પત્ર બની
હું અચાનક જડુ ને તને રડાવીય દઉં, હા…

પણ અંતે તો સોનલ
તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારુ બદલાતુ દ્રશ્ય
આપણે અરસપરસ છીએ
તારા સ્તનનો ગૌર વળાંક હું છું
તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું
તારા અરીસામાં દેખાતુ પ્રતિબિંબ હું છું
તારી સકળ સુંદરતા બની
તને ભેટી પડ્યો છું
તારુ સકળ સોનલપણુ જ હું છું લે…
અને તારે મારો ઇન્કાર કરવો છે?
એ પ્રયત્ન કરી જો
ગદરીયા વચ્ચે બેસીને કોઈ
દરિયાનો ઇન્કાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે?
તને હું બહુ કનડું છું કેમ?
શું કરું?
પ્રેમ સિવાય મારા માટે બધુ જ દુષ્કર છે.
તું જ કહે તને ન ચાહુ તો હું શું કરું?
આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ?
એક શરીરની બે આંખ છીએ?
મને તો ખબર જ પડતી નથી
એક વાર તું જ કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.
આ તું અને હું ના ટંટા શા માટે?

અરે…રે
તું સાવ બુધ્ધુ જ રહી
આંખ મીંચીને રમીએ તેને સંતાકુકડી કહેવાય
કંઈ ‘જુદાઈ’ ન કહેવાય
ચાલ, ઈટ્ટાકિટ્ટા છોડ
અને કહી દે કે હું હારી....

- રમેશ પારેખ

Thursday, November 24, 2011

દિકરીની વિદાયનુ ગીત ...

આજકાલ લગ્ન સીઝન શરુ થઈ છે.. જો કે હવે સીઝન જેવુ કંઈ રહ્યુ નથી, લોકો પોનાતી અનુકુળતાએ અને ઉતાવળે હવેબારેય મહિનામાં ગમે ત્યારે લગ્ન કરતા હોય છે. જમાનો બદલાયો એમ હવે લગ્નો પણ બદલાયા છે, લગ્નના મૂલ્યો પણ બદલાયા છે.....પહેલા દસ-્બાર દિવસ ચાલતા લગ્નો હવે બે દિવસમાં આટૉપી દેવાય છે.પહેલા અડોસ-પડોસને કુટુંબની મહિલાઓના મુખે ગવાતા ફ્ટાણા હવે પ્રોફેશનલ સીંગર ગૃપ પાસે ગવડાય છે.... ઘર આંગણે થતા લગ્નો દૂર વાડીઓમાં પતાવાય છે. બધુ બદલાતુ ગયુ છે
ધીમે ધીમે ... પણ એક વાત હજી એવી ને એવી છે દિકરીની વિદાય અને એ વિદાય વખતે દિકરી અને મા-બાપની આંખોના આંસુ .... એનો રંગ, એની ખારાશ, એ વેદના અને લાગણી આજે પણ એવાજ છે ... અને એ વિદાય આજે પણ એટલી જ વસમી હોય છે ...

વ્હાલી દિકરી,

તુ પતંગિયુ
ફળિયામાં ઉડાઉડની રંગોળી પૂરે
બંસી વાગે
ને તુ ચૂપચાપ ઊપડી જાય
પછી રંગોળીના રંગો ઝૂરે
એ ઝૂરાપો અમારે શિરે

તું ક્યારે મોટી થઈ ગઈ ... ખબરે ના પડી

હજી તો તારી જીદ તારી અકડતા
પરસાળે બેઠા છે
ને તું શ્વસુરગૃહે ચાલી નીકળી...

તનેય નહી ગોઠે એની જાણ છે અમને

અમનેય સુનું લાગશે, સૂનકાર ભાસશે
થોડા આંસુ, ભીની આંખ
એ જ અમારી આજે પાંખ

દીકરી તારી વિદાયને સુખથી ભરી દેવા

પવન વરસાદ વાદળ વીજ ચારેકોરથી આવે ...


- "?"

Tuesday, November 22, 2011

ઝાંઝવુ અને હરણ ...

ઝાંઝવાએ એક દિવસ હરણાંને કહ્યુ
        કે મારી પાછળ તું દોડ નહી આમ.
હરણાંના શમણાંઓ આંખથી ઝરી ગયાં
        બળી     ગયુ     લાગણીનુ  ગામ.

પહેલાં તો જળ થઈ ઊંડેરો સાદ કર્યો
        પછી કહ્યુ - " હું તો કેવળ ઝાંઝવુ છુ !"
કંઠમાં તરસ લઈ આખીયે જિંદગી
         હરણાં એ હવે તો કરાંજવુ રહ્યુ.
ઝાંઝવુ તો ઝાંઝવુ પણ મારાથી તારા વિના
        કેમે   કરીને   નહી   રહેવાશે,  રામ !

શ્વાસ શ્વાસ રણ અને આસપાસ ઝાંઝવાં
        ને    હરણાની   વાંઝ્ણી   આ    દોટ
અણદીઠો પારધી તાકીને તીર બેઠો
        જીવતે    જીવત     હવે     મોત.
રાખ રાખ થઈ ગઈ મારી આ જિંદગી
        એને   શાને    દિયો    હવે   ડામ ?

ઝાંઝવાએ એક દિવસ હરણાંને કહ્યુ
        કે મારી પાછળ તું દોડ નહી આમ.

- સુરેશ દલાલ.

Thursday, November 17, 2011

તારો કાગળ રોજ મળે છે ...(પ્રભુને પત્ર)

પ્રિય પ્રભુ,

તારો કાગળ રોજ મળે છે ...

તડકો જાણે થઈ ટ્પાલી તારો કાગળ લાવે,
કુદરત જાણે તારા અક્ષર ખૂબ વ્હાલથી વાવે ...
રોમરોમને કળ વળે છે
તારો કાગળ રોજ મળે છે ...

પરબિડિયુ ઉઘડેને એમ જ ઊઘડે ફૂલ સુગંધ,

સંબોધનમાં ઝાક્ળ વાંચી ઝાંખો થાય સંબંધ ...
પ્રેમ આ તારો પળેપળે છે
તારો કાગળ રોજ મળે છે...

તુ ઉકલે ને જન્માક્ષ્રરોને ટાઢક વળતી લાગે,

મારુ જીવતર તારા માટે શ્વાસે શ્વાસે જાગે ...
સપના જેવી સાંજ ઢળે છે
તારો કાગળ રોજ મળે છે ...

મૂંગો બાળક સાદ કરે ને એવો મારો સાદ,

તું પણ બોલે શબ્દ વગરનુ તો પણ તું વરસાદ
ચોમાસામાં આંખ ગળે છે
તારો કાગળ રોજ મળે છે ...

લિખિતંગ હું વાંચુ ત્યાં તો તું ઊભો  છે સામે

આવી રીતે મળતો હો તો કાયમ માટે જામે ...
તું મારામાં ઓગળે છે\
તારો કાગળ રોજ મળે છે ...

