Showing posts with label સૌરભ શાહ. Show all posts
Showing posts with label સૌરભ શાહ. Show all posts

Thursday, March 29, 2012

પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.

પ્રેમ એટલે શું ?
પ્રેમ એટલે સલામતી ?
કે ૫છી પ્રેમ એટલે સમાધાન ?
હૂંફની હાજરી એટલે પ્રેમ ?  કે ભયનો અભાવ એટલે પ્રેમ ?
પ્રેમ એટલે અધિકારની માગણી કે અધિકારની સોં૫ણી ?

પ્રેમ એટલે શું ?
કશુંક મેળવી લેવું ?  કે ૫છી કશુંક આપી દેવું ?
એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ ?
કે ૫છી દૂર રહીને ૫ણ જે લાગણી થતી રહે એ પ્રેમ ?
પ્રેમ એટલે ભવિષ્યનાં સ૫નાં ?  કે પ્રેમ એટલે ભૂતકાળનાં સ્મરણો ?

પ્રેમની જે ક્ષણ વર્તમાનમાં જિવાય છે
તે જ એનું એકમાત્ર અને સંપૂર્ણ સત્ય.
એ સિવાયની ક્ષણોમાં
પ્રેમ વિશે પાછળથી પ્રગટેલા વિચારો હોય અથવા
ભવિષ્યમાં સર્જાનારા સંજોગોની કલ્પનાઓ હોય.
આ બંનેમાં બદલાયેલા સંજોગો, બદલાયેલા વિચારો અને
બદલાયેલી આસપાસની વ્યકિતઓ જેવું,
પ્રેમ સિવાયનું, બીજું ઘણું બધું ઉમેરાતું હોય.
પ્રેમ વર્તમાનની ક્ષણ જેટલો અણિશુદ્ધ કયારેય રહી શકતો નથી.
વર્તમાનમાં ન હોય એવો પ્રેમ અનેક અસરોથી ધેરાયેલો રહે છે.

પ્રેમ એટલે સાગરના પાણી ૫ર વરસી ૫ડતી વાદળી ?
કે ૫છી પ્રેમ એટલે દરિયાનાં જળમાંથી આકાશે બંધાઈ જતી વરાળ ?
સ્પર્શાળુ ઈચ્છાઓનો વિસ્ફોટ એટલે પ્રેમ ?
કે એ ઈચ્છાઓનું ઓગળી જવું એટલે પ્રેમ ?
પ્રેમ એટલે તળેટી ૫રથી નજર કરતાં છેક ઉ૫ર દેખાતું શિખર ?
કે ૫છી શિખરેથી જોયેલું પ્રથમ પગથિયું પ્રેમ?

પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલી
સાચવી લીધેલી જીવનની ક્ષણો,
પ્રેમ એટલે સલામતીની સતત તૂટતી રહેલી દીવાલોની
બાકી રહી ગયેલી ઈંટો અને
પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.
   
-સૌરભ શાહ

Friday, March 2, 2012

સાત તરી એકવીસ સંકલ્પો...

"સાત તરી એક્વીસ સંક્લ્પો"માંથી આજે છેલ્લા સાત સંક્લ્પો પતિઓએ કરવા જેવા ...


સાત સંકલ્પો પતિઓએ કરવા જેવા ...

૧. જિંદગીમાં ક્યારેય પત્નિ આગળ જુઠ્ઠુ  નહી બોલુ એવો સંકલ્પ નહીં કરુ.

૨. એક વાર લગ્ન થઈ ગયા પછી લગ્નપ્રથા સારી છે કે ખરાબ એવો વિચાર મનમાં નહીં અવવા દઊ.

૩. આવતા જન્મે તમને જ પતિ તરીકે માંગુ છુ એવુ પત્નિ કહે ત્યારે ચિંતા કરી કરીને રાતોના ઉજાગરા નહી કરવા. આવી બધી બાબતોમાં ભગવાન બેઉ કન્સર્ડ પાર્ટીઓના ઓપિનિયન લીધા પછી જ ફેંસલો કરવાની પ્રથા રાખી છે.

