Friday, September 14, 2012

કારણ કે ...

 લેખક ગુણવંત શાહના શબ્દોમાં કહુ તો બિમારી અને મુસીબત / દુખ / ચિંતા ખરા અર્થમાં સેક્યુલર છે ... 
 બિનસાંપ્રદાયિક ...  એ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર એનુ કામ કરે છે ... એ આવે છે ત્યારે ધ્રર્મ, જાતિ, ઉંમર, ગરીબી-અમીરી કંઈ જોતા નથી ... એ બસ આવે છે ... અને જેની પાસે આવે છે એને ઉદાસ કરીને જાય છે ...

હું ઉદાસ છું ...
કારણ કે  મધ્યાહ્મને સૂર્ય આથમી ગયો છે
કારણ કે  ઘાસ પીળું પડી ગયું છે
કારણ કે  પતંગિયાં ઊડી ગયાં છે
કારણ કે  ફૂલો કરમાઈ ગયાં છે
કારણ કે  વૃક્ષોનાં પાંદડાં જમીન પર પડયાં છે
કારણ કે  ભીંજવ્યા વિનાનો વરસાદ વરસે છે
કારણ કે  અંધારું છવાતું જાય છે
કારણ કે  દીવાલો પડું પડું થાય છે
કારણ કે  વિચારોનું વાવાઝોડું ત્રાટકે છે
કારણ કે  અનેક પ્રશ્નો સળવળે છે
કારણ કે  દલીલોની ભુલભુલામણી છે
કારણ કે  મન ભૂલું પડયું છે
કારણ કે  સ્મરણોની વણજાર આંખે ઊભરાય છે
કારણ કે  બોદા શબ્દોથી હોઠ એંઠા થયા છે
કારણ કે  રાહ જોતા પગ ખોટા પડી ગયા છે
કારણ કે  તણખલું ડૂબી ગયું છે
કારણ કે  સપનાં નંદવાઈ ગયાં છે.


- પન્ના નાયક

No comments:

Post a Comment