- અંકિત ત્રિવેદી

Wednesday, November 16, 2011

ઇશ્વર મળે .....

એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે
જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે

હર વખત એ પ્રશ્ન ઘૂમરાયા કરે હું કોણ છું?
હર વખત એ પ્રશ્નનો ઉત્તર મને અધ્ધર મળે

વાત જે કરવી હતી એને, કદી ના થઇ શકી
રાહ જોતા રહી ગયા કે આગવો અવસર મળે

કાશ થોડી લેતી દેતી હોત તો મળતાં રહેત
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે

એક સધિયારો અપાવે બે અડોઅડ આંગળી
હૂંફના નામે મઢેલાં સ્પર્શનાં અસ્તર મળે

ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે .....


- હિતેન આનંદપરા


Friday, November 4, 2011

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? ........... 
તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

- જવાહર બક્ષી

Thursday, November 3, 2011

નથી ગમતું ..

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.

જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.

અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.

હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.

ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.


- ‘રૂસ્વા’ મઝલૂમી

Tuesday, November 1, 2011

લિ.એક દુ:ખી આત્મા ...

આજે ફરી કંઈક હળવુ - હળવુ .......

ડિઅર ટેકનિકલ સપોર્ટ,

ગયા વર્ષેજ મે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને અપડેટ કરીને તેને વાઇફ ૧.૦ માં પરિવર્તિત કર્યો છે, પણ થોડા સમયમાં જ મને ખ્યાલ આવ્યો કે વાઇફ ૧.૦ મારી સિસ્ટમનો વિશાળ હિસ્સો રોકિ લે છે. અને મારા અનેક કિંમતી ’સોર્સ’ નો અનધિકૃત રીતે વપરાશ કરી લે છે, આ સિવાય તે પોગ્રામ મારા બિજા અનેક પોગ્રામમાં પગપેસારો કરી લે છે. આ પોગ્રામને કારણે મિત્ર ગોષ્ઠિ ૪.૫, રાત્રિ વિચરણ ૨.૪ અને સ્નાન મુક્તિ (સ્ટાન્ડર્ડ) જેવા મારી સિસ્ટમના અનેક પોગ્રામ ’રન’ થતા નથી અને ’સિસ્ટમ ફેઇલ્યોર’ નો મેસેજ આપે છે.હવે ફરીથી હુ ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને ઇનસ્ટોલ કરવા ઇચ્છુ છુ પણ વાઇફ ૧.૦ ને અનઇનસ્ટોલ કરવા માટે કોઇ વિકલ્પ મને મળતા નથી. મહેરબાની કરી મને મદદ કરો.

–  લિ.એક દુ:ખી આત્મા

----------------------------------------------------------------------------------------------------------

ડિઅર દુ:ખી આત્મા,

તમારા જેવી સમસ્યાનો સામનો વાઇફ ૧.૦ ઇનસ્ટોલ કરનાર મોટાભાગની વ્યક્તિઓને કરવો પડે છે આ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેનામાં સુધારો કરવો,કે તેને ડિલિટ કરવી અથવા તો તેને અનઇનસ્ટોલ કરવાનુ કાર્ય તદન અસંમભવિત છે. હવે તમે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામનો વપરાશ કરિ શકશો નહિ. કારણ કે વાઇફ ૧.૦ પોગ્રામમાં આવી કોઇ સુવિધા નથી, એટલે અમે તમારા માટે પ્રાર્થના જ કરી શકિયે છીએ તેમજ કોઇ મદદ કરિ શકતા નથી..આભાર


–  લિ. ટેકનિકલ સપોર્ટ ડિપાર્ટમેન્ટ

Sunday, October 30, 2011

જો પ્રત કદી ખૂટી પડે પ્રેમની .......

બેસી નિરાંતે બે ઘડી પૃથક્કરણ કરતા રહો;
જે પણ મળે સારું સતત એને ગ્રહણ કરતા રહો.

એ ભ્રમ કદી ના પાળવો , આકાશ અહીંથી અહીં સુધી,
ક્ષિતિજ કંઈ સીમા નથી જો વિસ્તરણ કરતા રહો.

આ પ્રેમ નામે ગ્રંથોનો ફેલાવો વધવો જોઈએ,
જો પ્રત કદી ખૂટી પડે તો સંસ્કરણ કરતા રહો.

એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો. .......

- હિતેન આનંદપરા

Friday, October 28, 2011

નવાવર્ષમાં નવા જીવનને પત્ર ... "પ્રિય જિંદગી .."

જો આત્મામા પ્રકાશ હોય તો માનવીમાં સૌંદર્ય હશે.
જો માનવી સુંદર હોય તો ઘરમાં સંવાદિતા હશે.
જો ઘરમાં સંવાદિતા હોય તો રા્ષ્ટ્ર્માં વ્યવસ્થા અને સુમેળ હશે.
જો રાષ્ટ્ર્માં સુમેળ હોય તો વિશ્વમાં શાંતિ હશે. ....

આ સુંદર ચિનિ કહેવત સાથે સરવાણીના સહુ વાચક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ..... આવનાર તમામ વર્ષોમાં સરવાણીના વાચક મિત્રો, એમના મિત્રો , અને એ મિત્રોના મિત્રો .... ઈન શોર્ટ ... "હુ માનવી બનુ વિશ્વમાનવી ... " એ ન્યાયે ......  સમગ્ર મનુષ્યોના આત્મા પ્રકાશમય રહે ... એવી સરવાણી તરફ્થી હ્ર્દયપૂર્વકની શુભે્ચ્છા ... અને એ સાથે નવાવર્ષની ભેટ સ્વરુપે લેખક શ્રી સૌરભ શાહ નો "પ્રિય જિદંગી .... " ના નામે લખાયેલ આ અનોખો પત્ર ....... આ પત્ર મે ક્યારનો વાચેલો પણ ખાસ નવા વર્ષમા   પ્રિય  વાચક મિત્રોને ભેટ કરવા માટે જ હજી સુધી પોસ્ટ નહોતો કરેલો ..... ખરેખર દરેક નવાવર્ષની શરુઆત પહેલા .... પાછલા વર્ષોની જિંદગી પર નજર નાખી ને આવનારી જિંદગીને એક પત્ર તો લખવો  જોઈએ .... ભલે લાઈફમાં ક્યારેક હદબાર હતાશ થઈ જવાય તો પણ જીવન સાવ કાઢી નાખવા જેવુ નથી હોતુ ... કેમકે ... લો હવે આ પત્ર જ વાંચી લો .......

પ્રિય જિંદગી,

તને શોધવાની ખૂબ કોશિશ કરી. તું કોણ છે, ક્યાથી આવે છે, ક્યાં જાય છે,  તારુ સ્વરૂપ કેવુ છે, તુ જે છે  એ શા માટે છે . પ્રશ્નો સતાવતા રહ્યા છે. આજે ખબર પડે છે કે તું  મારામાં જ છે, હું જે છુ તે જ તું છે.

