Wednesday, November 14, 2012

સાલમુબારક ...........

સરવાણીને વાંચતા હોય અને જે ના વાંચતા હોય એ તમામ લોકો ને પણ સરવાણી તરફથી નવાવર્ષની ખૂબ ખૂબ ખૂબ શુભકામનાઓ ..... :-)

 જુના વર્ષના નાના-મોટા  ખોટા-માઠા-નગમતા પ્રસંગોને ભુલીને જીવનમાં નવી તાજગી પૂરવા માટે નવુ વર્ષ તો કદાચ એક બહાનુ જ હશે ..... આશા રાખુ છુ કે આવનાર નવા વર્ષમાં આપણે પણ શ્રી સુરેશ દલાલની આ વિવિધ ઝંખનામાંથી કોઈક એકાદી ઝંખનાને જીવી શકીએ અને જીવનને સાર્થક કરી શકીએ ...................


"ધુમ્મસ હોય ત્યારે સૂર્યનું કિરણ થવામાં મને રસ છે. મને રસ છે બે કાંઠાને જોડતા સેતુ થવામાં. દીવાલોનો મને થાક છે, કંટાળો છે. વાદળો ઘેરાય તો ભલે ઘેરાય - પણ એ વરસે અને વહાલ થઈને વેરાય એવી મારી વાસના છે. કોઈને ચાલવું હોય તો રસ્તો થવામાં મને રસ છે. મને નિસબત છે કે કોઈકના રસ્તા પર હું વૃક્ષનો છાંયો થઈને પથરાઈ જાઊં. એને તરસ લાગે ત્યારે ફૂલની પિયાલીમાં જળ પાઉં. એવુ જળ કે એની તરસ છિપાય અને એને અમૃતનો અનુભવ થાય. જ્યાં બરફ જ પડતો હોય ત્યાં હું તાપણું થાઉં. એ મારી અંગત તરસ છે. કોઈક નાનકડા બાળકની આંખમાં સ્વપ્ન થઈને જાગું અને એના હોઠ પરનું સ્મિત થઈને છલકાઉં. સમય જ્યારે નિર્જન સીમ હોય ત્યારે ટહુકી ઊઠું પંખી થઈને. નીરવતા અને હું બન્ને ઝંકૃત થઈ જઈએ. સરોવરમાં હંસ થઈને તરવાની અને  ઊઘડતા કમળની સૌરભ સાથે ગૂફતેગૂ કરવાની મને ઝંખના છે ".... 

- સુરેશ દલાલ

સાલમુબારક ...........

No comments:

Post a Comment