Wednesday, September 28, 2011

हम चिरागों की तरह जलते रहे ...



तकाजा है वक्त का तूफां से जूझो
कब तक किनारे किनारे चलोगे ...

-"?"


बिछडा है जो ईक बार मिलते नही देखा,
ईस जख्म को हमने कभी सिलते नही देखा ...
- परवीन शाकिर


राजे दिल कहा जिसे दोस्त समझ कर
ए जफर उसी को हमने जान का दुश्मन पाया ..
- बहादुरशाह जफर

कैसे कैसे हादसे सह्ते रहे
हम चिरागों की तरह जलते रहे ...
-"?"

Wednesday, September 21, 2011

મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉડાવીએ...

ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ
આંખોમાં ભરીએ આભ,  તણખલાંઓ ચાવીએ

ખળ ખળ વહી જતી પળો કાલે ન પણ મળે
થઈએ  ભીનાં  ફરીથી,  ફરીથી  સુકાઈએ

ઉગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં
મુઠ્ઠી  ભરી  ભરી  બધે  તડકો  ઉડાવીએ

વાતાવરણમાં ધુમ્મસી ભીનાશ ઓસની
ટીપાંઓ એકઠા કરી દ્ર્શ્યો  તારવીએ

આંગળીઓ એકબીજાની ગણીએ ધીમે ધીમે
અંતર ક્ષિતિજ સુધી હજી પગલાંથી માપીએ ...

- હેંમંત ધોરડા

Sunday, September 18, 2011

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે ..

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
માનસરના હંસ જેવું પણ મળે.

એક સાદું વસ્ત્ર અડવાણે ચરણ
મુઠ્ઠીભર માગી લીધેલાં કણ મળે.

રોજ મુજને હું મળું નવલા રૂપે
ને અજાણેવેશ નારાયણ મળે.

લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે
આવ મળવાનું તને કારણ મળે.

કંઠમાં ગીતો હલકમાં વેદના
ને અલખનો ઓટલો રણઝણ મળે

- ધ્રુવ ભટ્ટ

Tuesday, September 13, 2011

માનવીના રૂપમાં મનસૂર છું....

રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર છું.

…પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?

કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

- ‘રૂસ્વા’ મઝલુમી

Saturday, September 10, 2011

એથી વધુ નજીક તો આવી નહીં શકું. ...

એવું નથી કે હોડી બનાવી નહીં શકું,
પણ છે નદી બરફની, તરાવી નહીં શકું;
ઊભો છું વ્હેંત છેટે ને વચ્ચે સ્વમાન છે,
એથી વધુ નજીક તો આવી નહીં શકું.

- રઈશ મનીઆર

 " સ્વમાન" બહુ અઘરો શેબ્દ છે. લોકો સ્વમાન અને અભિમાન વચ્ચે ભેદ તારવી નથી શકતા .... એટલે ક્યારેક સ્વમાન ખાતર કહેવાયેલી વાતો ને અભિમાન સમજી જતા હોય છે .... અને એમાં ઘણા સંબંધો પણ તૂટી જતા હોય છે.  પણ સ્વમાનના ભોગે ભલા કોંઈ સંબધ બાંધી શકાય ખરા !  અને જે સંબંધમાં સ્વમાન ના જળવાય એ વળી "સંબંધ " કઈ રીતે કહેવાય ! સંબંધમાં તો હંમેશા સહ્ર્દયતા હોય ! અને જ્યાં સહ્ર્દયતા હોય ત્યાં એકબીજાના સ્વમાન આપોઆપ જળવાઈ જતા હોય ... અને એમાંય વળી જ્યાં પ્રેમ ની વાત આવે ત્યાં તો એકબીજાને ના ગમતી વાતો પણ સહજતા થી જળવાઈ જવી જોઈએ ... એકબીજાના "સ્વ" નું માન ના રાખી શકે ત્યાં પ્રેમ કેવી રીતે હોઈ  શકે  ? હા, ત્યાં પ્રેમ નો ભ્રમ ચોક્ક્સ હોઈ શકે .... અને  ભ્રમ જેટલા જલદી ભાંગી જાય એ જ સારુ રહે છે .....

એટલે જ તો કવિ કેટલી ખુમારી થી કહે છે -  સ્વમાન ના ભોગે તો હુ પ્રેમ નહી કરી શકુ ... 

"ઊભો છું વ્હેંત છેટે ને વચ્ચે સ્વમાન છે,
એથી વધુ નજીક તો આવી નહીં શકું. ... "


જીવનની આવી સરળ વાતો ખબર નહી કેમ બધાને સરળાતી નથી સમજાતી !

અને છેલ્લે ....

ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?
ને શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે ?
છે મિત્રના જેવો જ અનુભવ ‘આદિલ’
આ અર્થના વ્યાપારની વાત જ ક્યાં છે ?

- આદિલ મન્સૂરી

Monday, September 5, 2011

" કૃષ્ણાયન " ... થોડાક અંશ

મથુરાની આંખોને લ્હેવા જતાંય કદી
મનમાં શું એમ જરા આવ્યું ?
કે ગોકુળ મોંફાટ હશે રોયું !
શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું .......


હમણા જ શ્રી કાજલ ઓઝા વૈધની " કૃષ્ણાયન " વાંચી એમાંથી  થોડાક અંશ  આજે અહી વહે્ચવાની ઈચ્છા થાય છે થોડાક ફરી ક્યારેક  ... 