કોઈ કહે છે કે તારુ બીજુ નામ સંઘર્ષ છે. કોઈ કહે છે કે તારુ તખલ્લુસ પ્રેમ છે તો કોઈ તને સમર્પણનો પર્યાય ગણે છે. મારા માટે તુ તમામ વ્યાખ્યાઓ થી પર છે. તને ચોક્ક્સ ચોકઠામા બાધી રાખવાનુ મને ગમતુ નથી. તને બાંધી દેવાથી હુ પોતે બંધિયાર થઈ જઉ છુ.

મને નવાઈ લાગે ્છે કે લોકો તારાથી શા માટે કંટાળી જાય છે ? કંટાળવુ તો તારે જોઈએ, આ લોકોથી. તારો કેવો ઉપયોગ કરતા રહે છે તેઓ.. રોજ સવારે ઉંઘમાંથી ઉઠવાથી શરુ કરીને રાત્રે પથારીએમાં સૂતા સુધી  તેઓ ખાવાપીવા ને કમાવા સિવાય બીજું શું કરે છે ? છત્રપતિ શિવાજીની મહામૂલી તલવાર્નો ઉપયોગ ટીંડોરાનુ શાક સમારવા કરતા હોય તે રીતે ખર્ચી નાખે છે.

તારા માટે હું મારાથી શક્ય હોય એટલું બધુ કરીશ, શક્ય જ શુ કામ, મારાથી અશક્ય હોય તે કરવાનો પણ પ્રયત્ન કરીશ. એમાં એમાં સફળતા મળે કે નિષ્ફળતા. મારાથી જે અશક્ય હોય તે કરવાના પ્રયત્નો વડે જ હું શક્યતાની સીમાને ઓળંગીને મારો વ્યાપ વધારી શકીશ.

મારે તારાથી ભાગવુ નથી. તારાથી પલાયન થઈને હું ક્યાં જાઊં. મારે તારો સામનો પણ નથી કરવો. જેને ચાહતા હોઈએ એનો સામનો કરવાનો કે પછી તેની સાથે હળીમળીને ફહેવાનું હોય. મારે તારી ખૂબ નજીક રહેવુ છે. મારી બધી જ ખામીઓ, બધી જ નબળાઈઓ, બધી જ મજબૂરીઓ તું સ્પષ્ટ રીતે જોઈ શકે એટલી નજીક.

મને ખબર છે કે સ્વંય ભગાવાન શ્રી કૃષ્ણ સાથે હોય તોય યુધ્ધ લડવુ પડતુ હોય ્છે. મારે પ્ણ લડવુ પડશે. ટાળવુ નથી એને.  એટલી જ પ્રાર્થના કરવી છે કે એવા સમયે નાહિંમત થઈને , કાયર થઈને બેસ્સે ન પડુ. અર્જુનને સમજાવવા ભગવાન પાસે સમય જ સમય હતો., પૂરા અઢાર અધ્યાય જેટ્લો. મને સમજાવવા એ ક્યાથી આવે. મારા જેવા કરોડોને એણે સમજાવવાના છે. વળી, એ આવે તો અર્જુન માટે આવે. હું એવી પાત્રતા ક્યાથી લાવુ. મારે પોતે જ મને ગીતા સંભળાવવી પડશે.

અત્યાર સુધી ખૂબ માગતો રહ્યો છુ તારી પાસે. અને દર વખતે માગતા કરતાં અનેક્ગણુ મળતુ રહ્યુ છે. હવે કશુ જ માગવુ નથી, માત્ર આભાર માનવો છે. તુ જે આપ્યા કરે છે તે બદલ.

આ માણસ જાતનુ શુ થવા બેઠુ  છે એવુ બોલવાની ફેશન ચાલે છે. ભવિશ્ય સુવર્ણમય છે એવી આશા રાખવી બાલિશતાની નિશાની ગણાઈ જય એવો ડર છે.નિરાશાવાદીઓ જો મેચ્યર ગણાતા હોય તો મારે એવા પુખ્ત નથી બનવુ. મારે મારી મુગ્ધતા સા્ચવી રાખવી છે. તારા ભૂતકાળની ને વર્ત્માનની સમૃધ્ધિ જોઈને હું કેવી રીતે કહુ કે તારુ ભવિષ્ય કાળુ ડિબાંગ છે. લોકો કંઈપણ કહે, મને તારુ ભાવિ ઉજ્જ્વળ લાગે છે અને તારી સાથે જોડાયેલો છુ એટલે મારુ પણ.

તને કદાચ હશે, પણ મને તારા માટે કોઈ ફરિયાદ નથી. વીતેલા વર્ષોમા મે તને ખૂબ વેડફાઈ જવા દીધી એટલે તુ ફરિયાદ કરે એ સ્વાભિક છે. તને હક છે મને ઠપકો આપવાનો. પણ મારી કોઈ ફરિયાદ નથી. ફરિયાદ સિવાયનુ બીજુ ઘણુ કહેવાનુ છે મારે. એ કહેવા માટેનો જ સમય ઓછો પડ્શે તો ફરિયાદો કરવામાં શા માટે મારો સમય વાપરી નાખુ ?

શુ કહેવુ છે મારે ? ખાસ તો એ કહેવુ છે કે અમે તને આટલી વેડફી નાખી છતા તુ સૌનુ ભલુ જ કર્યા કરે એવી ઉદારતા તારામાં ક્યાથી આવી. તારામાં એવુ શુ છે કે ક્યારેક અમે પોતે અમારી જાતને અગ્નિકુંડમાં મુકાયેલા અનુભવીએ છીએ છતા તુ જીવવા જેવી લાગે છે. એવુ કયુ આકર્ષણ, એવુ કયુ ખેચાણ તારામાં છે જે અમને તારાથી દૂર જવા દેતુ નથી અને બીજુ કંઈ નહી પણ ખાસ મારે તને એ કહેવુ છે કે તુ તો મને જીવવા લાગે છે પણ તને હું શા માટે જિવાડવા જેવો લાગુ છુ.


બસ, આજે આટલુ જ. શેષ રુબરુ મળીએ ત્યારે. એ વખતે મારી આંખો મીંચાયેલી હ્શે એટલે મને ઓળખી કાઢ્વાની જવાબદારી તારી અને મારી ઓળખ એટલી કે એ ક્ષણે તે મને ઓઢેલી હશે .


એ જ લિખિતંગ,
તારા સાન્નિધ્યને ખૂબ નિક્ટતાથી,
પ્રસન્નતાથી માણી રહેલ હુ.

 
- સૌરભ શાહ ના પુસ્તક  "પ્રિય જિંદગી" માથી ...

Again......  Happy New Year .......... Have a beautiful Life  ...

Sunday, October 23, 2011

ये जाने कैसा राज है ...

