Saturday, July 9, 2011

લગાવ પણ નહીં. ....

પ્રતિરોધ પણ નહીં ને પ્રતિભાવ પણ નહીં,
આ લાગણીઓ સાથે કંઈ લગાવ પણ નહીં.

જ્યાં છીએ ત્યાં જ તે સ્થિતિમાં એ રીતે રહ્યા,
ભીતર બહાર કયાંયે આવ જાવ પણ નહીં.

કોરી કિતાબ જિંદગીની બસ બની રહી,
કોઈ પ્રસંગ, ઘટના કે બનાવ પણ નહીં.

તારા સ્મરણમાં રાત દિન જાય એ રીતે,
સાંનિધ્ય પણ નહીં ને તુજ અભાવ પણ નહીં.

-હરકિશન જોષી

Thank you ગુર્જર કાવ્ય ધારા...
 

No comments:

Post a Comment