Sunday, September 23, 2012

પડછાયા, શબ્દ - સંબંધ ...

આમ તો મૂળ કૃતિ વાંચવાની જે મજા હોય તે અનુવાદમાં ના હોય . પણ ક્યારેક અનુવાદ પણ મૂળ સાહિત્ય જેટ્લા જ ઉત્તમ હોય છે. તો આજે બે હિન્દી કવિતાઓના અનુવાદ .... 

પડછાયા 

આ અંધારામાં 
આપણા બેના પડછાયા 
હળી-મળી ગયા છે

બત્તી નહીં કરતા
અલગ થઈ જશે.

કવિ - વી. પી. સિંઘ
અનુવાદ -  હિતેન આનંદપરા

શબ્દ - સંબંધ

મેં મારા દુખ-દર્દ તમને નહીં,
કલમને કહ્યા હતા;
જો એણે તમારી સુધી પહોંચાડ્યા નહીં
તો હું તમને દોષ નથી દેતો.

મેં મારા દુખ-દર્દ તમને નહી 
કાગળને કહ્યા હતા;
જો તમે મારા પ્રત્યે સહાનુભુતિ ના દર્શાવી 
તો હુ તમને દોષ નથી દેતો.

મેં મારા દુખ-દર્દ તમને નહીં,
કાળી રાતોને કહ્યા હતા,
મૂંગા તારાઓને કહ્યા હતા,
સૂના આકાશને કહ્યા હતા,

જો એમનો પ્રતિદ્વનિ 
તમારા અંતરમાંથી નહી ઊઠે
તો હું તમને દોષ નથી દેતો.

મને ખબર હતી 
કે એક દિવસ
મારી વેદનાનો સાથ મારાથી છૂટશે
પણ મારા શબ્દોથી
મારી વેદનાનો સંબંધ ક્યારેય નહીં તૂટે.

કવિ - હરિવંશરાય બચ્ચન
અનુવાદ - સુશી દલાલ

No comments:

Post a Comment