एक बात होटों तक है जो आई नहीं
बस आँखों से है झांकती
तुमसे कभी मुझसे कभी
कुछ लब्ज है वो मांगती
जिनको पहन के होटों तक आ जाए वो
आवाज़ की बाहों में बाहें डाल के इठलाये वो
लेकिन जो ये एक बात है एहसास ही एहसास है
खुशबु सी जैसे हवा में है तैरती
खुशबु जो बेआवाज़ है
जिसका पता तुमको भी है, जिसकी खबर मुझको भी है 
दुनिया से भी छुपता नहीं, ये जाने कैसा राज है ...





------------------------------------------------------------------

जब जब दर्द का बादल छाया, जब गम का साया लहराया
जब आँसू पलकों तक आया, जब ये तनहा दिल घबराया 
हमने दिल को ये समझाया, दिल आखिर तू क्यों रोता है..
दुनिया में युही होता है..
ये जो गहरे सन्नाटे हैं..वक्त ने सब को ही बांटे हैं 
थोडा गम है सबका किस्सा..थोड़ी धुप है सब का हिस्सा 
आँख तेरी बेकार ही नम है, हर पल एक नया मौसम है 
क्यूँ तू ऐसे पल खोता है..दिल आखिर तू क्यूँ रोता है..
 
- जावेद अख्तर  (From the movie Zindagi na Milegi Dubara)

Wednesday, October 19, 2011

પ્રેમ + વ્હાલમની વાતો ...

"બે મળેલા જીવ વચ્ચે લય ન પ્રગટે તો માનવુ કે બે વચ્ચે જે ઝંકૃતિ પ્રગટી તે પ્રેમ નહી, પણ પ્રેમ નો ભ્રમ હતો..
પ્રેમનો ભ્રમ પણ ખાસ્સો સુખદાયી જણાય છે. જો પ્રેમ નો ભ્રમ આટલો સુખદાયી હોઈ શકે તો, સાચુકલો પ્રેમ કેટ્લો આનંદપ્રદ હશે!

પાલવ અડક્યાનો વ્હેમ પણ હ્ર્દયંગમ હોય છે કારણ કે, કશુક અલૌકિક પામવાની શક્યતાનો કોમળ ઈશારો એમા રહેલો હોય છે.
પ્રત્યેક માણસને જીવન મા આવી રોમાચક પળ પ્રાપ્ત થવી જ જોઈએ.
આવો કોમળ ઈશારો જ્યાં તાણી જાય ત્યાં વહી જવુ એ જો ગુનો હોય તો તે સૌએ કરવા યોગ્ય એવો કાવ્યમય, મધુમય અને પ્રભુમય ગુનો છે..."

- ગુણવંત શાહ

આવો કાવ્યમય, મધુમય અને પ્રભુમય ગુનો થઈ જાય અર્થાત અચાનક જો કોઈ ગમવા લાગે તો હાલત કદાચ નીચેના કાવ્યમાં જણાવી છે એવી જ થતી હશે ..... ન કહેવાય ન સહેવાય .... વ્હાલમ સાથે થયેલી વાતો કોઈને કહી ના શકાય ને એને કોઈને કહ્યા વગર રહી ના શકાય ... એ જ તો હોય છે પ્રેમ નો જાદુ ....

વ્હાલમની વાતો કાંઇ વ્હેતી કરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા,

ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી,

પાગલની પ્રીત કંઇ અમથી હરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું ?

ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

- ભાસ્કર વોરા

Sunday, October 16, 2011

We are prisoners ...

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?
...

We are prisoners of our own suffering and  we Love that prisons ...   આપણે આપણી પીડાઓના બંદી છીએ અને એ બંદીખાના માટે આપણને અનુરાગ હોય છે ...

" એક્વાર  કેટ્લીક ગુંચોમા ફસાયેલા એક માણસ ને મે થોડો સમય કોઈ આશ્રમમા રહેવા જવાનુ કહ્યુ .. તો તેણે કહ્યુ - ત્યા જઈને મને સિગારેટ પીવાની સ્વતંત્રતા મળે તો રહેવા જઉ !

...... તેની આ સ્વતંત્રતા તો તેની, ગુલામ બનાવનાર ઈચ્છાની આધીનતા હતી. આપણે સુખને શોધવા જતા એ શોધની ઈચ્છાના ગુલામ બની જઈએ છીએ. આપણી આસપાસ શોકના તાણા વણ્યા હોય છે એ આપણી આસક્તિ બને છે. એને આપણે નિષ્ઠાનુ નામ આપીએ છીએ. કોઈ વિધવાને કહો કે તારા મૃત પતિ માટે તુ તારા સુખ-્સમૃધ્ધિનો ત્યાગ કરી દે તો એ કરવા તે તત્પર થશે, પણ તેને કહો કે - તુ તારા શોક અને દુખનો ત્યાગ કરી દે તો એ માટે એ તૈયાર નહી થાય ...  "  .....  કારણ કે -  We are prisoners of our own suffering and  we Love that prisons ...

- From the book -  "પરોઢ થતા પહેલા .. " - by કુન્દનિકા કાપડીયા ..

અને છેલ્લે ... આવા જ સંદર્ભમાં સૈફ પાલનપૂરીની એક ગઝલ ...


નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

Friday, October 14, 2011

जीवन क्या है ...

जीवन क्या है चलता फिरता एक खिलोना है,
दो आंखों में एक से हँसाना एक से रोना है..

जो जी चाहे वो मिल जाये कब ऐसा होता है,
हर जीवन जीवन जीने का समझौता है,
अब तक जो होता आया है वो ही होना है..

रात अँधेरी भोर सुहानी यही ज़माना है,
हर चादर में दुःख का ताना सुख का बाना है,
आती सांस को पाना जाती सांस को खोना है.....

- writer - dont know

Tuesday, October 11, 2011

ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !

તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !

એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?

-અદી મિરઝાં

Monday, October 10, 2011

સૂર્યાસ્ત ...


 એવુ કહેવાય છે કે - જીવનમાં મોટેભાગે આપણે આપણી ખુદને માટે એક સારા વકીલ હોઈએ છીએ અને બીજાને માટે એક્દમ સચોટ જ્જ .....  માણસજાત બહુ ચાલાક છે .... અથવા કહો કે પોતાને ચાલાક માનતી હોય છે ... લોકોને ખબર પણ ના પડે એવી રીતે વય્ક્તિના  વખાણ કરીને એની બુરાઈ કરવામા આવે છે .. લોકોને શુ જે માણસ વખાણ કરતો હોય છે એની પણ હકીકત મા એ ખબર નથી હોતી કે વખાણ ના પડદા પાછળ હકીકત મા તો એના મુખ માથી બુરાઈ જ નિકળી રહી ્છે ... પણ આપણે બીજાને જજ કરવાની ... બીજા વિશે અભિપ્રાય આપવાની કે બાંધી દેવાની જરુર જ શુ છે  ? એક માણસ તરીકે આપણે ખુદ પણ ક્યા એટલા પરફેક્ટ હોઈએ છીએ તે બીજા પાસેથી આપણે પરફેક્શનની અપેક્ષા રાખવી જોઈએ !!! જો આપણી આસપાસ ના લોકો આપણ ને આપણી નબળાઈઓ સાથે સ્વીકરતા હોય તો આપણે શા માટે આપણી આસપાસના લોકોને એમની નબળાઈઓ સાથે સ્વીકારી શકીએ નહી ! .....  આવી જ વાત પર ફાધર વાલેસનો એક સરસ આર્ટીકલ વાચવામા આવ્યો તો એ તો મારે અહી વાચક મિત્રો માટે મૂકવો જ રહ્યો .... 

