Showing posts with label ઉમાશંકર જોશી. Show all posts
Showing posts with label ઉમાશંકર જોશી. Show all posts

Monday, May 2, 2011

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી...

આજે ગુજરાતનો બર્થ ડે. ગુજરાતમા તો એનુ જબરજસ્ત સેલીબ્રેશન થયુ છે. એક ગુજરાતી તરીકે  આપણા માટે પણ આજનો દિવસ ખાસ અને આનંદનો જ છે. પણ વર્તમાન સમયને ધ્યાનમા લેતા અર્થાત આજના ગ્લોબલાઈઝેશનના જમાનામા તો ઉમાશંકર જોશીની "હુ વ્યક્તિ મટીને બનુ વિષ્વમાનવી. " એ જ વધારે ઉચિત છે. તો આજે એમની એ ઉત્તમ રચનાને જ યાદ કરીએ અને ગુજરાતના બર્થ ડે નુ સેલીબ્રેશન કરી લઈએ...

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

- ઉમાશંકર જોશી