દ્રશ્ય કંઈક આવુ છે .... યાદવાસ્થળી પછી દુખી થઈને ઝાડ નીચે બેઠેલા કૃષ્ણના પગમાં જરા નામના શિકારીથી ભુલથી બાણ વાગી જાય છે. હવે કૃષ્ણનુ મૃત્યુ નજીક છે.... અને અંતિમ સમયે એમને એમનુ આખુ જીવન યાદ આવી રહ્યુ છે ... ખાસ કરીને એમના જીવનની ત્રણ મહત્વની સ્ત્રીઓ રાધા - રુકીમણી અને દ્રૌપદી .... પ્રેમિકા - પત્નિ અને સખી ....  યાદમા ખોવાયેલા કૃષ્ણ પાસે લેખિકા ધ્વારા બોલાવડાવેલ  કેટલાક સંવાદ ....
--------------------------------------------------------------------

- "સ્ત્રીઓ શા માટે એક્બીજાથી જુદી નથી હોતી ? 
 
કોઈપણ યુગની, કોઈ પણ વયની સ્ત્રી શા માટે એક્સરખુ વિચારે છે ? શા માટે એકસરખી બાબતે પીડા અનુભવે છે ? શા માટે એક સરખી બાબતે પીડા અનુભવે છે ? શા માટે એકસરખી વાત પર ક્રોધિત થાય છે ? અને ક્રોધ વ્યક્ત કરવાની રીત પણ શા માટે એકસરખી હોય છે ? " કૃષ્ણના મનમાં પ્રશ્નો ઉદભવતા હતા ....


- " સાથે સાથે જીવનારા બે જણાને વિયોગની ભયાવહતા ત્યારે જ સમજાતી હશે, જ્યારે વિદાયની પળ સાવ સામે આવીને ઊભી રહે. એ પળ ક્યારેય આવશે જ નહી , એવા સુખદ ભ્રમમાં જીવતા સર્વે જીવો કાં તો એ પળનું સત્ય જાણતા નથી અને જો જાણતા પણ હોય તો એને સ્વીકાર કરવાની માનસિકતા એમની નથી હોતી.
ભવિષ્યમાં વિયોગ થશે એમ માનીને આજ ની સુખદ પળને નકારવાની કે તિરસ્કારવાની આવશ્યકતા નથી. પરંતુ, આવનારી પળ પ્રત્યે આંખો મીંચવાથી એ નહી આવે, અથવા નિશ્ચિત સમય કરતા મોડી આવશે એવુ પણ નથી જ !
વિદાય આવશે જ. જેનો આરંભ થયો છે એનો ક્યાંક પહોંચીને અંત પણ થશે જ. એ જાણનારા, જાણીને સ્વીકારનારા કદાચ વર્તમાનને વધુ આનંદ થી, વધુ સંતોષથી માણી શકે છે...... "


- " પાર્થ, સ્ત્રી અને પુરુષમાં ફેર છે. એમની નીતિ, એમના ધર્મો, એમની વિચારવાની પધ્ધતિ પણ જુદી જુદી છે... એક ઋદયથી વિચારે છે અને બીજો મસ્તિષ્ક્થી ... સ્ત્રી પ્રેમ કરવામાં પુરુષ કરતા વિષેશ શક્તિમાન છે. સ્ત્રીને માટે પ્રેમ સમર્પણ છે. પ્રેમ સેવા છે, પ્રેમ સહચાર્ય છે. જ્યારે પુરુષ માટે પ્રેમ વધુ કે ઓછા અંશે આત્મિક્મ આધ્યાત્મિક અન્ય્ભવ છે. જ્યારે પુરુષ માટે એ ક્ષણિક આવેગનુ નામ છે.... સ્ત્રીની નીતિ એક જ પુરુષને જીવનભર સમર્પિત રહેવાની છે, જ્યારે પુરુષ બહુ વિવાહી રહીને સર્વેને ચાહી શકે છે.સ્ત્રી ક્ષમા કરી શકે છે પુરુષના ભયાનક અપરાધને પણ - જ્યારે પુરુષ ધર્મ અને વેરની ભાષા જાણે છે."


- " પુરુષ સ્ત્રીમા ઘણુબધુ ઝંખે છે. એક મા, એક પ્રિયતમા, એક પત્નિ, એક મિત્ર, એક મંત્રી અને ક્યારેક એક વિચક્ષણ શત્રુ પણ ..... " 
  
-------------------------------------------------------------------- 

અને છેલ્લે ...

માધવે રાધા જ્યાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી
સાત સાત સૂરના મેઘના ધનુષ જેમ
રોમ રોમ રાગીણી જાગી ….

ફૂંકે તે સૂર સૂર, ઝીલે તે સૂર સૂર
સૂર સૂર શ્યામ અને રાધા
ખીલ્યું છે સૂરધનું આંખનાં અગાધ એમાં
ઓગળે છે દ્વેત આધા આધા
સૂરનો ત્રિભંગ સોહે મોહે વરમાંડ, આજ
અદકું કંઇ વિશ્વ વરણાગી….

માધવે રાધા જ્યાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી .....

- ઉશનસ

Friday, September 2, 2011

કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ...


લ્યો ફરી વર્ષો પછીથી  શાયરી કહેવાઈ ગઈ,
મૌનની જાહોજલાલી ફરી લૂંટાઈ ગઈ.

તીવ્રતા બુઠી થઈ ગઈ ને ગા લ ગાનાં બંધનો,

બેડીઓનો દેશ છે અને કરવતો ખોવાઈ ગઈ.

એ જ ગઝલો એ જ લોકો એ જ અધૂરાં સ્વપ્ન બે,

કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ.

શું કરૂં, મારા રુદનની સાબિતિનુ શુ કરુ ?

એક ક્ષણ ખાલી હ્સ્યો એમાં છબી ખેંચાઈ ગઈ.

આ જ મારી કાયમી ભીનાશનું કારણ કહું

એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ .....

- સૌમ્ય જોષી.