= = = = = = = = = = = = = = = = = = = = = = =

"માણસ એમ તો સારો છે, પણ સ્વભાવ સહેજ વિચિત્ર છે એટલે એની સાથે મજા નહિ આવે." ...  " એ તો પ્રામાણિક જીવ છે, પણ એવી રીતે બોલવાની આદત છે કે લાંબો વખત બેસી ના શકાય." .....  " એ આદર્શ વ્યક્તિ કહેવાય - પણ એનાથી દૂર રહો તો જ! બાકી એની પાસે રહેવુ અઘરુ બની જાય ."

"માણસ સારો પણ ... " માણસ સારો છે એ પ્રમાણપત્ર હતુ. પરંતુ  એમાં એ ' પણ ' આવ્યો એટલે પ્રમાણપત્ર નુ પુણ્ય ગયુ. એટ્લે કે સારો કહીને ખરાબ બનાવી દીધો, ભલામણ કરીને ફરિયાદ નોંધાવી દીધી.

આપણને જેનો પરિચય હોય એના વિષે આપણો અભિપ્રાય પણ હોય, અને અભિપ્રાયની સાથે એવો ન્યાય પણ હોય કે એના ઘડતરમાં કંઈક બાકી છે, અને એનુ ઘડતર જો આપણા હાથમાં હોત તો કંઈક વધારે સારો દેખાવ કરી બતાવત એવો ખ્યાલ પણ ખરો. 'માણસ સારો પણ .... " - અને એ ' પણ' માં અભિપ્રાય છે, ફરિયાદ છે, માણસને સુધારવાનો ઢોંગ છે, લોકોનો ન્યાય મેળવાની ચેષ્ટા છે.

સૂર્યાસ્ત મા સારુ છે કે એના ઉપ્ર અને એના વિશે આપણું કશુ ચાલતુ નથી. આપણે કહીએ તોય એમાં કોઈ ફેર પડવાનો નથી. સૂર્યાસ્ત આપ્ણા હાથમાં નથી એટલે જ સૂર્યાસ્તનું સૌંદર્ય આપણા જીવનમાં છે.

દરેક વ્યક્તિ  સૂર્યાસ્ત જેવી છે. કુદરત નુ સર્જન, કલાનો નમૂનો. દરેક વ્યક્તિ જુદી અને અલગ અને આગવી. દરેક વિશિષ્ટ અને દરેક સુંદર. અને એકેય આપણા હાથમાં નથી ! દરેક ના રંગ ને વાદળ ને ગુણ ને લક્ષણ જુદા છે. દરેકનુ વ્યક્તિત્વ પૂરું ને દરેકનું સૌંદર્ય સાચુ. સ્વીકારવાનુ છે. માણવાનુ છે.

ને એમા આપણી ભૂલ હવે આવે છે. આપણને લાગે છે કે એ વ્યક્તિ તો સારી છે ... પણ વધારે સારી હોત તો સારુ થાત અને 'વધારે સારો થાત ' એમાં એનું સૌંદર્ય ચૂકી ગયા. એને આપણા કાબૂ મા લેવા ગયા એમાં એનું વ્યક્તિત્વ ખોઈ બેઠા.

વ્યક્તિઓ આપણા હાથમાં નથી. સૂર્યાસ્ત આપણા હાથમાં નથી. સૂર્યાસ્ત થવા દો. વ્યક્તિને થવા દો. જેવી છે તેવી થવા દો..ખીલવા દો. જીવવા દો. દરેક વ્યક્તિને માન આપો, દરેકનુ સ્વાતંત્ર્ય સાચવો, દરેક ની અસ્મિતા સ્વીકારો. એમાં એનો લાભ છે - અને તમારો પોતાનો લાભ છે.

કુદરત રોજ એક સૂર્યાસ્ત આપે છે. જીવનમાં રોજ જુદી જુદી વ્યક્તિઓ મળે છે. દરેકનુ દાન લઈએ. દરેક નો સંદેશો ઝીલીએ, દરેકનો પ્રેમ વધાવીએ અને આખુ જીવન પ્રેમમય, આનંદમય, સૌંદર્યમય બની જશે.

- ફાધર વાલેસ  article from the book   " e-legance " ...

Wednesday, October 5, 2011

શાંત મનની ખીણમાં ...

જ્યારે હું તારા વિચારોમાં અછડાતો હોઉં છું,
દૂરના જંગલપ્રદેશમાં રખડતો હોઉં છું.

શાંત મનની ખીણમાં પડઘાય તારું નામ જ્યાં,
હું જ અસ્થિર ભેખડો માફક ગબડતો હોઉં છું,

રાતની ઊઘડી ગયેલી બારીની તું બહાર જો,
ક્યાંય જાગ્રત પાંદડાઓમાં ખખડતો હોઉં છું.

હું ઉલ્લંઘી કાળ ને સ્થળ, સ્વપ્ન તારું જોઉં છું,
પ્રાત:કાળે સૂર્યની સાથે ઝગડતો હોઉં છું.

જાય છે ઓફિસ તરફ જે, એ જ રસ્તામાં કશે,
હું ખરેલી સૌ વસંતોને કચડતો હોઉં છું..............

- હેમેન શાહ

Sunday, October 2, 2011

ખરતો તારો ...

ગામના ઘરની અગાશીમાં સૂતાં સૂતાં
ક્યારેક, નસીબદાર હો તો,
ક્ષિતિજ પર ખરતો તારો દેખાય
નાનપણમાં ખબર નહોતી
કે ખરતો તારો જોતી વખતે
મનમાં વ્યક્ત કરેલી ઈચ્છા
ભગવાન પૂરી કરી દેતા હોય છે.
માત્ર તારાના ખરવાનો  રોમાંચ થતો.
મોટા થયા પછી ખબર પડી
કે ખરતો તારો જોઈને
ભગવાન પાસેથી કશુંક માગી લેવાનુ હોય
પણ આ ઉંમરે ઈચ્છાઓની યાદી
એટલી લાંબી થઈ ગઈ હોય
કે એટલી વારમાં કશું માંગી ન શકીએ.
રાતના એકલવાયા અંધારામાં
તારાઓ હજુય ખર્યા કરે છે ...

( સૌરભ શાહ ના પુસ્તક - "પ્રિય જિંદગી" માંથી ... )

Wednesday, September 28, 2011

हम चिरागों की तरह जलते रहे ...



तकाजा है वक्त का तूफां से जूझो
कब तक किनारे किनारे चलोगे ...

-"?"


