Friday, February 22, 2013

મને એવું અવારનવાર થાય છે..

કોઈ કોઈનું દુખ લઈ શકે અને કોઈ કોઈને સુખ આપી શકે
એવી આપણી ગમે એવી ભાવના-વિભાવના હોય પણ બનતું નથી.
કેવળ ભાવનાથી જીવાતું નથી એમ શાણાઓ કહે છે અને એ
લોકો ખોટા છે એવું કહેવામાં પણ મને રસ નથી કારણ કે
એમની વાણીમાં એમનો અનુભવ અને અનુભૂતિ છે.
પણ મને એવું અવારનવાર થાય છે કે જો હું આ દુખમાં
ગળાડૂબ વ્યક્તિને કોઈ પણ રીતે ઉગારીશું તો કેવું!
કોઈને ચિક્કાર આર્થિક ભીડ છે તો કોઈકને રહેવા માટે
ઘર નથી. કોઈને પોતાનું કહેવા માટે પોતાનું જણ નથી.
ખભે મૂકીને રડી શકે એવું સાચું ખોટું સગપણ નથી.
ક્યાં સુધી આપણે આપણા કહેવાતા સુખના વાઘા પહેરીને
ચાલ્યા કરશું? ક્યારેક તો આપણે એમની નગ્નતાને ત્વચાની
જેમ પહેરી લઈએ અને અનુભવીએ કે લોકો
અંદરથી સતત કેટલું આમ ને આમ દાઝ્યા કરે છે.

- સુરેશ દલાલ

No comments:

Post a Comment