Showing posts with label Modern Poem. Show all posts
Showing posts with label Modern Poem. Show all posts

Sunday, February 27, 2011

રાધાનો રિંગટોન...

મહાભારતમા એક સરસ પ્રસંગ આવે છે. કૃષ્ણ રાધાને વૃંદાવનમાં એકલી મૂકીને મથુરા જતા રહે છે પણ કૃષ્ણને ખ્યાલ છે કે રાધા તેમની યાદમાં રડીરડીને અડધી થઈ રહી છે અને આ તરફ કૃષ્ણ પણ રાધાની યાદમાં અડધા થઈ રહ્યા છે  એટ્લે કૃષ્ણ રાધાના સમાચાર મેળવવા ઓધવજી ને વૃંદાવન મોકલે છે ને રાધા ઓધવજી પાસે એક સંદેશો પોતાના વ્હાલા કૃષ્ણને મોકલે છે. જેના પર એક સરસ ગીત પણ છે ...

હે ઓધવજી મારા વ્હાલાને વઢીને કહેજો રે,

માને તો મનાવી લેજો રે.. મારા વ્હાલાને વઢીને કહેજો રે..
મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભુલીગ્યા છો રે,
માનીતીને ભુલીગ્યા છો રે ... હે ઓધવજી મારા વ્હાલાને વઢીને કહેજો રે..

પણ આજના યુગમાં જો રાધા અને કૃષ્ણ સામે આ જ પરિસ્થિતિ આવે તો રાધા કૃષ્ણને કેવો સંદેશો મોકલાવે ને એની સામે કૃષ્ણ શુ કહે એનુ સરસ વર્ણન આ મોર્ડન કાવ્યમા એના મોર્ડન રચયિતાએ કર્યુ છે ...

કાનજીનાં મોબાઈલમાં રાધાનો રિંગટોન, રિંગટોન રાધાનો વાગે,
જનમો જનમની ઘેલી રાધાની પ્રીત, કાનજીનાં રૂવાંડે જાગે..

રાધાનો રિંગટોન વાગે..

મોબાઈલનાં નેટવર્કમાં કેમેય ના પકડાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને, રાધાનો હાથ લેવો ઝાલી,
આયખાની સાંજ ઉપર ઉભેલા કાનજી સપનાનો ટૉક ટાઇમ માંગે..
રાધાનો રિંગટોન વાગે..

એસ.એમ.એસ મોકલેલો વાયા ઓધાજી, એનાં રિપ્લાયમાં રાધાનાં આસું,
રાધાનાં આંસુનો એસ.એમ.એસ વાંચીને કાનજીની આંખે ચોમાસું,
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં વાંસળી વાગે છે એક રાગે..
રાધાનો રિંગટોન વાગે...


- અંકિત ત્રિવેદી