૪. સુખી લગ્નજીવન માટે માત્ર બે જ શબ્દોની જરુર છે એવુ સ્વીકારી લેવુ. દરેક બાબતમાં 'હા' પાડવી અને હા પાડી દીધા પછી એ મુજબ કશુ ના થયુ હોય તો 'સોરી' કહી દેવુ.

૫. જિંદગી મા બેમાંથી એક જ ચિંતા રાખવાની. કાં તો કમાવાની અથવા ઘરખર્ચની. એક ચિંતા પોતે સ્વીકારવી અને બીજી ચિંતા કરવાનુ કામ પત્નીને સોંપી દેવુ અને ભગવાનને પ્રાર્થના કરવી કે આગલા જનમમાં આ જવાબદારીઓ ઉલટ સુલટ થઈ જાય. આ બાબતે નિર્ણય લેવા માટે ભગવાને બેઉ પાર્ટીને કન્સલ્ટ કરવાની જરુર રહેતી નથી કારણકે બીજી પાર્ટી ઓલરેડી આવી પ્રાર્થના કરી ચૂકી હોય છે.

૬.દર અઠવાડિયે પત્ની પાસે એક નવી વાનગી બાનાવતા શીખી જવુ.એટ્લા માટે નહી કે પત્નીને કામમાં  મદદરુપ થવાય પણ એટલા માટે કે દીકરો મોટૉ થય તો એને રાંધતા શીખવાડી શકાય.

૭. દર અઠવાડિયે પત્ની સાથે ગુજરાતી નાટક જોવા અ્ચૂક જવું  જેથી બાકીના છ દિવસ કઈ ઈંગ્લીશ ફિલ્મ કોની સાથે જોઈ એનો હિસાબ આપવો ન પડે. 

- સૌરભ શાહ

 અને છેલ્લે ...

ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે, માણસ એ વખતે સાચો કલાકાર હોય છે,
દીવાનગીની વાતને સમજી શકે ન જે, મારી સમજ મુજબ એ સમજદાર હોય છે ....

 
- ઓજસ પાલનપુરી

સાત તરી એકવીસ સંકલ્પો...

 આજે સાત સંકલ્પો મા-બાપ એ કરવા જેવા  ... બાકીના સાત સંકલ્પો નેક્સ્ટ ટાઈમ ... :)

મા-બાપોએ કરવા જેવા સાત સંકલ્પો

૧. સંતાનોને ક્યારેય પૂછવુ નહી કે નવા વર્ષનો સંકલ્પ શો કર્યો? શક્ય છે કે એવુ સાંભળવા મળે કે તમારી આજ્ઞાનુ પાલન નહી કરવાનુ.

૨. ભૂતકાળમાં લીધેલા પણ અધૂરા રહી ગયેલા સંકલ્પો યાદ કરી કરીને એની ખાંભી પર દર વર્ષે ફૂલ ચડાવવા જવાની ટેવ છોડી દેવી.

૩. અડધી જિંદગી બીજાઓનું અનુકરણ કરી કરીને ગાળી અને હવે બાકીની જિંદગી સંતાનો આપણું અનુકરણ કરીને ગાળે એવી મહેનત કરવામાં વેડફી દેવાને બદલે મોડેમોડે પણ પોતાની રીતે અને પોતાની શરતે જીવીશુ  એવો નિર્ધાર કરવો.

૪. છોકરાંઓ આપણા કહ્યામાં ના રહે એનાં કરતાં આપણે છોકરાંઓના કહ્યામાં હોઈએ એવી રીતે જીવવાનો નિર્ણય કરવો. જિંદગી ઓછી મગજમારીભરી અને વધુ જલસાવાળી લાગશે.

