Thursday, February 2, 2012

હેપી વસંત ...

શરીરમાં તાવ અને
મનમાં ગુસ્સો
ક્યારેક
આવી જવો જોઈએ...
માણસને પણ
પાનખર જેવું
કંઈક આવવું જોઈએ ...
પછી શરીર અને મન
બહુ સ્વચ્છ લાગે છે.

આ ચંદ્રકાન્ત બક્ષીના શબ્દો છે. વેલ પણ હાલ પાનખર નહી વસંત ચાલે છે. પ્રકૃતિમાં વસંત આવતી રહે છે. વસંત પછી પાનખર અને ફરી પાછી વસંત.જો કે આપણે માણસો ને એવું તો નથી હોતુ છતાંય શરીરમાં તાવ અથવા મનમાં ગુસ્સો આવીને જાય પછી જયારે તાજગી આવે એ વસંત આવ્યાનો દિલાસો બની શકે. એનીવેયસ વસંત પર ચંદ્રકાન્ત બક્ષીના કેટલાક શબ્દો અને સુરેશ દલાલની કવિતા સાથે સહુને હેપી વસંત ...

કદાચ મનુષ્ય માટે
ખુદાને પહેલેથી જ નફરત હશે ...
નહીં તો એણે
પ્રકૃતિને જે રીતની જવાની આપી છે
એ રીતની મનુશ્યોને પણ આપી હોત.
વર્ષે વર્ષે વસંત આવે છે,
જૂના પત્તાં ખરીને નવાં ફૂટે છે,
નવી કૂંપળો નવાં ફૂલો આવે છે,
નદીમાં નવું પાણી આવે છે...
આખી સૃષ્ટીમાં વસંતનો નવો શ્વાસ ધબકે છે
અને ધીરે ધીરે બંધ થઈ જાય છે,
બીજે વર્ષે આવવા માટે.
દર વર્ષે વસંત આવશે
સૃષ્ટિના અંત સુધી

માણસને પણ ઈશ્વરે મૄત્યુ સુધી
વર્ષે વર્ષે વસંત આપી હોત તો ?

- ચંદ્રકાન્ત બક્ષી

તમને ખબર છે, આજે વસંતપંચમી છે?

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
 ને શહેરનાં મકાનોને ખબર પડી
 આજે વસંત પંચમી છે.

આસ્ફાલ્ટની કાળી સડકો
 ભીતરથી સહેજ સળવળી
 પણ
 કૂંપળ ફૂટી નહીં.

ત્રાંસી ખૂલેલી બારીને
 બંધ કરી
 કાચની આરપાર
 કશું દેખાતું નહોતું.

ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યું :
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?

- સુરેશ દલાલ

No comments:

Post a Comment