Friday, June 15, 2012

તમે એમ માનો છો ?


કહેવાય છે કે ટોળાને બુધ્ધિ નથી હોતી ... એટ્લે જ મહાન લોકોના કદી ટોળા નથી હોતા. 
બાકી તો આ કવિતા ઘણુ કહી જાય છે.

તમે એમ માનો છો કે
આ પથ્થરબાજી કરવા તલપાપડ
ઊભેલા ટોળાના હાથમાં પથ્થર છે?
ના રે ના.
એ તો શાપિત  અહલ્યા છે.

તમે એમ માનો છો કે 
આ ચર્ચગેટથી વિરાર જતી
ફાસ્ટ લોકલમાં લટકનારાઓ
માણસ તરીકે ઓળખાય છે?
ના રે ના
એ તો ટ્રાન્સફરેબલ ગુડ્ઝ છે.

જો તમે એમ માની શકતા હો
કે હું માનું છું તો માનો.
પણ તમને ખબર છે?
એક દિવસ આપણે આ શહેરના
કબ્રસ્તાનમાં ઊભાં ઊભાં 
આ સવાલ પૂછીશું -
'આ શબને દાટવું છે.
બોલો સ્ક્વેર ફીટ્નો શો ભાવ છે ?' ....

- અનિલ જોષી 

અને છેલ્લે ...



ગીત નહીં, હમણાં સંભળાશે કોયલની ચિચિયારી,
એક કાગડો ફરી રહ્યો છે મોંમા લઈ સોપારી. ....



- કૃષ્ણ દવે

No comments:

Post a Comment