૫. તબિયતની વધુ પડતી ચિંતા કરીને શરીરને પંપાળ્યા કરવાને બદલે લહેરથી ખાવું, હરવું ફરવું અને ઉજાગરા કરવા. ચિંતાઓ કરીને શરીરને હેરાન કરવા કરતાં જલસાના ઉજાગરાઓથી શરીર હેરાન થાય એમાં ઓછુ નુકસાન છે.

૬. આર્થિક મંદી માટે સરકારને જવાબદાર ઠેરવવાને વાતો કરવાને બદલે નાકા પરના પાનવાળાના ગલ્લા પર આંટો મારી આવવો. ત્યાં દર્પણ પર ચિટકાડેલા ગીતાસારના સ્ટિકર પર લખેલુ વંચાશે - તુમ્હારા થા હી ક્યા જો ખો જાયેગા !

૭. સંતાનોનાં લગ્નમાં લાખો રુપિયાનો ખર્ચ કરી નાખવાને બદલે જેટ્લો ખર્ચ કરવો હોય એટલી રકમમાં આવે એવો નાનોમોટો પણ એક સ્વતંત્ર ફ્લેટ લઈને એમને આપી દેવો. ભવિષ્યમાં છોકરાંઓ એ ફ્લેટને 'માતૃછાયા' કે 'પિતૃછાયા' એવું નામ આપીને આપણને જિંદગીભર સારી રીતે યાદ કરશે.

- સૌરભ શાહ

Thursday, March 1, 2012

સાત તરી એકવીસ સંકલ્પો...

શ્રી સૌરભ શાહના એક પુસ્તકમાં આપેલ "સાત તરી એકવીસ સંકલ્પો " માંથી.... પ્રથમ સાત સંકલ્પો યુવાનો એ કરવા જેવા ...

યુવાનોએ કરવા જેવા સાત સંકલ્પો

૧. જિંદગીમા ક્યારેય બીજાઓએ કરેલા સંકલ્પો વિશે કે બીજાઓ કરાવવા માગતા હોય એવા સંકલ્પો વિશે વાંચવુ નહી, સાંભાળવુ નહી, વિચારવુ નહી.

૨. સંકલ્પો પૂરા થયા પછી તરત એની ઊજવણી કરવાની ઉતાવળ કરવી નહી, લાંબુ વિચાર્યા પછી લાગશે કે સંકલ્પ પૂરો થયો છે એવો માત્ર ભ્રમ થાય છે. ખરા સંકલ્પ ક્યારેય પૂરા થતા નથી હોતા.

૩. બે વાર વિચાર પછી ખાતરીપૂર્વક જણાય કે સંકલ્પ પૂરો થઈ ગયો છે, તો મૂળ સંકલ્પની ચકાસણી કરવી, મોટેભાગે તમે ગ્રેજ્યુએટ થઈ ગયા પછી પહેલા ધોરણમાં પાસ થવા માટેની પરીક્ષામાં બેસવા જેવા સહેલા, બિનજરુરી અને માત્ર અહમ પોષવા માટેના સંકલ્પો કર્યા હશે.

૪. સંકલ્પો કર્યા પછી ક્યારેય કોઈને એ વિષે કહેવું નહી જેથી એ તૂટે તો કોઈનેય એની જાણ થાય નહી. લોકો ભલે તમારા મનોબળ વિશે ભ્રમણામાં રહે.

૫. સંકલ્પ કરતાં સંકલ્પ કરવાની ઈચ્છા વધારે ખતરનાક છે. આવી ઈચ્છા થાય અને એનું પાલન કરો તો સંકલ્પ પાળવાની જવાબદારી આવી પડે અને ઈચ્છાનું પાલન ન કરો તો જીવનમાં કશુક ખૂટે છે એવુ લાગે. સંકલ્પ કરવાની પ્રબળ ઈચ્છા થાય ત્યારે સંકલ્પ ન કરવાનો સંકલ્પ કરવો.

