Thursday, October 25, 2012

એક નવી વાનગીની રીત...

એક તદ્દ્ન નવી વાનગીની રીત આ પ્રમાણે છે.
સૌ પ્રથમ એક કિલો પ્રેમ લઈ એમાં બસો ગ્રામ સ્મિત ઉમેરો.
આથો થોડો ચડી રહે પછી એમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનુભુતિ તથા પા લીટર સચ્ચાઈ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો. પછી એમાં એટલા જ વજન જેટ્લો આનંદ રેડીને ઠીકઠીક સમય સુધી વૈરાગ્યના રેફ્રિજરેટરમાં મૂકી રાખો. થોડાક કલાક પછી યોગ્ય કદનાં ચકતાં પાડીને શત્રુઓ તથા મિત્રોમાં વહેંચવા માંડો. આવી સ્વાદિષ્ટ વાનગીનું નામ જીવન છે.

- ગુણવંત શાહ

No comments:

Post a Comment