Wednesday, January 11, 2012

એકો અહં, ધ્વિતિય નાસ્તિ ...

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી....


એમ તો દુનિયામાં દરેક માણસ અનોખો અને અજોડ છે. વૈચાતિક રીતે ભલે એ ટોળામાંના ઘેટામાંની જેમ જીવતો હોય અને કદાચ કંઈક અલગ ના પણ જીવતો હોય તો પણ  બાયોલોજીકલી તો એ સાવ સાચુ જ છે કે એક માણસ બીજાથી સાવ અલગ છે. માણસ જ શુ કામ!  ઉપરવાળા એ ઘડેલી દરેક વસ્તુ એક્બીજાથી થોડી તો અલગ હોય જ છે. ભીડમાંથી અલગ પડવા માટે ક્યારેક આવી શારિરિક ભિન્ન્તા તો ક્યારેક વૈચારિક ભિન્નતા કામમાં આવે છે .

એકો અહં, ધ્વિતિય નાસ્તિ ... એના પર ચંદ્રકાન્ત બક્ષીના કેટલાક વિચારો ...

જીવનના અંતિમ ઉચ્છવાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.

આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી,
એ અધ્વિતીય હોય અથવા ન હોઈ શકે
પણ એનો ધ્વિતિય નથી,

એના અંગુઠાની છાપ, એના અક્ષરોના મરોડ,
એના અવાજની ગહરાઈ, એના ચહેરાની રેખાઓ,
એના અનુભવનો ગ્રાફ, એના ભૂતકાળના ઉભાર ઉતાર,

એના રક્તસંબંધો અને દિલસંબંધો,
એનું પતિત્વ- પિતાત્વ - પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને
એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે

જ્યારે કહી શકે છે
એકો અહં, ધ્વિતિય નાસ્તિ ...
ન ભૂતો ન ભવિષ્યતિ ...

હું એક જ છુ. મારા જેવો બીજો નથી.
ભૂતકાળમાં હતો નહીં, ભવિષ્યમાં થશે નહી ...

- from the book "Ego" by Chandrakant Bakshi

No comments:

Post a Comment