૬. આમ છતાં નવા વર્ષે કોઈ તમને મળે અને ન્યુયર રેઝોલ્યુશન વિષે પૂછે તો કહેવુ કે બસ તમને મળવાનો સંકલ્પ કર્યો હતો જે પૂરો  થઈ ગયો. ચલો ઉજવણી કરીએ.

૭. નવા વર્ષે સંક્લ્પ કરવાની પ્રથાને બદલે જે દિવસેથ સંકલ્પ કરીએ એ દિવસથી નવુ વર્ષ શરુ થાય એવુ માનવું. ખાત્રી રાખજો કે આવતા તમામ ૩૬૦ દિવસ તમને બેસતા વર્ષ જેટલા જ ઉત્સાહજનક લાગશે....  


- સૌરભ શાહ 


અને છેલ્લે ...
 
જીવન હશે તો કોઈ દી’ જીવન બની જશે, દિલમાં યકીન રાખ, યકીનન બની જશે.
આવ્યો છે ખાલી હાથ, જવાનો છે ખાલી હાથ, ધનવાન ક્યાં હતો કે તું નિર્ધન બની જશે?


- શયદા

Tuesday, February 14, 2012

"આઈ લવ યુ " ... સહુ થી વધુ પ્રમાણમાં બોલાતુ જુટ્ઠાણુ..


હું નથી પૂછતો ઓ સમય કે હજી! તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા આ ફરેબોની દુનિયા મહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?...


સમય બહુ ઝડપથી પસાર થઈ રહ્યો છે ! હજી હમણાં જ ગયેલો વેલેન્ટાઈન ડે પાછો આવી ગયો! ફરી એ જ માહોલ. માર્કેટીંગ અને મટીરીયાલીઝમ ... હનિની પાછળ ખર્ચાઈ જતા મની ... બટ જે શબ્દ કે ફીલીંગ્સ માટે આ દિવસે આટલા ઉધામા થાય છે એ ત્રણ શબ્દ "આઈ લવ યુ " એ તો પુરુષો તરફ્થી સહુ થી વધુ પ્રમાણમાં બોલાતુ જુટ્ઠાણુ છે. આવુ અમેરિકાની એક ડોરી હોલેન્ડર નામની સાઈકોલોજીસ્ટનું સંશોધન છે. સૌરભ શાહના એક પુસ્તકમાંથી આ રસપ્રદ સંશોધનમાના કેટલાક અંશો ......

...................................................................................

અમેરિકાની ડોરી હોલેન્ડર નામની એક સાઈકોલોજીસ્ટે પુરુષોના જુઠ્ઠાણા વિષે ઊંડો અભ્યાસ કર્યો છે. એ કહે છે કે સ્ત્રી સમક્ષ બોલાતું પુરુષનું સૌથી મોટૂ જુઠ્ઠાણુ છે :
આઈ લવ યુ. - હુ તને ચાહુ છુ અથવા થોડાક હળવા ડોઝમાં , તુ મને ખુબ ગમે છે. આ પુરુષો  તરફથી સ્ત્રીઓ સમક્ષ વારંવાર ઉચ્ચારાતુ સૌથી મોટૂ અસત્ય છે.

