Showing posts with label આદિલ મન્સૂરી. Show all posts
Showing posts with label આદિલ મન્સૂરી. Show all posts

Tuesday, August 21, 2012

મૃગજળ... આર્ટિકલ + કવિતા

મૃગજળ અને માણસને બહુ જુનો સંબંધ છે. કેમકે ઈચ્છાઓ અને માણસનો સંબંધ જૂનો અને અતૂટ છે. એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે માણસ કેટલીક અધૂરી ઈચ્છાઓ અને કેટ્લાક  અધૂરા સપનાંઓ સાથે જ જીવતો હોય છે. જો કે એનું પણ એક રીઝન છે ....  કાલિકામાતાની પેલી એક પૌરાણિક કથામાં ખબર છે ને ! એક રાક્ષસનુ માથુ ધડથી અલગ કરે તો એના રક્તનુ ટીપું નીચે જમીન પર પડતા જ એમાથી દસ રાક્ષસ ઉભા થઈ જતા .... એમ એક ઈચ્છા પૂરી થાય ના થાય ત્યાં નવી દસ ઉભી થઈ જાય. શુ કરીએ ઈચ્છા છે, સપનાં છે તો જ જીવન છે ... ઈ્ચ્છા વગરનુ જીવન ભલા શક્ય ક્યા છે ? ... સંતો કહે છે કે ઈ્ચ્છાઓ છોડી દો કે એને કંટ્રોલમાં રાખો ... પણ "ઈચ્છાઓ છોડવાની "  કે એને કંટ્રોલ કરવાની ઈચ્છા એ પણ છેવટે એક ઈચ્છા જ થઈને ! ..... અને એ ના સંતોષાય એટલે એ "મૃગજળ" જેવી લાગવા માંડે .... ભ્રામક ....

રોજ મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો,
હવે વાત દરિયાની કરી છલકાય છે આંખો. 
ચાલતો રહ્યોછું તરસ્યો જીવનભર રણમાં,
દરિયો જો દેખાય તો વહેમાય છે આંખો......
- કલ્પેન્દુ વૈષ્ણવ

આપણને સતત લાગે છે કે આપણી
સાવ પ્રામાણિક લાગણીઓ બીજાઓ
નહીં સહી શકે. આમ બીજાઓને રાજી
રાખવા માટે આપણે અપ્રમાણિકતાને
સ્વીકારતાં રહીએ છીએ અને પછી 
છાવરતાં રહીએ છીએ. આપણાં 
સંબંધો આમ છીછરા ને છીછરાં થતાં 
જાય છે. હાથ ચાટવાથી પેટ ભરી 
શકાય, તો જ છીછરા સંબંધોથી હ્ર્દયને
ધરવ થઈ શકે. આપણું હ્ર્દય એકાદ 
સાચકલા અને સો ટચના સંબંધનું
તરસ્યું  હોય છે.  ભીતરની આ તરસ
અધૂરી રહી જાય છે અને જીવનભર 
આપણે ટાઢા લોખંડ પર હથોડા
વીંઝતા રહીએ છીએ. મૃગજળ પર 
ઘણાં કાવ્યો લખાયા તેનું રહસ્ય
આપણી સદાય અતૃપ્ત એવી તરસમાં
રહેલુ છે.

- ગુણવંત શાહ

અને છેલ્લે .... 

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.

આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.

સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.

અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?

કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.

પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.

- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,
સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી. 
વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

-  આદિલ મન્સૂરી

Saturday, January 29, 2011

સબંધો ય કારણ વગર હોય જાણે...

એક સરસ કિસ્સો યાદ આવે છે. ગુજરાત હાઈકોર્ટમા અંગ્રેજી ભાષા જ ચા્લે એવો નિયમ છે. એટલે કે બધા કેસ ને દલીલ ને જજમેન્ટ બધુ જ અંગ્રેજીમા. પણ ટ્રેજેડી એ છે કે હાઈકોર્ટમા મોટાભાગના કેસ ગામડાના અભણ કે બહુ ઓછુ ભણેલા લોકો્ની જમીનોના આવે અથવા એમ કહો કે હાઈકોર્ટમા જે કેસ આવે એમા મોટાભાગના કેસ ના વાદી - પ્રતિવાદી કઈ અંગ્રેજીના માસ્ટર નથી હોતા. એટલે કેસમા સામસામે વકીલો અંગ્રેજીમા શુ બોલે , શુ દલીલ થાય ને જજ શુ જજમેન્ટ આપે એમા પેલા બિચારા અબુધ લોકોને સમજાય નહી. આની વિરુધ્ધ્મા એક અપીલ પણ થયેલી કે - હાઈકોર્ટમા કેસ ગુજરાતીમા ચલાવવા જોઈએ કેમકે ક્લાયન્ટ્સને એ હક છે કે એમના વકીલો શુ દલીલો કરે છે એ સમજી શકે ને એ માટે એક સરસ દલીલ રજુ થયેલી ...... કે " આપણે જાનવરો સાથે પણ એમની ભાષામા વાત કરીએ છીએ. કૂતરાને એ સમજી શકે એમ ને ગાય કે બિલાડીને એ સમજી શકે એમ બોલાવીએ છીએ... તો પછી માણસ સાથે કેમ એ સમજી શકે એમ વાત નથી થતી ? ? " ....... આ દલીલ ખાલી હાઈકોર્ટ માટે જ શુ કામ દરેક જગ્યાએ લાગુ પડે છે. અને એથી પણ આગળ વધીએ તો માણસને પશુપંખી સાથે વાત કરવા માટે કારણ ની જરુર હોતી નથી ખાલી એને બીજા માણસ સાથે વાત કરવા માજ કારણો જોઈએ છીએ.  એટલે જ કદાચ માણસ આજે માણસથી દૂર થતો જાય છે....

સબંધો ય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઈને ફરે   એમ   પાગલ,
રહસ્યની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પૂરાઈ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હ્ઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પ્રુથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખા પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે.
- આદિલ મન્સૂરી