Showing posts with label ગુણવંત શાહ. Show all posts
Showing posts with label ગુણવંત શાહ. Show all posts

Saturday, April 6, 2013

સાર્ત્રનો અસ્તિત્વવાદ...

આમતો માણસને ઘણાબધા સાથે ઘણીબધી બાબતે ઝઘડા થાય છે. પણ હકીકતમાં તો માણસનો ખરો ઝઘડો તો એની પોતાની જાત સાથે હોય છે....

ભગવાન છે, એવું 
અમે નથી માનતા.
પણ અમને લાગે છે કે,
ખરો પ્રશ્ન એના અસ્તિત્વનો નથી;
ખરી જરુર
માણસ ફરીથી પોતાની જાતને શોધે એ છે.
ખરી જરુર તો છે
એ સમજવાની કે,
માણસને પોતાની જાતથી
ભગવાન છે એની
સાચી સાબિતી પણ બચાવી નહી શકે. 

- "સાર્ત્ર"

- ગુણવંત શાહના એક પુસ્તકમાંથી ...

Thursday, October 25, 2012

એક નવી વાનગીની રીત...

એક તદ્દ્ન નવી વાનગીની રીત આ પ્રમાણે છે.
સૌ પ્રથમ એક કિલો પ્રેમ લઈ એમાં બસો ગ્રામ સ્મિત ઉમેરો.
આથો થોડો ચડી રહે પછી એમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનુભુતિ તથા પા લીટર સચ્ચાઈ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો. પછી એમાં એટલા જ વજન જેટ્લો આનંદ રેડીને ઠીકઠીક સમય સુધી વૈરાગ્યના રેફ્રિજરેટરમાં મૂકી રાખો. થોડાક કલાક પછી યોગ્ય કદનાં ચકતાં પાડીને શત્રુઓ તથા મિત્રોમાં વહેંચવા માંડો. આવી સ્વાદિષ્ટ વાનગીનું નામ જીવન છે.

- ગુણવંત શાહ

Sunday, October 21, 2012

તારા ચહેરાની લગોલગ ...

 "બે માણસો જો વચને બંધાય,
લાગણીએ બંધાય, પ્રેમથી
બંધાય તો છેડાછેડી કે
કાયદા મારા માટે જરાય
અગત્યના નથી અને
દુનિયાની બધી છેડાછેડી કે
કાયદા, પ્રેમ વગર જીવતા
માણસોને એક છત નીચે
જીવવા માટે મજબૂર
કરી શકે .....
એક્સાથે શ્વાસ લેવા કે
ધબકવા માટે નહીં! " ......................


(છેડાછેડી= લગ્ન)

બુક - "તારા ચહેરાની લગોલગ" 
લેખિકા- કાજલ ઓઝા વૈધ


આવુ જ કંઈક ગુણવંત શાહ પણ કહે છે -

કોઈને આપણે ગમીએ છીએ એવી પ્રતીતિ આપણા જીવવા માટે પૂરતી છે.
આવુ અપ્રદુષિત "ગમવુ"
દુનિયાની તમામ અદાલતો એ ઘડેલા અને દંભી ધર્મગુરુઓએ ઠોકી બેસાડેલા
કાયદાઓ કરતા અનેક્ગણુ મહાન છે.
કોઈને ગમવાપાત્ર બનવુ એ પ્રત્યેક વ્યક્તિનો સ્નેહસિધ્ધ અધિકાર છે.

- ગુણવંત શાહ

Monday, September 24, 2012

તું મારી નજીક નહીં આવ...

"વિચારવાની કુટેવ છોડીને જીવવાનું રાખવું. સંસારમાં નજર નાખશો તો તરત સમજાઇ જશે કે જેઓ વિચારે છે તેઓ દુ:ખી છે. જેઓ નથી વિચારતા તેઓ ઘણી બધી ખટખટથી બચી જાય છે. " - ગુણવંત શાહ

અને જેઓ વિચારશીલ છે એમને નીચેની કવિતા સમજવામાં જરાય તકલીફ નહી પડે ...

તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને તારી બીક લાગે છે.
તું મારી ખૂબ નજીક નહીં આવ :
મને મારી બીક લાગે છે. 


ફરી પાછું એનું એ મળવું
છૂટા પડવું, મળવું :
એનું એ અમૃતચક્ર, વિષચક્ર,
ચક્ર, ચક્રાકાર ગતિ….
ફરી પાછી અપેક્ષા
ફરી પાછી ભરતી ને ઓટ
ચંદ્રનો ઉદય ને ક્ષય
ફરી પાછો ભય -
ખબર નથી કે ગીતનો લય
ક્યાં અને ક્યારે તૂટી જશે -


તું મારી નજીક નહીં આવ
ભલે આ ગીત અધૂરું રહે
ભલે આ ગીત વણગાયું રહે -

પણ હવે
ઉઝરડા સહન કરવાની
મારી કોઇ તાકાત નથી....


- સુરેશ દલાલ 

 Poem Reference : tahuko.com

Sunday, September 2, 2012

શ્રી ગુણવંત શાહ - કેટલાક અંશો ...

