Thursday, August 4, 2011


હંમેશા પથ્થરોમાં જ ઈશ્વરને જોવા ટેવાયેલા મનુષ્યને પોતાની આસપાસ પ્રસરેલી પ્રકૃતિમાં ખબર નહી ક્યારે ઈશ્વરના દર્શન થશે ! અને જો આમ થાય તો દુનિયા મોટાભાગના આશ્રમ અને પંથ બંધ થઈ જાય ... કદાચ ઠેર-ઠેર અને ઘેર - ઘેર પ્રકૃતિશ્રમ આપો આપ જ રચાઈ જાય .... 


 કોઈ વ્રુક્ષ કપટી નથી હોતુ
કોઈ પંખી ભ્રષ્ટ નથી હોતુ
કોઈ વાદળ કંજુસ નથી હોતુ
પર્વત જેટ્લો ઉંચો,
તેમ એની ખીણ ઉંડી.
મહાસાગર ગહન - ગંભીર ખરો
પણ એનો ઉમળ્કો તો અનંત
તરંગરાશિ પર સદાય ઉછળતો જ રહે છે.
નદીના હ્ર્દયમાં ભેદભાવ નથી હોતો
સાધુ જેવા દેખાતા ગમે તે માણસોનો
ચરણસ્પર્શ કરવા માટે પાગલ બનીને
પડાપડી કરનારા લોકોને
ઉપર ગણાવ્યા તેવા
ભવ્ય અને દિવ્ય ગુરુસ્થાનો
નજરે નહી પડતા હોય ???


- ગુણવંત શાહ

No comments:

Post a Comment