बिछडा है जो ईक बार मिलते नही देखा,
ईस जख्म को हमने कभी सिलते नही देखा ...
- परवीन शाकिर


राजे दिल कहा जिसे दोस्त समझ कर
ए जफर उसी को हमने जान का दुश्मन पाया ..
- बहादुरशाह जफर

कैसे कैसे हादसे सह्ते रहे
हम चिरागों की तरह जलते रहे ...
-"?"

Wednesday, September 21, 2011

મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉડાવીએ...

ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ
આંખોમાં ભરીએ આભ,  તણખલાંઓ ચાવીએ

ખળ ખળ વહી જતી પળો કાલે ન પણ મળે
થઈએ  ભીનાં  ફરીથી,  ફરીથી  સુકાઈએ

ઉગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં
મુઠ્ઠી  ભરી  ભરી  બધે  તડકો  ઉડાવીએ

વાતાવરણમાં ધુમ્મસી ભીનાશ ઓસની
ટીપાંઓ એકઠા કરી દ્ર્શ્યો  તારવીએ

આંગળીઓ એકબીજાની ગણીએ ધીમે ધીમે
અંતર ક્ષિતિજ સુધી હજી પગલાંથી માપીએ ...

- હેંમંત ધોરડા

Sunday, September 18, 2011

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે ..

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
માનસરના હંસ જેવું પણ મળે.

એક સાદું વસ્ત્ર અડવાણે ચરણ
મુઠ્ઠીભર માગી લીધેલાં કણ મળે.

રોજ મુજને હું મળું નવલા રૂપે
ને અજાણેવેશ નારાયણ મળે.

લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે
આવ મળવાનું તને કારણ મળે.

કંઠમાં ગીતો હલકમાં વેદના
ને અલખનો ઓટલો રણઝણ મળે

- ધ્રુવ ભટ્ટ

Tuesday, September 13, 2011

માનવીના રૂપમાં મનસૂર છું....

રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર છું.

…પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?

કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

- ‘રૂસ્વા’ મઝલુમી

Saturday, September 10, 2011

એથી વધુ નજીક તો આવી નહીં શકું. ...

એવું નથી કે હોડી બનાવી નહીં શકું,
પણ છે નદી બરફની, તરાવી નહીં શકું;
ઊભો છું વ્હેંત છેટે ને વચ્ચે સ્વમાન છે,
એથી વધુ નજીક તો આવી નહીં શકું.

- રઈશ મનીઆર

 " સ્વમાન" બહુ અઘરો શેબ્દ છે. લોકો સ્વમાન અને અભિમાન વચ્ચે ભેદ તારવી નથી શકતા .... એટલે ક્યારેક સ્વમાન ખાતર કહેવાયેલી વાતો ને અભિમાન સમજી જતા હોય છે .... અને એમાં ઘણા સંબંધો પણ તૂટી જતા હોય છે.  પણ સ્વમાનના ભોગે ભલા કોંઈ સંબધ બાંધી શકાય ખરા !  અને જે સંબંધમાં સ્વમાન ના જળવાય એ વળી "સંબંધ " કઈ રીતે કહેવાય ! સંબંધમાં તો હંમેશા સહ્ર્દયતા હોય ! અને જ્યાં સહ્ર્દયતા હોય ત્યાં એકબીજાના સ્વમાન આપોઆપ જળવાઈ જતા હોય ... અને એમાંય વળી જ્યાં પ્રેમ ની વાત આવે ત્યાં તો એકબીજાને ના ગમતી વાતો પણ સહજતા થી જળવાઈ જવી જોઈએ ... એકબીજાના "સ્વ" નું માન ના રાખી શકે ત્યાં પ્રેમ કેવી રીતે હોઈ  શકે  ? હા, ત્યાં પ્રેમ નો ભ્રમ ચોક્ક્સ હોઈ શકે .... અને  ભ્રમ જેટલા જલદી ભાંગી જાય એ જ સારુ રહે છે .....

એટલે જ તો કવિ કેટલી ખુમારી થી કહે છે -  સ્વમાન ના ભોગે તો હુ પ્રેમ નહી કરી શકુ ... 

"ઊભો છું વ્હેંત છેટે ને વચ્ચે સ્વમાન છે,
એથી વધુ નજીક તો આવી નહીં શકું. ... "


જીવનની આવી સરળ વાતો ખબર નહી કેમ બધાને સરળાતી નથી સમજાતી !

અને છેલ્લે ....

ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?
ને શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે ?
છે મિત્રના જેવો જ અનુભવ ‘આદિલ’
આ અર્થના વ્યાપારની વાત જ ક્યાં છે ?

- આદિલ મન્સૂરી

Monday, September 5, 2011

" કૃષ્ણાયન " ... થોડાક અંશ

મથુરાની આંખોને લ્હેવા જતાંય કદી
મનમાં શું એમ જરા આવ્યું ?
કે ગોકુળ મોંફાટ હશે રોયું !
શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું .......


હમણા જ શ્રી કાજલ ઓઝા વૈધની " કૃષ્ણાયન " વાંચી એમાંથી  થોડાક અંશ  આજે અહી વહે્ચવાની ઈચ્છા થાય છે થોડાક ફરી ક્યારેક  ... 

દ્રશ્ય કંઈક આવુ છે .... યાદવાસ્થળી પછી દુખી થઈને ઝાડ નીચે બેઠેલા કૃષ્ણના પગમાં જરા નામના શિકારીથી ભુલથી બાણ વાગી જાય છે. હવે કૃષ્ણનુ મૃત્યુ નજીક છે.... અને અંતિમ સમયે એમને એમનુ આખુ જીવન યાદ આવી રહ્યુ છે ... ખાસ કરીને એમના જીવનની ત્રણ મહત્વની સ્ત્રીઓ રાધા - રુકીમણી અને દ્રૌપદી .... પ્રેમિકા - પત્નિ અને સખી ....  યાદમા ખોવાયેલા કૃષ્ણ પાસે લેખિકા ધ્વારા બોલાવડાવેલ  કેટલાક સંવાદ ....
--------------------------------------------------------------------

- "સ્ત્રીઓ શા માટે એક્બીજાથી જુદી નથી હોતી ? 
 
કોઈપણ યુગની, કોઈ પણ વયની સ્ત્રી શા માટે એક્સરખુ વિચારે છે ? શા માટે એકસરખી બાબતે પીડા અનુભવે છે ? શા માટે એક સરખી બાબતે પીડા અનુભવે છે ? શા માટે એકસરખી વાત પર ક્રોધિત થાય છે ? અને ક્રોધ વ્યક્ત કરવાની રીત પણ શા માટે એકસરખી હોય છે ? " કૃષ્ણના મનમાં પ્રશ્નો ઉદભવતા હતા ....


