Tuesday, May 14, 2013

પુસ્તક ....

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
, ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું .....
– મધુમતી મહેતા

પુસ્તકોનો પ્રચાર જો ઓછો થતો હોય, તો તેનું કારણ એ નથી કે વિશાળ જનસમુદાય પુસ્તક વાંચતો નથી; એનું કારણ એ છે કે પ્રજા પાસે જે પુસ્તકો આવે છે તે "લખાયેલાં" નથી હોતાં, પણ માત્ર "છપાયેલાં" જ હોય છે. કોઈ પણ પુસ્તક વંચાય તે માટે પ્રથમ તો એ ખરેખર "લખાયેલું" હોવું જોઈએ. પુસ્તક વિચારાયું પણ હોવું જોઈએ, એનું સાચેસાચ સર્જન થયું હોવું જોઈએ. પુસ્તકનું ભાવિ તેના લેખનની કાવ્યમયતા સાથે, આલેખનશક્તિ અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલું છે. પુસ્તક "લખવા"માં જો આપણે સફળ થઈશું, તો તેનું ભાવિ નિશ્ચિત છે; પણ જો તેને માત્ર છાપીને જ આપણે સંતોષ માનશું, તો એ નાશ પામશે.



- આલ્બેર્ટો મોરાવીયા

હું  એને  પામું  છું  એની  નિશાની  જ્યાં  નથી હોતી,
નિહાળું  છું  હું  એક  તસવીર  ને  રેખા  નથી  હોતી!
       
જીવન પુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે?
બધી   દીવાનગીના   મૂળમાં   લયલા  નથી   હોતી.
- હરીન્દ્ર દવે

No comments:

Post a Comment