Thursday, June 14, 2012

- નહીં ...

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું  ભાન  કોઈને  નડે  નહીં.

વનમાં, ભૂલીને ભાન,  રઝળતા  પ્રવાસને,
ઊડતાં  ઝીણાં  પતંગિયાં  નજરે ચડે  નહી.

આ શબ્દોમાંય  હોય  છે  દ્રશ્યોનાં  જંગલો,
અદ્રશ્યની  પ્રતીતિ  ગઝલમાં  જડે  નહીં.

દ્રશ્યોની  પાર  જાઉં  છું  ક્યારેક  ટહેલવા,
આંખો  મીંચાઈ  જાય  પછી  ઊઘડે  નહીં.

એના જીવનમાં હોય  નહીં  કોઈ  તાજગી,
રસ્તામાં  ચાલતાં  જે  પડે - આખડે  નહીં.

મારી  લથડતી  ચાલના  કારણમાં  એટલું,
હોવાપણાનો  ભાર  હવે  ઊપડે  નહીં.

રસ્તામાં  કોઈ  ફૂલ  શા માણસ  મળ્યા  હશે,
નહીંતર  'અનિલ'  આટલો  મોડો  પડે  નહી.


- અનિલ જોષી



No comments:

Post a Comment