બીજુ અસત્ય - તું જ તો છે એક્માત્ર મારા જીવનમાં
ત્રીજુ અસત્ય - તારા પહેલા મને ક્યારેય કોઈના માટે આવી લાગણી થઈ નથી.
ચોથુ - આજે કામ બહુ છે એટ્લે ઓફિસેથે આવતા મોડુ થશે.
૫ - તારી આંખો બહુ સુંદર છે.
૬ - તારી સામે તો હુ જુઠ્ઠુ બોલી શકુ જ કેવી રીતે!
૭ - હા ખાસ નહી પણ કોઈ વખત બિયર પી લઉ છુ.
૮ - એની સાથે સંબંધ તૂટી ગયા પછે હુ ક્યારેય એને મળ્યો નથી.
૯ - ના રે ના તુ જંઈ એવી જાડી નથી લાગતી ...
૧૦- એક તુ જ છે જે મને સમજી શકે છે ..
૧૧ - હુ તને પ્રોમિસ આપુ છુ કે આ બાબત મા હુ બદલાઈ જઈશ.
૧૨ - મને ને મારી પત્નિ ને ઘણુ સારુ બને છે.
૧૩ - તુ ખરેખર બહુ સારી છે તને તો મારા કરતા વધારે સારો પુરુષ મળવો જોઈતો હતો ..
૧૪ - ના હુ એવુ બોલ્યો જ નથી ક્યારેય ..
૧૫ - તુ મારી પાસે હોય ત્યારે મને બહુ સારુ લાગે છે ..
૧૬ - તુ જે કહીશ એ હુ કરીશ
૧૭ - મને કંઈ સેક્સ માટે જ તારામા રસ છે એવુ નથી, તારી સાથે વાત કરવાનુ મને ખૂબ ગમે છે.
૧૮ -  હા, તુ કહે ને તારે જે કહેવુ હોય તે , હુ સાભળુ છુ .... (list is long ...)

શુ સ્ત્રીઓ પુરુષો સમક્ષ ક્યારેય જુઠ્ઠુ નહી બોલતી હોય ? સંબંધોમાં જુઠ્ઠુ શા માટે બોલવામાં આવતુ હોય છે? શુ છેતરપીંડીનો કે ચારસો વીસી કરવાનો જ આશય હોય છે ? કે પછી મોટુ ખોટુ ના બોલવુ પડે એટ્લે નાના જુઠ્ઠાણાનો ઉપયોગ થાય છે ? દરેક અસત્યને બે બાજુ હોય છે. એક બાજુને પુરુષ જોતો હોય છે, બીજી બાજુ સ્ત્રીને દેખાતી હોય છે.

સ્ત્રીઓના જુઠ્ઠાણા પુરુષો જેટ્લા ખુલ્લા કે પ્રગટ નથી હોતા એવુ માનસશાસ્ત્રી ડોરી હોલેન્ડરનુ માનવુ છે. એમના મતે સ્ત્રીઓ અપ્રામાણિક છે એટલા માટે નહી પણ પુરુષ નારાજ ન થાય એટલા માટે જુઠ્ઠાણુ  બોલતી હોય છે.અહી પુરુષો વતી મારે એ ઉમેરવાનુ છે કે પુરુષો પણ  અપ્રામાણિક હોય છે એ માટે નહી પરંતુ સ્ત્રી નારાજ ના થાય તે માટે જુઠ્ઠાણુ  બોલતા હોય છે.

સંબંધોમાં ઓછુવત્તુ જુઠ્ઠાણુ  દરેક જણ બોલતુ હોય છે. પુરુષો બેદરકાર હોય છે અને ગફલત કરતા પકડાઈ જાય છે . સ્ત્રીઓ સ્માર્ટ અને ચાલાક હોય છે.તેઓ પકડાતી નથી. આખીય વાતનો સાર શો ? સંબંધોમાં જુઠ્ઠુ ક્યારેય ન બોલવુ એ? ના. ખોટુ બોલતા ન પકડાવાની કળા પુરુષોએ શીખી લેવી અને એ શીખવા સ્રીઓને ગુરુપદે સ્થાપવી .... :-)

- સૌરભ શાહ
....................................................................................

તો આ વેલન્ટાઈન ડે પર જરા સાવધાન ...

અને છેલ્લે,

વો સૂફી કૌલ હોય યા પંડિત કા જ્ઞાન,
જિતની બીતે આપ પર ઉતના હી સચ માન.....  
-નિદા ફાઝલી

તે જે નથી કહી એ બધી વાત યાદ છે :
તે જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !... 
- સુરેશ દલાલ

તું હ્રદયથી જ કામ લઇ લે બસ,
ચાહવામાં દિમાગ રહેવા દે. ......................................

