Thursday, July 21, 2011

"સંબંધ " ... - શ્રી ગુણવંત શાહ

મૂળ છું હું મૂળથી સંબંધ છે
મારે ચપટી ધૂળથી સંબંધ છે 

અગ્નિ, જળ, વાયુ અને આકાશનો
માનવીના કૂળથી સંબંધ છે...

"સંબંધ " ...આ ખાલી એક અઘરો શબ્દ જ નથી પણ પ્રેક્ટીકલી પણ બહુ કોમ્પ્લીકેટેડ વસ્તુ છે ... કેમ કે લાઈફમાં કેટલાક સંબંધો સમજમા જ નથી આવતા ..... જો કે એની પાછળ એક કારણ છે કે આપણે દરેક સંબંધને નામથી જ જોવા ટેવાયેલા છીએ ... શુ કરીએ સામાજિક પ્રાણી છીએ , એટલે સામાજિક આદતો ની અસરથી મુક્ત તો કેવી રીતે રહી શકાય ? .... છતાં આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના લોકો જીવનમા આવા નામ વગરના નિખાલસ સંબંધો હંમેશા ઝંખતા હોય છે .... ઓ હલો ! અહી કોઈ ફેસબુક પર હાઈ / હલો કરીને બંધાઈ જતા સંબંધની વાત નથી થઈ રહી ..... આ તો વાત થઈ રહી છે એકદમ સહજતાથી બંધાઈ જતા, ક્યારેક તો બિલકુલ એક શબ્દની પણ આપ-લે થયા વગર ખાલી એક સ્મિત ની આપ-લે પુરતા બંધાઈ જતા અને ક્યારેક સાવ સામાન્ય વાતચીત થી શરુ થઈને ગાઢ લાગણીમા ફેરવાઈ જતા સંબંધની વાત થાય છે ..... જેટલા રંગના ફૂલો છે દુનિયામાં સંબંધો પણ કદાચ એટલા જ અવનવા અને અનોખા હોય છે .......

ક્યારેક તો થાય છે કે જે લોકો આપણા જીવનમાં આવતા હોય છે પછી એ દોસ્ત હોય કે દુશ્મન ... શુ એમને આપણે ક્યારેય ઝંખ્યા હશે પૂર્વે ? કુદરતનુ કયુ લોજીક કામ કરે છે એમા એ સમજાતુ જ નથી .... કયારેક આપણી જ ગલીના છેલ્લા મકાનમા રહેતા કે આપણા જ એરિયામા વસતા માણસ વર્ષો સુધી આપણા પરિચયમા પણ ના આવે .... ને ક્યારેક દુનિયાના  કોઈ સામા છેડે વસનાર માણસ આપણા જીવનો ખાસ ભાગ બની જાય ............ મિરેકલ નથી આ તો શુ છે ? એની વેયસ , ..... 
મારી જેમ લેખક શ્રી ગુણવંત શાહ પણ સંબંધોની અવનવી રીતો પર કદાચ મારા જેટલા  જ વિસ્મિત છે ....
જુઓ ......

માનવસંબંધોની ભાત નિરખવા જેવી અને પરખવા જેવી  છે.

કેટલાક સંબંધો ગુલમહોરિયા કે પછી ગરમાળિય જેવા હોય છે,
ભરઉનાળે આંખને ઠંડક અને જીવનને રંગદીક્ષા આપે તેવા.

કેટલાક સંબંધો બોગનવેલિયા હોય છે; સુગંધ નહી પણ શોભા વધારનારા.

કેટલાક સંબંધો બાવળિયા હોય છે; ઉપયોગી તોય કાંટાળા.

કેટલાક સંબંધો વડલાની શીળી છાયા જેવા ઉપકારક,
તો કેટલાક લીમડા જેવા ગુણકારી.

કેટલાક સંબંધો વસંતમાં ખીલેલી આમ્રમંજરી જેવા, 
તો કેટ્લાક પારિજાત જેવા સુવાસયુક્ત હોય છે. 

કેટલાક સંબંધો ગુલાબી તો કેટ્લાક મોગરાની મહેક જેવા હોય છે.

કેટલાક સંબંધો ' ઓફિસ ફ્લાવર્સ ' જેવા હોય છે,
સવારે ખીલે ને સાંજે બિડાઈ જાય ..............
 

- શ્રી ગુણવંત શાહ

અને છેલ્લે ...

ગૂંચ પણ એકે કદીયે હું ઉકેલી ના શક્યો,
હસ્તરેખાથી જટિલ બનતા ગયા સંબંધ સૌ.

જિંદગીના હાથને શેની બિમારી થઈ ગઈ ?
આંગળી માફક સતત ખરતા રહ્યા સંબંધ સૌ. ....

-વિવેક મનહર ટેલર


ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ ....

- જવાહર બક્ષી

No comments:

Post a Comment