- " સાથે સાથે જીવનારા બે જણાને વિયોગની ભયાવહતા ત્યારે જ સમજાતી હશે, જ્યારે વિદાયની પળ સાવ સામે આવીને ઊભી રહે. એ પળ ક્યારેય આવશે જ નહી , એવા સુખદ ભ્રમમાં જીવતા સર્વે જીવો કાં તો એ પળનું સત્ય જાણતા નથી અને જો જાણતા પણ હોય તો એને સ્વીકાર કરવાની માનસિકતા એમની નથી હોતી.
ભવિષ્યમાં વિયોગ થશે એમ માનીને આજ ની સુખદ પળને નકારવાની કે તિરસ્કારવાની આવશ્યકતા નથી. પરંતુ, આવનારી પળ પ્રત્યે આંખો મીંચવાથી એ નહી આવે, અથવા નિશ્ચિત સમય કરતા મોડી આવશે એવુ પણ નથી જ !
વિદાય આવશે જ. જેનો આરંભ થયો છે એનો ક્યાંક પહોંચીને અંત પણ થશે જ. એ જાણનારા, જાણીને સ્વીકારનારા કદાચ વર્તમાનને વધુ આનંદ થી, વધુ સંતોષથી માણી શકે છે...... "


- " પાર્થ, સ્ત્રી અને પુરુષમાં ફેર છે. એમની નીતિ, એમના ધર્મો, એમની વિચારવાની પધ્ધતિ પણ જુદી જુદી છે... એક ઋદયથી વિચારે છે અને બીજો મસ્તિષ્ક્થી ... સ્ત્રી પ્રેમ કરવામાં પુરુષ કરતા વિષેશ શક્તિમાન છે. સ્ત્રીને માટે પ્રેમ સમર્પણ છે. પ્રેમ સેવા છે, પ્રેમ સહચાર્ય છે. જ્યારે પુરુષ માટે પ્રેમ વધુ કે ઓછા અંશે આત્મિક્મ આધ્યાત્મિક અન્ય્ભવ છે. જ્યારે પુરુષ માટે એ ક્ષણિક આવેગનુ નામ છે.... સ્ત્રીની નીતિ એક જ પુરુષને જીવનભર સમર્પિત રહેવાની છે, જ્યારે પુરુષ બહુ વિવાહી રહીને સર્વેને ચાહી શકે છે.સ્ત્રી ક્ષમા કરી શકે છે પુરુષના ભયાનક અપરાધને પણ - જ્યારે પુરુષ ધર્મ અને વેરની ભાષા જાણે છે."


- " પુરુષ સ્ત્રીમા ઘણુબધુ ઝંખે છે. એક મા, એક પ્રિયતમા, એક પત્નિ, એક મિત્ર, એક મંત્રી અને ક્યારેક એક વિચક્ષણ શત્રુ પણ ..... " 
  
-------------------------------------------------------------------- 

અને છેલ્લે ...

માધવે રાધા જ્યાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી
સાત સાત સૂરના મેઘના ધનુષ જેમ
રોમ રોમ રાગીણી જાગી ….

ફૂંકે તે સૂર સૂર, ઝીલે તે સૂર સૂર
સૂર સૂર શ્યામ અને રાધા
ખીલ્યું છે સૂરધનું આંખનાં અગાધ એમાં
ઓગળે છે દ્વેત આધા આધા
સૂરનો ત્રિભંગ સોહે મોહે વરમાંડ, આજ
અદકું કંઇ વિશ્વ વરણાગી….

માધવે રાધા જ્યાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી .....

- ઉશનસ

Friday, September 2, 2011

કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ...


લ્યો ફરી વર્ષો પછીથી  શાયરી કહેવાઈ ગઈ,
મૌનની જાહોજલાલી ફરી લૂંટાઈ ગઈ.

તીવ્રતા બુઠી થઈ ગઈ ને ગા લ ગાનાં બંધનો,

બેડીઓનો દેશ છે અને કરવતો ખોવાઈ ગઈ.

એ જ ગઝલો એ જ લોકો એ જ અધૂરાં સ્વપ્ન બે,

કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ.

શું કરૂં, મારા રુદનની સાબિતિનુ શુ કરુ ?

એક ક્ષણ ખાલી હ્સ્યો એમાં છબી ખેંચાઈ ગઈ.

આ જ મારી કાયમી ભીનાશનું કારણ કહું

એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ .....

- સૌમ્ય જોષી.

Tuesday, August 30, 2011

કેમ સમજાતો નથી વરસાદ સૌને ?

ખુદ નો સંભળાતો નથી જ્યાં સાદ સૌને !!
છોડ સરવાળા, કરી દે બાદ સૌને.

કેદ છે મારી ભીતર ખૂંખાર સત્યો,
તું કહે તો હું કરું આઝાદ સૌને !!
 
એ સળગતા ઘરમાં વરસો થી રહે છે !
છત ટપકવાની કરે ફરિયાદ સૌને !!

માત્ર એ દેખાય છે સંભળાય છે, બસ,
કેમ સમજાતો નથી વરસાદ સૌને ?

થઇ ગયો કેવો બધાનો લાડકો હું !
જ્યાર થી માની લીધા ઉસ્તાદ સૌને. 
 
- ભાવેશ ભટ્ટ 

Friday, August 26, 2011

દર્પણ લિબાસમાં....

પોલાણ  કેટલાં ભર્યા   નક્કર  પહાડમાં
બોલી રહી હતી નદી દરિયાના  કાનમાં

ખોટોય  અર્થ   નીકળે બસ  એ જ બીકથી
મેં  લાગણી મૂકી  દીધી પાછી કબાટમાં

આ બારણું નથી જરા તું ધ્યાનથી નીરખ
ઉઘાડબંધ    થાય  છે    ચહેરો   કમાડમાં

ખિસ્સા  તપાસતાં  જ  પુષ્પગંધ નીકળી
બદનામ  થઇ ગયો પવન આખાય બાગમાં

સામે ય   આવતાં નથી લોકો    ડરી ગયા
જેવું  જડી  દીધું  અમે    દર્પણ લિબાસમાં....

- ભરત વિંઝુડા


Sunday, August 21, 2011

શ્યામ! તારા રંગે રંગાઈ ...

આવતી કાલે જન્માષ્ટમી છે .... અને જન્માષ્ટમી હોય એટલે શ્રી કૃષ્ણ તો યાદ  આવે જ ને ! અને શ્યામ યાદ આવે તો રાધા ને કેમ કરી ભુલાય ? એક ભગવાન તરીકે નહી પણ  મહાભારતના એક પાત્ર તરીકે પણ જોઈએ તોયે કૃષ્ણ એક અદભુત  અદભુત અદભુત વ્યક્તિ હતા ... કદાચ ભારતના ઈતિહાસ માં એક રામ અને એક કૃષ્ણ ના હોત તો ભારતની સંસ્કૃતિ આટ્લી મહાન અને અજોડ ના હોત ... તો એ અદભુત વ્યક્તિના જન્મ દિવસની ખુશીમા ... એક અદભુત ગીત ... 

શ્યામ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રુપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ- દોથ ચાખી.  

