Monday, July 11, 2011

સુખ .....

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.
કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ....

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

"સુખ" બહુ છેતરામણો શબ્દ છે.  એટલે એની વ્યાખ્યામા નથી પડવુ ... પણ "સુખ" વિશે ખૂણે-ખાચરે થી હમણા - હમણા જે થોડુ ઘણુ વાચવામા નજરે ચડ્યુ આજે એ બધુ એક કરીને Share કરુ છુ ...

---------------------
- આ દુનિયામા જીવવા માટે શુ સતત સુખની જ જરુર છે ? કોઈ પ્રકારનુ દુખ હોવુ જ ન જોઈએ ? માણસે સર્જનાત્મક બનવા માટે થોડુ દુખી હોવુ પણ જરુરી છે. કોઈનો વિરહ થયો હોય , કોઈનુ મરણ થયુ હોય , કોઈ આઘાત લાગ્યો હોય તો તેના વિષાદને પૂરેપૂરો માણવાને બદલે આપણે સીધા ટ્રાન્ક્વીલાઈઝરની બાટલી પાસે જ પહોચી જઈએ છીએ.

અર્થાત દુખ અને પીડા પણ લાઈફમા જરુરી છે માણસની આંતરિક શક્તિ ખીલવવા માટે. કવિ બ્લેઈડની આ પંક્તિઓ સમજવા જેવી છે. 

         "Life is made of joy and woe 
         And when this we rightly know
          Safely through the world we go. "
 
- લાઈફ એ થોડાક  આનંદ અને થોડીક પીડાનુ મિશ્રણ છે.  ભલે થોડો સમય કષ્ટમા રહેવુ પડે , પણ પોતાને મેળે જ આપણે આપણી સમસ્યા સમજીએ  અને સમસ્યાથી દુર ભાગવાના રસ્તા શોધવાના બદલે સમસ્યાની સામે ઉભા  રહીએ  તો એ નબળાઈનો રસ્તો તમને મોટી તાકાત સુધી પહો્ચાડે છે ...

આજથી લગભગ ૧૨૫ વર્ષ પહેલા થોરો થઈ ગયા ... તેમણે એ સમયે જે કહેલુ એ આજે પણ એટલુ જ અર્થપૂર્ણ છે ...

"However mean your life is, meet it and live it : do not shun it and call it hard names. It is not so bad as you are. It looks poorest when you are richest. The fault finder will find faults in paradise. Love your life, poor as it is.Do not trouble yourself much to get new things, whether clothes or friends. Turn the old; return to to them. Things do not change, we change. "

- અત્યારે આપણી પાસે ન હોય તે સમૃધ્ધી માટે આપણે વલખા મારતા હોઈએ તો આપણે આપણને પ્રશ્ન પૂછવો જોઈએ કે તે સમૃધ્ધિ હાસલ થયા પછી પણ આપણને સુખ મળશે ખરુ ?

-  એકલતાની વિકરળતા હોય છે તેમ એકાન્તનુ એક સૌન્દર્ય પણ હોય છે.


- કાન્તિ ભટ્ટ 

----------------------------------------

હવે આ સાંભળો ...... મુલ્લા નસરુદ્દીનની આ એક બહુ જાણીતી વાત ...

મુલ્લાએ એક વાર એક માણસને નિરાશ થઈને રસ્તાની બાજુમાં  બેઠેલો જોયો. મુલ્લાએ એની પાસે જઈને વાતચીત શરૂ કરી. પેલા નિરાશ થઈ ગયેલા માણસે કહ્યું, “ભાઈ, આ જીવન માત્ર એક બોજો છે. મારી પાસે પૂરતા પૈસા છે. પરંતુ જીવનમાં મને ક્યાંય સુખ દેખાતું નથી.
કોઈ વાતમાં મને રસ પડતો નથી. પ્રવાસે નીકળ્યો છું - એટલા માટે કે કદાચ મને રસ પડે, પરંતુ હજુ સુધી મને રસ પડે એવું કશું દેખાયું નથી. કશું જ બોલ્યા વિના નસરુદ્દીને તે પ્રવાસીની બાજુમાં પડેલો તેનો થેલો ઉપાડી લીધો અને દોડવા માંડયું. રસ્તો જાણીતો હતો એટલે થોડી વારમાં તો મુલ્લા ક્યાંના ક્યાં નીકળી ગયા!
ખૂબ દૂર જઈને રસ્તાના એક વળાંક પાસે મુલ્લા અટક્યા. પેલો થેલો રસ્તામાં મૂક્યો અને પોતે બાજુમાં જઈને સંતાઈ ગયા.
થોડી વાર પછી પેલો પ્રવાસી દોડતો પાછળ આવી પહોંચ્યો. એ થાકી ગયો હતો. હાંફતો હતો, પણ દૂરથી રસ્તા ઉપર પડેલો પોતાનો થેલો જોતાં જ આનંદથી થનગની ઊઠયો.
છુપાઈ રહેલા મુલ્લાના હોઠ ઉપર સ્મિત આવી ગયું, “ હવે એને સુખ દેખાયું !


" સમય કોની પાસેથી ક્યારે અને શું ઝૂંટવી લેશે એ કોઈ જાણતું નથી. અને ઝૂંટવાઈ ગયેલી કેટલીક વસ્તુઓ પાછી આવવાની નથી. ઉંમર વીતવા સાથે આંખો ઝાંખી પડી જશે. કાનમાં બહેરાશ આવી જશે. એટલે જે જાણવા જેવું અને માણવા જેવું હોય તે પૂરી રીતે માણી લેજો. સુખ એક ધૂંધળી વસ્તુ છે. એની શોધ કરવાના બદલે તમારી પાસે જે હોય અને તમને જેમાંથી સુખ પ્રાપ્ત થઈ શકે તેમ હોય એનો વિચાર કરજો "

- મોહમ્મદ માંકડ "કેલિડોસ્કોપ" માથી ...
-----------------------
અને છેલ્લે ...

આંગળીઓ કો’ક નોંધારાની પકડી જોઈએ,
ચાલ સુખની સૌ પરિભાષાઓ બદલી જોઈએ.

ભાવમાં ભીંજાવવાનું સુખ મળે કોઈક વાર,
આજ કોઈના અભાવોથીય પલળી જોઈએ.

જેમની હરએક પળ સંઘર્ષ છે અસ્તિત્વનો,
એમના જીવન કથાનક સ્હેજ પલટી જોઈએ.

તેલ દીવામાં પૂરી અંધારને અવરોધવા,
અંધ આંખોમાં થઈને નૂર ચમકી જોઈએ.

ઓસની બુંદો સમું ‘ચાતક’ જીવન છે આપણું,
કોઈના ચ્હેરા ઉપર થઈ સ્મિત ઝળકી જોઈએ.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

No comments:

Post a Comment