Monday, September 24, 2012

તું મારી નજીક નહીં આવ...

"વિચારવાની કુટેવ છોડીને જીવવાનું રાખવું. સંસારમાં નજર નાખશો તો તરત સમજાઇ જશે કે જેઓ વિચારે છે તેઓ દુ:ખી છે. જેઓ નથી વિચારતા તેઓ ઘણી બધી ખટખટથી બચી જાય છે. " - ગુણવંત શાહ

અને જેઓ વિચારશીલ છે એમને નીચેની કવિતા સમજવામાં જરાય તકલીફ નહી પડે ...

તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને તારી બીક લાગે છે.
તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને મારી બીક લાગે છે. 


ફરી પાછું એનું એ મળવું
છૂટા પડવું, મળવું :
એનું એ અમૃતચક્ર, વિષચક્ર,
ચક્ર, ચક્રાકાર ગતિ….
ફરી પાછી અપેક્ષા
ફરી પાછી ભરતી ને ઓટ
ચંદ્રનો ઉદય ને ક્ષય
ફરી પાછો ભય -
ખબર નથી કે ગીતનો લય
ક્યાં અને ક્યારે તૂટી જશે -


તું મારી નજીક નહીં આવ
ભલે આ ગીત અધૂરું રહે
ભલે આ ગીત વણગાયું રહે -

પણ હવે
ઉઝરડા સહન કરવાની
મારી કોઇ તાકાત નથી....


- સુરેશ દલાલ 

 Poem Reference : tahuko.com

No comments:

Post a Comment