Saturday, April 21, 2012

પ્રિય પ્રભુ,...

પ્રિય પ્રભુ,

તારી ઉપરની શ્રધ્ધા ડગમગી જાય છે ક્યારેક,
ભરોસો નાસ્તિક્તાની મજાક ઉડાવે છે.

તારી રોજ પૂજા કરવાવાળા માણસો
તારી ઉપરથી વિશ્વાસ ગુમાવી દે એ તને પોસાય છે ? 
એમને દુખી જોઈને તુ પોરસાય છે ?

મારાથી પણ વધારે અહમ તારો હોય છે
ક્યારેક તારુ વર્તન અસહ્ય હોય છે.

આવી પરિસ્થિતિમાં તુ યાદ તો આવે જ છે
પણ, તારી સાથે વાત કરવાનુ મન નથી થતુ.

સ્પીડબ્રેકરની વચમાં ક્યાંક ક્યાંક રસ્તો હોય 
એટલી અડચણો અથડાતી રહે છે ...
શ્વાસ રુંધાઈ જાય એટલી હદ સુધીની ગૂંગળામણ હોય છે..

આને જ તારુ વ્હાલ કહેવાતુ હોય તો
મારાથી તુ સહન નથી થઈ શકતો ....

લિ,... 
પ્રેમથી ઝગડતો....
 
- અંકિત ત્રિવેદી

No comments:

Post a Comment