Friday, June 8, 2012

તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં ...



ભગવાન બુધ્ધ યશોધરા સાથે વાતો કરી રહ્યા હતા.
યશોધરા પણ દીક્ષા  લીધા પછી ભિક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ચૂકી હતી.
કોઈક વિરલ પળે એણે બુધ્ધને પ્રશ્ન પૂછ્યો - "ભગવન! તમારી સાધનાના
વર્ષો દરમિયાન હું તમને ક્યારેક યાદ આવતી ખરી ?"

બુધ્ધે સ્મિત વેરીને નિખાલસપણે કહ્યુ - "હા, તું મને યાદ આવતી હતી. સરોવર
પર પૂર્ણિમાની રાત્રે ચંદ્રનાં કિરણો પરિવર્તન પામે, અને જે ચળકતો પટ સર્જાય
તેની વચ્ચેથી પસાર થતી સફેદ સઢવાળી નૌકાની માફક તુ તે વખતે મારા ચિત્તમાંથી
પસાર થઈ જતી હતી."

નિખાલસ હોવા જેટ્લી ધાર્મિક ઘટના બીજી જડવી મુશ્કેલ છે. નહી છુપાવવા જેવી વાતો
છુપાવવામાં માણસનું આયખુ ખતમ થઈ જાય છે. પરણવુ એટલે શુ તે સમજ્યા વગર
માણસ લગ્ન કરી પાડે છે. માતાપિતા થવુ એટલે શુ તે સમજ્યા વગર જ સંતાનો પેદા
કરે છે અને જીવન એટલે શુ તે સમજ્યા વગર જ મૃત્યુ પામે છે. થોરો કહે છે તેમ માણસ
ઈરાદાપૂર્વક જીવવાનું ચૂકી જાય છે.

- ગુણવંત શાહ.

અને છેલ્લે,

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં

- શોભિત દેસાઇ

No comments:

Post a Comment