Showing posts with label સૈફ પાલનપૂરી. Show all posts
Showing posts with label સૈફ પાલનપૂરી. Show all posts

Sunday, October 16, 2011

We are prisoners ...

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?
...

We are prisoners of our own suffering and  we Love that prisons ...   આપણે આપણી પીડાઓના બંદી છીએ અને એ બંદીખાના માટે આપણને અનુરાગ હોય છે ...

" એક્વાર  કેટ્લીક ગુંચોમા ફસાયેલા એક માણસ ને મે થોડો સમય કોઈ આશ્રમમા રહેવા જવાનુ કહ્યુ .. તો તેણે કહ્યુ - ત્યા જઈને મને સિગારેટ પીવાની સ્વતંત્રતા મળે તો રહેવા જઉ !

...... તેની આ સ્વતંત્રતા તો તેની, ગુલામ બનાવનાર ઈચ્છાની આધીનતા હતી. આપણે સુખને શોધવા જતા એ શોધની ઈચ્છાના ગુલામ બની જઈએ છીએ. આપણી આસપાસ શોકના તાણા વણ્યા હોય છે એ આપણી આસક્તિ બને છે. એને આપણે નિષ્ઠાનુ નામ આપીએ છીએ. કોઈ વિધવાને કહો કે તારા મૃત પતિ માટે તુ તારા સુખ-્સમૃધ્ધિનો ત્યાગ કરી દે તો એ કરવા તે તત્પર થશે, પણ તેને કહો કે - તુ તારા શોક અને દુખનો ત્યાગ કરી દે તો એ માટે એ તૈયાર નહી થાય ...  "  .....  કારણ કે -  We are prisoners of our own suffering and  we Love that prisons ...

- From the book -  "પરોઢ થતા પહેલા .. " - by કુન્દનિકા કાપડીયા ..

અને છેલ્લે ... આવા જ સંદર્ભમાં સૈફ પાલનપૂરીની એક ગઝલ ...


નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?