Saturday, June 2, 2012

"ઈગો" - ચંદ્રકાન્ત બક્ષી

'બદલો તો માણસનો શબ્દ છે.
ઈશ્વરને ન્યાયથી સંબંધ છે.
ઉપરવાળો જેટલા સરવાળા કરે છે,
એટલી જ બાદબાકી કરી નાખે ્છે.
એનો  હિસાબ  ચોખ્ખો છે.
આપણે નથી સમજતા એટલે
હિસાબમાં ભૂલો કરીએ છીએ.

ભગવાનના ત્રાજવાનાં
બે પલ્લાં સરખાં જ હોય છે.
એનાં આપેલા સુખનું અને દુખનું
વજન સરખું હોય છે.
એક જ પલ્લામાં એ સુખસાહેબી મૂકે છે.
માણસ દુનિયા જીતીને
સિંહાસન પર બેસે તો
રાતે ઈશ્વર એની ઉંઘ લઈ લે છે!
સમયની સાથે દુર્બુધ્ધિ પણ એ જ સુઝાડે છે.

========================================

મને હાથની રેખાઓમાં રસ નથી,
કપાળની રેખાઓમાં રસ છે.
કારણકે તે માણસે પોતે બનાવેલી હૌય છે.
ભગવાનની આપેલી નથી હોતી.

- ચંદ્રકાન્ત બક્ષી

No comments:

Post a Comment