શ્રી સૌરભ શાહના એક પુસ્તકમાં આપેલ "સાત તરી એકવીસ સંકલ્પો " માંથી.... પ્રથમ સાત સંકલ્પો યુવાનો એ કરવા જેવા ...
યુવાનોએ કરવા જેવા સાત સંકલ્પો
૧. જિંદગીમા ક્યારેય બીજાઓએ કરેલા સંકલ્પો વિશે કે બીજાઓ કરાવવા માગતા હોય એવા સંકલ્પો વિશે વાંચવુ નહી, સાંભાળવુ નહી, વિચારવુ નહી.
૨. સંકલ્પો પૂરા થયા પછી તરત એની ઊજવણી કરવાની ઉતાવળ કરવી નહી, લાંબુ વિચાર્યા પછી લાગશે કે સંકલ્પ પૂરો થયો છે એવો માત્ર ભ્રમ થાય છે. ખરા સંકલ્પ ક્યારેય પૂરા થતા નથી હોતા.
૩. બે વાર વિચાર પછી ખાતરીપૂર્વક જણાય કે સંકલ્પ પૂરો થઈ ગયો છે, તો મૂળ સંકલ્પની ચકાસણી કરવી, મોટેભાગે તમે ગ્રેજ્યુએટ થઈ ગયા પછી પહેલા ધોરણમાં પાસ થવા માટેની પરીક્ષામાં બેસવા જેવા સહેલા, બિનજરુરી અને માત્ર અહમ પોષવા માટેના સંકલ્પો કર્યા હશે.
૪. સંકલ્પો કર્યા પછી ક્યારેય કોઈને એ વિષે કહેવું નહી જેથી એ તૂટે તો કોઈનેય એની જાણ થાય નહી. લોકો ભલે તમારા મનોબળ વિશે ભ્રમણામાં રહે.
૫. સંકલ્પ કરતાં સંકલ્પ કરવાની ઈચ્છા વધારે ખતરનાક છે. આવી ઈચ્છા થાય અને એનું પાલન કરો તો સંકલ્પ પાળવાની જવાબદારી આવી પડે અને ઈચ્છાનું પાલન ન કરો તો જીવનમાં કશુક ખૂટે છે એવુ લાગે. સંકલ્પ કરવાની પ્રબળ ઈચ્છા થાય ત્યારે સંકલ્પ ન કરવાનો સંકલ્પ કરવો.
૬. આમ છતાં નવા વર્ષે કોઈ તમને મળે અને ન્યુયર રેઝોલ્યુશન વિષે પૂછે તો કહેવુ કે બસ તમને મળવાનો સંકલ્પ કર્યો હતો જે પૂરો થઈ ગયો. ચલો ઉજવણી કરીએ.
૭. નવા વર્ષે સંક્લ્પ કરવાની પ્રથાને બદલે જે દિવસેથ સંકલ્પ કરીએ એ દિવસથી નવુ વર્ષ શરુ થાય એવુ માનવું. ખાત્રી રાખજો કે આવતા તમામ ૩૬૦ દિવસ તમને બેસતા વર્ષ જેટલા જ ઉત્સાહજનક લાગશે....
- સૌરભ શાહ
અને છેલ્લે ...
જીવન હશે તો કોઈ દી’ જીવન બની જશે, દિલમાં યકીન રાખ, યકીનન બની જશે.
આવ્યો છે ખાલી હાથ, જવાનો છે ખાલી હાથ, ધનવાન ક્યાં હતો કે તું નિર્ધન બની જશે?
- શયદા
No comments:
Post a Comment