Friday, March 2, 2012

સાત તરી એકવીસ સંકલ્પો...

"સાત તરી એક્વીસ સંક્લ્પો"માંથી આજે છેલ્લા સાત સંક્લ્પો પતિઓએ કરવા જેવા ...


સાત સંકલ્પો પતિઓએ કરવા જેવા ...

૧. જિંદગીમાં ક્યારેય પત્નિ આગળ જુઠ્ઠુ  નહી બોલુ એવો સંકલ્પ નહીં કરુ.

૨. એક વાર લગ્ન થઈ ગયા પછી લગ્નપ્રથા સારી છે કે ખરાબ એવો વિચાર મનમાં નહીં અવવા દઊ.

૩. આવતા જન્મે તમને જ પતિ તરીકે માંગુ છુ એવુ પત્નિ કહે ત્યારે ચિંતા કરી કરીને રાતોના ઉજાગરા નહી કરવા. આવી બધી બાબતોમાં ભગવાન બેઉ કન્સર્ડ પાર્ટીઓના ઓપિનિયન લીધા પછી જ ફેંસલો કરવાની પ્રથા રાખી છે.

૪. સુખી લગ્નજીવન માટે માત્ર બે જ શબ્દોની જરુર છે એવુ સ્વીકારી લેવુ. દરેક બાબતમાં 'હા' પાડવી અને હા પાડી દીધા પછી એ મુજબ કશુ ના થયુ હોય તો 'સોરી' કહી દેવુ.

૫. જિંદગી મા બેમાંથી એક જ ચિંતા રાખવાની. કાં તો કમાવાની અથવા ઘરખર્ચની. એક ચિંતા પોતે સ્વીકારવી અને બીજી ચિંતા કરવાનુ કામ પત્નીને સોંપી દેવુ અને ભગવાનને પ્રાર્થના કરવી કે આગલા જનમમાં આ જવાબદારીઓ ઉલટ સુલટ થઈ જાય. આ બાબતે નિર્ણય લેવા માટે ભગવાને બેઉ પાર્ટીને કન્સલ્ટ કરવાની જરુર રહેતી નથી કારણકે બીજી પાર્ટી ઓલરેડી આવી પ્રાર્થના કરી ચૂકી હોય છે.

૬.દર અઠવાડિયે પત્ની પાસે એક નવી વાનગી બાનાવતા શીખી જવુ.એટ્લા માટે નહી કે પત્નીને કામમાં  મદદરુપ થવાય પણ એટલા માટે કે દીકરો મોટૉ થય તો એને રાંધતા શીખવાડી શકાય.

૭. દર અઠવાડિયે પત્ની સાથે ગુજરાતી નાટક જોવા અ્ચૂક જવું  જેથી બાકીના છ દિવસ કઈ ઈંગ્લીશ ફિલ્મ કોની સાથે જોઈ એનો હિસાબ આપવો ન પડે. 

- સૌરભ શાહ

 અને છેલ્લે ...

ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે, માણસ એ વખતે સાચો કલાકાર હોય છે,
દીવાનગીની વાતને સમજી શકે ન જે, મારી સમજ મુજબ એ સમજદાર હોય છે ....

 
- ઓજસ પાલનપુરી

No comments:

Post a Comment