' રમેશ અને અનિલના કાવ્યો ગુજરાતી કાવ્ય સૃષ્ટિમાં એક 'લીલો' વળાંક રચી આપે છે.' - "ઘેટાં ખોવાઈ ગયા ઉનમાં .." નામના અનિલ જોષી ના સંપાદિત કરેલ કાવ્યોના પુસ્તકની પ્રસ્તાવના માં શ્રી સુરેશ દલાલ આમ લખે છે .... આજે એમાંથી જ શ્રી અનિલ જોષીનુ કાવ્ય ....
વિખરાતા ડાયરાની ધૂળથી ભરેલ
તારા માથાની મ્હેક મને વીંધી ગઈ
અક્ષરમાં રેલાતી આંગળીઓ આજ
મને ખરતુ ગુલાબ એક ચીંધી ગઈ.
નદીઓની રેતીમાં રમતા શહેર
તને મિત્રોની જેમ રોજ મળશે.
અધકચરા માણસના ગીત તારી આંખમાં
આવી આવીને રોજ બળશે
આપણે તો કોણ જાણે કેવા પંખીઓ!
કાલ માળો બાંધીને આજ વીંખીએ.
કાયમી જુદાઈની વેળા આવે તો વળી
પ્રેમ જેવું કંઈક હજી શીખીએ.
ચોગરદમ પથરાયા ઈશ્વરની જેમ
તારુ દેખાતું બંધ થતું જોઈશુ
બહાવરી તે આંખ હવે રડવાનુ ભુલી ગઈ
કેમ કરી ધોધમાર રોઈશું.............
- અનિલ જોષી
વિખરાતા ડાયરાની ધૂળથી ભરેલ
તારા માથાની મ્હેક મને વીંધી ગઈ
અક્ષરમાં રેલાતી આંગળીઓ આજ
મને ખરતુ ગુલાબ એક ચીંધી ગઈ.
નદીઓની રેતીમાં રમતા શહેર
તને મિત્રોની જેમ રોજ મળશે.
અધકચરા માણસના ગીત તારી આંખમાં
આવી આવીને રોજ બળશે
આપણે તો કોણ જાણે કેવા પંખીઓ!
કાલ માળો બાંધીને આજ વીંખીએ.
કાયમી જુદાઈની વેળા આવે તો વળી
પ્રેમ જેવું કંઈક હજી શીખીએ.
ચોગરદમ પથરાયા ઈશ્વરની જેમ
તારુ દેખાતું બંધ થતું જોઈશુ
બહાવરી તે આંખ હવે રડવાનુ ભુલી ગઈ
કેમ કરી ધોધમાર રોઈશું.............
- અનિલ જોષી
No comments:
Post a Comment