"સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવુ મેં નથી અનુભવ્યુ. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક
માર્ગ છે ...."
"આત્મશુધ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુધ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. "
"શુધ્ધ થવુ એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું, રાગધ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકોની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણીવાર ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્ર્યુધ્ધથી જીતવા કરતાંય મને કઠિન લાગે છે. ..... "
"અહિંસાએ નમ્રતાની પરાકાષ્ઠા છે.અને એ નમ્રતાવિના મુક્તિ કોઈકાળે નથી ... "
"મારે દુનિયાને નવુ કશુ શીખવવાનુ નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે. ......"
- મોહનદાસ કરમચંદ ગાંધી.
"સત્યના પ્રયોગો" માંથી કેટલાક અંશો .....
અને છેલ્લે ....
વૈષ્ણવ જનતો તેને કહિયે જે પીડ પરાયી જાણેરે
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણેરે...
સકળ લોકમા સહુને વંદે નિંદા ન કરે કેનીરે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધનધન જનની તેનીરે ...
સમ દૃષ્ટીને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવઝાળે હાથરે ...
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મારે
રામનામ સૂઁ તાલી લાગી સકલ તીરથ તેના તનમાઁરે ...
વણ લોભીને કપટરહિતછે કામ ક્રોધ ન વાર્યારે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યારે...
- નરસિંહ મહેતા
માર્ગ છે ...."
"આત્મશુધ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુધ્ધિ વિના અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. "
"શુધ્ધ થવુ એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું, રાગધ્વેષાદિરહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકોની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણીવાર ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્ર્યુધ્ધથી જીતવા કરતાંય મને કઠિન લાગે છે. ..... "
"અહિંસાએ નમ્રતાની પરાકાષ્ઠા છે.અને એ નમ્રતાવિના મુક્તિ કોઈકાળે નથી ... "
"મારે દુનિયાને નવુ કશુ શીખવવાનુ નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે. ......"
- મોહનદાસ કરમચંદ ગાંધી.
"સત્યના પ્રયોગો" માંથી કેટલાક અંશો .....
અને છેલ્લે ....
વૈષ્ણવ જનતો તેને કહિયે જે પીડ પરાયી જાણેરે
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણેરે...
સકળ લોકમા સહુને વંદે નિંદા ન કરે કેનીરે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધનધન જનની તેનીરે ...
સમ દૃષ્ટીને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવઝાળે હાથરે ...
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મારે
રામનામ સૂઁ તાલી લાગી સકલ તીરથ તેના તનમાઁરે ...
વણ લોભીને કપટરહિતછે કામ ક્રોધ ન વાર્યારે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યારે...
- નરસિંહ મહેતા
No comments:
Post a Comment