Friday, October 28, 2011

નવાવર્ષમાં નવા જીવનને પત્ર ... "પ્રિય જિંદગી .."

જો આત્મામા પ્રકાશ હોય તો માનવીમાં સૌંદર્ય હશે.
જો માનવી સુંદર હોય તો ઘરમાં સંવાદિતા હશે.
જો ઘરમાં સંવાદિતા હોય તો રા્ષ્ટ્ર્માં વ્યવસ્થા અને સુમેળ હશે.
જો રાષ્ટ્ર્માં સુમેળ હોય તો વિશ્વમાં શાંતિ હશે. ....

આ સુંદર ચિનિ કહેવત સાથે સરવાણીના સહુ વાચક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ..... આવનાર તમામ વર્ષોમાં સરવાણીના વાચક મિત્રો, એમના મિત્રો , અને એ મિત્રોના મિત્રો .... ઈન શોર્ટ ... "હુ માનવી બનુ વિશ્વમાનવી ... " એ ન્યાયે ......  સમગ્ર મનુષ્યોના આત્મા પ્રકાશમય રહે ... એવી સરવાણી તરફ્થી હ્ર્દયપૂર્વકની શુભે્ચ્છા ... અને એ સાથે નવાવર્ષની ભેટ સ્વરુપે લેખક શ્રી સૌરભ શાહ નો "પ્રિય જિદંગી .... " ના નામે લખાયેલ આ અનોખો પત્ર ....... આ પત્ર મે ક્યારનો વાચેલો પણ ખાસ નવા વર્ષમા   પ્રિય  વાચક મિત્રોને ભેટ કરવા માટે જ હજી સુધી પોસ્ટ નહોતો કરેલો ..... ખરેખર દરેક નવાવર્ષની શરુઆત પહેલા .... પાછલા વર્ષોની જિંદગી પર નજર નાખી ને આવનારી જિંદગીને એક પત્ર તો લખવો  જોઈએ .... ભલે લાઈફમાં ક્યારેક હદબાર હતાશ થઈ જવાય તો પણ જીવન સાવ કાઢી નાખવા જેવુ નથી હોતુ ... કેમકે ... લો હવે આ પત્ર જ વાંચી લો .......

પ્રિય જિંદગી,

તને શોધવાની ખૂબ કોશિશ કરી. તું કોણ છે, ક્યાથી આવે છે, ક્યાં જાય છે,  તારુ સ્વરૂપ કેવુ છે, તુ જે છે  એ શા માટે છે . પ્રશ્નો સતાવતા રહ્યા છે. આજે ખબર પડે છે કે તું  મારામાં જ છે, હું જે છુ તે જ તું છે.

કોઈ કહે છે કે તારુ બીજુ નામ સંઘર્ષ છે. કોઈ કહે છે કે તારુ તખલ્લુસ પ્રેમ છે તો કોઈ તને સમર્પણનો પર્યાય ગણે છે. મારા માટે તુ તમામ વ્યાખ્યાઓ થી પર છે. તને ચોક્ક્સ ચોકઠામા બાધી રાખવાનુ મને ગમતુ નથી. તને બાંધી દેવાથી હુ પોતે બંધિયાર થઈ જઉ છુ.

મને નવાઈ લાગે ્છે કે લોકો તારાથી શા માટે કંટાળી જાય છે ? કંટાળવુ તો તારે જોઈએ, આ લોકોથી. તારો કેવો ઉપયોગ કરતા રહે છે તેઓ.. રોજ સવારે ઉંઘમાંથી ઉઠવાથી શરુ કરીને રાત્રે પથારીએમાં સૂતા સુધી  તેઓ ખાવાપીવા ને કમાવા સિવાય બીજું શું કરે છે ? છત્રપતિ શિવાજીની મહામૂલી તલવાર્નો ઉપયોગ ટીંડોરાનુ શાક સમારવા કરતા હોય તે રીતે ખર્ચી નાખે છે.

