Monday, August 13, 2012

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ !
 
જેમણે કૃષ્ણ, રાધા અને મીરા પર સૌથી વધારે કાવ્યો આપ્યા છે એવા કવિશ્રી સુરેશ દલાલની જન્માષ્ટમી જેવા અદભુત દિવસે વિદાય ... આનાથી વધારે અનુપમ સુસંજોગ બીજો શો હોઈ શકે ? ........ કૃષ્ણ અને કવિશ્રી સુરેશ દલાલ બંનેની યાદમાં એમની જ કવિતા ....

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે ;
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે ;
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે !

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે ;
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે;
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે !

- સુરેશ દલાલ

અને છેલ્લે .... 

આજ રીસાઇ અકારણ રાધા…
આજ રીસાઇ અકારણ
બોલકણીએ, મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ ........

No comments:

Post a Comment