સહજ્વૃત્તિ હંમેશા ન્યાયી હોય છે અને તે હંમેશા પ્રાકૃતિક અને સહજ માર્ગ બતાવે છે.
બેશક જો દરેક વ્યક્તિ સહજવૃત્તિને અનુસરતી હોય તો કોઈ ધર્મની જરુર ના રહે, કોઈ ઈશ્વર, કોઈ પુરોહિતની જરુર ના પડે. પશુઓને ઈશ્વરની જરુર પડતી નથી. તેઓ સુખી જ છે - મને લાગતું નથી કે તેમને કોઈ ઈશ્વરનો અભાવ સાલતો હોય. એક પણ પ્રાણી, એક પણ પક્ષી, એકપણ વૃક્ષને ઈશ્વરનો અભાવ સાલતો નથી. તેઓ જીવનને તેની તમામ સુંદરતા અને સરળતા સાથે અને નરકના ભય કે સ્વર્ગની લાલસા વિના કે કોઈપણ પ્રકારના દર્શનિક મતભેદ વિના માણી રહ્યા છે. તેમનામાં કોઈ કેથલિક સિંહો નથી કે કોઈ પ્રોટેસ્ટન્ટ કે હિંદુ સિંહો નથી.
સમગ્ર અસ્તિત્વ કદાચ મનુશ્ય સામે હસતું હશે - માણસજાત સાથે જે બન્યુ છે તે જોઈને હસતુ હશે - જો પક્ષીઓ ધર્મ વિના, દેવળો વિના, મસ્જિદો અને મંદિરો વિના જીવી શકતા હોય તો મનુષ્ય શા માટે જીવી ના શકે?
- ઓશો
ઈચ્છાથી પર અરુપ અનામ
અજન્મા; સચ્ચિદાનંદ પરમધામ
વ્યાપક વિશ્વરુપ ભગવાન
વિધવિધ દેહમાં એનું સ્થાન
- તુલસીદાસ
બેશક જો દરેક વ્યક્તિ સહજવૃત્તિને અનુસરતી હોય તો કોઈ ધર્મની જરુર ના રહે, કોઈ ઈશ્વર, કોઈ પુરોહિતની જરુર ના પડે. પશુઓને ઈશ્વરની જરુર પડતી નથી. તેઓ સુખી જ છે - મને લાગતું નથી કે તેમને કોઈ ઈશ્વરનો અભાવ સાલતો હોય. એક પણ પ્રાણી, એક પણ પક્ષી, એકપણ વૃક્ષને ઈશ્વરનો અભાવ સાલતો નથી. તેઓ જીવનને તેની તમામ સુંદરતા અને સરળતા સાથે અને નરકના ભય કે સ્વર્ગની લાલસા વિના કે કોઈપણ પ્રકારના દર્શનિક મતભેદ વિના માણી રહ્યા છે. તેમનામાં કોઈ કેથલિક સિંહો નથી કે કોઈ પ્રોટેસ્ટન્ટ કે હિંદુ સિંહો નથી.
સમગ્ર અસ્તિત્વ કદાચ મનુશ્ય સામે હસતું હશે - માણસજાત સાથે જે બન્યુ છે તે જોઈને હસતુ હશે - જો પક્ષીઓ ધર્મ વિના, દેવળો વિના, મસ્જિદો અને મંદિરો વિના જીવી શકતા હોય તો મનુષ્ય શા માટે જીવી ના શકે?
- ઓશો
ઈચ્છાથી પર અરુપ અનામ
અજન્મા; સચ્ચિદાનંદ પરમધામ
વ્યાપક વિશ્વરુપ ભગવાન
વિધવિધ દેહમાં એનું સ્થાન
- તુલસીદાસ
No comments:
Post a Comment