તારા માટે હું મારાથી શક્ય હોય એટલું બધુ કરીશ, શક્ય જ શુ કામ, મારાથી અશક્ય હોય તે કરવાનો પણ પ્રયત્ન કરીશ. એમાં એમાં સફળતા મળે કે નિષ્ફળતા. મારાથી જે અશક્ય હોય તે કરવાના પ્રયત્નો વડે જ હું શક્યતાની સીમાને ઓળંગીને મારો વ્યાપ વધારી શકીશ.

મારે તારાથી ભાગવુ નથી. તારાથી પલાયન થઈને હું ક્યાં જાઊં. મારે તારો સામનો પણ નથી કરવો. જેને ચાહતા હોઈએ એનો સામનો કરવાનો કે પછી તેની સાથે હળીમળીને ફહેવાનું હોય. મારે તારી ખૂબ નજીક રહેવુ છે. મારી બધી જ ખામીઓ, બધી જ નબળાઈઓ, બધી જ મજબૂરીઓ તું સ્પષ્ટ રીતે જોઈ શકે એટલી નજીક.

મને ખબર છે કે સ્વંય ભગાવાન શ્રી કૃષ્ણ સાથે હોય તોય યુધ્ધ લડવુ પડતુ હોય ્છે. મારે પ્ણ લડવુ પડશે. ટાળવુ નથી એને.  એટલી જ પ્રાર્થના કરવી છે કે એવા સમયે નાહિંમત થઈને , કાયર થઈને બેસ્સે ન પડુ. અર્જુનને સમજાવવા ભગવાન પાસે સમય જ સમય હતો., પૂરા અઢાર અધ્યાય જેટ્લો. મને સમજાવવા એ ક્યાથી આવે. મારા જેવા કરોડોને એણે સમજાવવાના છે. વળી, એ આવે તો અર્જુન માટે આવે. હું એવી પાત્રતા ક્યાથી લાવુ. મારે પોતે જ મને ગીતા સંભળાવવી પડશે.

અત્યાર સુધી ખૂબ માગતો રહ્યો છુ તારી પાસે. અને દર વખતે માગતા કરતાં અનેક્ગણુ મળતુ રહ્યુ છે. હવે કશુ જ માગવુ નથી, માત્ર આભાર માનવો છે. તુ જે આપ્યા કરે છે તે બદલ.

આ માણસ જાતનુ શુ થવા બેઠુ  છે એવુ બોલવાની ફેશન ચાલે છે. ભવિશ્ય સુવર્ણમય છે એવી આશા રાખવી બાલિશતાની નિશાની ગણાઈ જય એવો ડર છે.નિરાશાવાદીઓ જો મેચ્યર ગણાતા હોય તો મારે એવા પુખ્ત નથી બનવુ. મારે મારી મુગ્ધતા સા્ચવી રાખવી છે. તારા ભૂતકાળની ને વર્ત્માનની સમૃધ્ધિ જોઈને હું કેવી રીતે કહુ કે તારુ ભવિષ્ય કાળુ ડિબાંગ છે. લોકો કંઈપણ કહે, મને તારુ ભાવિ ઉજ્જ્વળ લાગે છે અને તારી સાથે જોડાયેલો છુ એટલે મારુ પણ.

તને કદાચ હશે, પણ મને તારા માટે કોઈ ફરિયાદ નથી. વીતેલા વર્ષોમા મે તને ખૂબ વેડફાઈ જવા દીધી એટલે તુ ફરિયાદ કરે એ સ્વાભિક છે. તને હક છે મને ઠપકો આપવાનો. પણ મારી કોઈ ફરિયાદ નથી. ફરિયાદ સિવાયનુ બીજુ ઘણુ કહેવાનુ છે મારે. એ કહેવા માટેનો જ સમય ઓછો પડ્શે તો ફરિયાદો કરવામાં શા માટે મારો સમય વાપરી નાખુ ?

