Thursday, April 5, 2012

વરસે છે મારી આંખથી ...

વરસે છે મારી આંખથી શ્રાવણ હજી સુધી
ગૂંથું છું આસુંઓનાં હું તોરણ હજી સુધી.

દિલનાં ઝખમનો કેટલો ઉપચાર હું કરું?
એ ઘાવ નથી રૂઝાતો  જરા પણ હજી સુધી.

દિલની વ્યથાનો ભેદ કહી દઉં કે ચૂપ રહું,
ડંખે છે આ સવાલ ને મુંઝવણ હજી સુધી.

-ખલીલ ધનતેજવી

No comments:

Post a Comment