Sunday, September 2, 2012

શ્રી ગુણવંત શાહ - કેટલાક અંશો ...

આજે શ્રી ગુણવંત શાહની "જાત ભણીની જાત્રા"માંથી કેટ્લાક અંશો -

જીવનના આખરી તબક્કે ટોલ્સટોયે લખ્યુ છે - "પ્રેમ એટ્લે શરીરને કારણે વિખુટા પડેલા બે આત્માનું મિલન."

"રાઈ નો પર્વત" નાટક્માં રમણભાઈ નિલકંઠ લખે છે -
જે શૌર્યમાં કોમલતા સમાઈ,
તેને જ સાચુ પુરુષત્વ માન્યું ...


કવિ ઉમાશંકર જોષી લખે છે -
પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે;
મળે મર્દને સ્ત્રીની ઉંચાઈ ત્યારે ...


મારી પાકી માન્યતા છે કે જે સમાજમાં સ્ત્રીઓનું શોષણ થતુ હોય એવા 'અસભ્ય' સમાજમાં પુરુષો કદી સુખી ના હોઈ શકે. સ્ત્રીઓનું ઢીંગલીકરણ કે ઓબ્જેકટીફીકેશન થાય તેવા પછાત સમાજમાં માનસિક રુગ્ણતા નોર્મલ બાબત બની રહે છે. મારુ માનવુ છે કે સ્ત્રીઓની પૂજા કરવાની જરુર નથી, જરુર છે એના પર્સનહૂડના સહજ સ્વીકારની.

જેઓ પાસે ભુલ કરવાની હિંમત નથી;
જેઓ પાસે ભુલ કબૂલ કરવાની તાકાત નથી;
જેઓ ચોમાસામાં પણ ભીના થવા તૈયાર નથી;
જેઓ શિયાળામાં પણ હુંફાળા નથી થઈ શકતા;
જેઓ ઉનાળામાં પણ શિતળતાનુ અભિવાદન નથી કરતા;
જેઓ ખાસ મિત્રને પણ દિલની વાતો નથી કરતા;
જેઓ શત્રુની એકાદ ખુબીને પણ બિરદાવી નથી શકતા;
જેમની આંખો ભીની થવાની ખો ભૂલી ગઈ છે;
જેઓ સુખને મમળાવવામાં કંજૂસાઈ કરે છે;
જેઓ દુખને છાતીએ વળગાડીને ફરતા રહે છે;
જેઓ એકપણ પુસ્તકના પ્રેમમાં નથી;
જેમણે જીવનમાં એક પણ વૃક્ષ ઉછેર્યુ નથી;
જેમણે એક્પણ મધુર સંબંધ ખીલવ્યો નથી;

એવા લોકો પીએચડી થયા હોય, તોય અભણ જાણવા.
તેઓ બે પગ પર ઉભા છે એ તો એક અકસ્માત છે! .......


- ગુણવંત શાહ

No comments:

Post a Comment