શુ કહેવુ છે મારે ? ખાસ તો એ કહેવુ છે કે અમે તને આટલી વેડફી નાખી છતા તુ સૌનુ ભલુ જ કર્યા કરે એવી ઉદારતા તારામાં ક્યાથી આવી. તારામાં એવુ શુ છે કે ક્યારેક અમે પોતે અમારી જાતને અગ્નિકુંડમાં મુકાયેલા અનુભવીએ છીએ છતા તુ જીવવા જેવી લાગે છે. એવુ કયુ આકર્ષણ, એવુ કયુ ખેચાણ તારામાં છે જે અમને તારાથી દૂર જવા દેતુ નથી અને બીજુ કંઈ નહી પણ ખાસ મારે તને એ કહેવુ છે કે તુ તો મને જીવવા લાગે છે પણ તને હું શા માટે જિવાડવા જેવો લાગુ છુ.


બસ, આજે આટલુ જ. શેષ રુબરુ મળીએ ત્યારે. એ વખતે મારી આંખો મીંચાયેલી હ્શે એટલે મને ઓળખી કાઢ્વાની જવાબદારી તારી અને મારી ઓળખ એટલી કે એ ક્ષણે તે મને ઓઢેલી હશે .


એ જ લિખિતંગ,
તારા સાન્નિધ્યને ખૂબ નિક્ટતાથી,
પ્રસન્નતાથી માણી રહેલ હુ.

 
- સૌરભ શાહ ના પુસ્તક  "પ્રિય જિંદગી" માથી ...

Again......  Happy New Year .......... Have a beautiful Life  ...

Sunday, July 31, 2011

વર્તુળને ખૂણાઓ હોય ...


સંબંધોને બિલોરી કાચમાંથી જોવાની આદત હજી છૂટતી નથી,
વર્તુળને ખૂણાઓ હોયવાળી ભૂમિતિની સાબિતી ક્યારેય તૂટતી નથી.

મારા વગર તું ભલે
કૂપરમાં ડૉગ શો જોવા જઈ શકતી હોય,
ઈરોસના ઈંટરવલમાં કોન આઈસક્રીમ ખાઈ શકતી હોય,
સેટર્ડેએ સાંજે અમરસન્સમાં શૉપિંગ કરવા જઈ શકતી હોય.

અને તારા વગર હું ય ભલે
મહર્ષિ કરવે રોડ ઓળંગી શકતો હોઉં,
ઈરાનીમાં જ્યુક બૉક્સ સાંભળી શકતો હોઉં,
લૉટરીના રિઝલ્ટ ખરીદીને લૉટરી સહિત ફાડી શકતો હોઉં.

પણ જો તું હોત તો....
રસ્તો ઓળંગવાને બદલે સબ-વેમાં જવાનું મન થાત,
જ્યુક બૉક્સમાંથી સિક્કા નાખ્યા વગર કોઈ સૂર સંભળાયા કરત,
લૉટરી…. ???!!!

બસમાં તારી ટિકિટ કઢાવું અને તું ‘થેંક્યું’ કહે
થોડી મોડી આવે અને તું ‘સૉરી’ કહે,
વાતવાતમાં ‘પ્લીઝ’ ને વાતવાતમાં ‘વેલકમ’.
પણ મને ક્યારેય આ બધા શબ્દોનું વાક્ય બનાવીને
એનો અર્થ કાઢતા આવડ્યું નહીં.

લોકો તો માનતા કે આપણા સંબંધો તો બારમાસી છે -
પણ એ ભોળાઓને ક્યાં ખબર
કે
શિયાળામાં હું તને હથેળીની ઉષ્માની વાત કરતો હોઉં
ત્યારે તું એને તારી ઠંડી વાતોથી થીજવી દેતી હતી,
ઉનાળામાં આપણા સંબંધો ગુલમોર બનીને મોર્યા હોય
અને તારા મૌનને બારણે ઊભા ઊભા
એય થાકીને ખરી જતા હતા....

- સૌરભ શાહ