 
શીકાંઓ તોડ મારા વસ્તર તુ  ચોર,
મારી હેલ્યુની હેલ્યુ દે ભાંગી
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બહાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.
શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી ....

 
 - વિવેક મનહર ટેલર

Friday, August 19, 2011

કૂતરું ........- by shri Saumya Joshi

इश्वर अल्लाह तेरे जहांमें नफरत क्युं है, जंग  है क्युं ?
तेरा दिल तो इतना बडा है, इन्सानका दिल तंग   है  क्युं?
कदम कदम पर सरहद कयुं है, सारी झमीं जब है तेरी ,
सूरज के फेरे करती है, फिर क्युं इतनी है  अंधेरी ? ................. 
ખબર છે ૧૫મી ઓગસ્ટ તો ગઈ ને એક દિવસ માટે ઢોકળાના પેલા ઈન્સ્ટ્ન્ટ ખીરામા ઉભરો આવે ને ઈન્સ્ટન્ટ શમી જાય એમ ફોનના ઈનબોક્સથી માંડીને સોસીયલ નેટવર્કની સાઈટ્સના સ્ટેટસ પર બધે દેશપ્રેમ ઝળકી ગયો ..... હા ! મોટેભાગે એ ઝળકીને "જતો"  રહે છે .... જો કે હાલ તો  અણ્ણા સાહેબ ના કારણે પણ લોકોમા સારો એવો દેશ પ્રેમ ઝળકી રહ્યો છે .... ખેર આ બધી ચર્ચાઓ તો આસપાસ ને ટીવી ન્યુઝમા જોરશોર થી ચાલે જ છે ... એટલે એની ચર્ચા અહી નથી કરવી ... 
પણ સંદર્ભ સારો નિકળ્યો છે તો શ્રી સૌમ્ય જોષીની અને મારી એકદમ ફેવરીટ આ કવિતા પોસ્ટ કરવાની ઈચ્છા થાય છે  .... આમ તો કવિતા વાચતા પહેલી દ્ર્શ્ટીએ તો એમ જ લાગશે કે આ તો નવરાત્રીમા પોસ્ટ કરવી જોઈએ .... પણ એ જ તો એની ખૂબી છે કવિતાના અંત તરફ વધીએ ત્યારે ખબર પડે છે કે ધીરે ધીરે  એ કેટલી સહજતા થી કેવા ગંભીર સબજેક્ટ પર પહોચી જાય છે ....  એક ખુબ જ રમૂજ ઘટનાથી શરુ થયેલી વાત આખી માણસજાત પર કેવો સેટાયર કરી જાય છે ! ... ચાલો વધારે સસ્પેન્સ ક્રીએટ નહી કરુ .............. આમ તો એને સૌમ્ય સાહેબના અવાજમા સાંભળવી એક લ્હાવો છે ... પણ એને વાચવી અને  સમજવી એ પણ કવિતાના રસિયાઓ માટે તો કાઈ ઓછુ ના કહેવાય !
ગરબે અણઘડ  શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ,
જવાન બુઢ્ઢા બાળક ઘૂમે નવરાતર ને કોલ.

ગોકુળ કરતાં જુદું અહી તો ગોપી એટલા કહાન,
શહેર નામનુ ગોકુળ ઝૂલે ગરબે ભૂલે ભાન.

વીજ્ળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક,
એવામાં પણ એક કૂતરાએ મૂકી કળજક પોક.

મા્જમ રાત ને ગરબે ઘૂમે ચણિયા-ચોળી- આભલાં,
પણ કૂતરાના ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા.

કૂતરું જોતું આભમાં ને કહે કરમની વાત,
મારા થાંભલા ફરતો ઘૂમે માણસ છે કમજાત.

કૂતરાને કૂતરાપણું રોમરોમથી ડંખે,
આ તે કેવી જાત જે સાલી થાંભલા માટે ઝંખે.

કૂતરું જાણે વણવરસેલું ધોધમાર વાદળિયું,
કયા દેવને પૂજે ને ક્યાં ક્યાં બાંધે માદળિયુ.

કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ,
જ્યાંત્યાં જે તે કરી શકે કોઈની નઈ મરજાદ.

(પણ) આજે પૂંછડે લટકી ગ્યો છે મોટપણાનો ભાર,
થાંભલા વિના કંઈ પણ કરવું ક્યાંનો શિષ્ટાચાર ?

નિયમો હારે સહનશક્તિઓ ધીંગણાઓ કરતી,
કૂતરું અંદર રોકી બેઠું પૂનમ જેવી ભરતી.

રોકી બેઠું લાગણીઓને કરે કોને ફરિયાદ,
એટલામાં કૂતરાને આવ્યું જૂનું છાપું યાદ.

શહેર આખું સૂતું'તું બસ કૂતરું છાપું સમજ્યું'તું,
માણસ નામે પ્રાણી કાલે હિન્દુ -મુસ્લિમ થઈ ગ્યું'તું.

કૂતરાને થઈ ગ્યું કે સાલો માણસ કેવી જાત ?
એવો થઈ ગ્યો જાણે કાલે બની ન કોઈ વાત.

આજે હસતો માણસ કાલે ઘરમાં બેસી સડતો'તો,
આજે ગરબે ઘૂમે કાલે મસાણમાં લથ્થડતો'તો.

કૂતરાની આખીયે જાત સહીસલામત ફરતી'તી,
માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખ્ખડતી'તી.

મંદિર મસ્જિદ ગુંબજ ઉપર મોત અજાણ્યું ફરક્યુ'તું,
શાંતિ નામે લાલ કબૂતર માણસ માથે ચરક્યું'તું.

કૂતરાને થઈ ગ્યું કે આ તો લોહી પાડતી જાત,
એની સામે મૂતરું એમાં નથી શરમની વાત.

ભરગરબામાં કૂતરું એનું  ઊંચું કરતું પગ,
માણસ સામે નઈ સંકોરું શરમ નામની શગ.

કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યું મીઠું,
એવામાં એણે ઓલીપાર બીજુ કૂતરુ દીઠું.

( હવે ) કૂતરું ચાટે કૂતરાને ને કરે પ્રેમની વાત,
આપણે ખાલી કૂતરા એ આપણી એક જ જાત.

માણસ કરડે માણસને ને ભડકે બળતું શહેર,
મુઠ્ઠી છે ને પથ્થર છે આ કયા જનમનું વેર ??


- સૌમ્ય જોષી.
 અને છેલ્લે ....
इस दुनिया के दामन पर इन्सान के लहूका रंग है क्युं ?
इश्वर अल्लाह तेरे जहांमें नफरत क्युं है, जंग है क्युं ?  ...

गूंज रही है कितनी चीखें, प्यारकी बातें कौन सुने,
टूट रहें है, कितने सपने, इनके टुकडे कौन चुने ?

दिलके दरवाझों पर ताले, तालों पर ये झंग है कयुं ?
इश्वर अल्लाह तेरे जहांमें नफरत क्युं है, जंग है क्युं ?  ...
  –  जावेद अख्तर