આજે શ્રી ગુણવંત શાહની "જાત ભણીની જાત્રા"માંથી કેટ્લાક અંશો -

જીવનના આખરી તબક્કે ટોલ્સટોયે લખ્યુ છે - "પ્રેમ એટ્લે શરીરને કારણે વિખુટા પડેલા બે આત્માનું મિલન."

"રાઈ નો પર્વત" નાટક્માં રમણભાઈ નિલકંઠ લખે છે -
જે શૌર્યમાં કોમલતા સમાઈ,
તેને જ સાચુ પુરુષત્વ માન્યું ...


કવિ ઉમાશંકર જોષી લખે છે -
પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે;
મળે મર્દને સ્ત્રીની ઉંચાઈ ત્યારે ...


મારી પાકી માન્યતા છે કે જે સમાજમાં સ્ત્રીઓનું શોષણ થતુ હોય એવા 'અસભ્ય' સમાજમાં પુરુષો કદી સુખી ના હોઈ શકે. સ્ત્રીઓનું ઢીંગલીકરણ કે ઓબ્જેકટીફીકેશન થાય તેવા પછાત સમાજમાં માનસિક રુગ્ણતા નોર્મલ બાબત બની રહે છે. મારુ માનવુ છે કે સ્ત્રીઓની પૂજા કરવાની જરુર નથી, જરુર છે એના પર્સનહૂડના સહજ સ્વીકારની.

જેઓ પાસે ભુલ કરવાની હિંમત નથી;
જેઓ પાસે ભુલ કબૂલ કરવાની તાકાત નથી;
જેઓ ચોમાસામાં પણ ભીના થવા તૈયાર નથી;
જેઓ શિયાળામાં પણ હુંફાળા નથી થઈ શકતા;
જેઓ ઉનાળામાં પણ શિતળતાનુ અભિવાદન નથી કરતા;
જેઓ ખાસ મિત્રને પણ દિલની વાતો નથી કરતા;
જેઓ શત્રુની એકાદ ખુબીને પણ બિરદાવી નથી શકતા;
જેમની આંખો ભીની થવાની ખો ભૂલી ગઈ છે;
જેઓ સુખને મમળાવવામાં કંજૂસાઈ કરે છે;
જેઓ દુખને છાતીએ વળગાડીને ફરતા રહે છે;
જેઓ એકપણ પુસ્તકના પ્રેમમાં નથી;
જેમણે જીવનમાં એક પણ વૃક્ષ ઉછેર્યુ નથી;
જેમણે એક્પણ મધુર સંબંધ ખીલવ્યો નથી;

એવા લોકો પીએચડી થયા હોય, તોય અભણ જાણવા.
તેઓ બે પગ પર ઉભા છે એ તો એક અકસ્માત છે! .......


- ગુણવંત શાહ

Tuesday, August 21, 2012

મૃગજળ... આર્ટિકલ + કવિતા

મૃગજળ અને માણસને બહુ જુનો સંબંધ છે. કેમકે ઈચ્છાઓ અને માણસનો સંબંધ જૂનો અને અતૂટ છે. એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે માણસ કેટલીક અધૂરી ઈચ્છાઓ અને કેટ્લાક  અધૂરા સપનાંઓ સાથે જ જીવતો હોય છે. જો કે એનું પણ એક રીઝન છે ....  કાલિકામાતાની પેલી એક પૌરાણિક કથામાં ખબર છે ને ! એક રાક્ષસનુ માથુ ધડથી અલગ કરે તો એના રક્તનુ ટીપું નીચે જમીન પર પડતા જ એમાથી દસ રાક્ષસ ઉભા થઈ જતા .... એમ એક ઈચ્છા પૂરી થાય ના થાય ત્યાં નવી દસ ઉભી થઈ જાય. શુ કરીએ ઈચ્છા છે, સપનાં છે તો જ જીવન છે ... ઈ્ચ્છા વગરનુ જીવન ભલા શક્ય ક્યા છે ? ... સંતો કહે છે કે ઈ્ચ્છાઓ છોડી દો કે એને કંટ્રોલમાં રાખો ... પણ "ઈચ્છાઓ છોડવાની "  કે એને કંટ્રોલ કરવાની ઈચ્છા એ પણ છેવટે એક ઈચ્છા જ થઈને ! ..... અને એ ના સંતોષાય એટલે એ "મૃગજળ" જેવી લાગવા માંડે .... ભ્રામક ....

રોજ મૃગજળ જોઇ જોઇ ભરમાય છે આંખો,
હવે વાત દરિયાની કરી છલકાય છે આંખો. 
ચાલતો રહ્યોછું તરસ્યો જીવનભર રણમાં,
દરિયો જો દેખાય તો વહેમાય છે આંખો......
- કલ્પેન્દુ વૈષ્ણવ

આપણને સતત લાગે છે કે આપણી
સાવ પ્રામાણિક લાગણીઓ બીજાઓ
નહીં સહી શકે. આમ બીજાઓને રાજી
રાખવા માટે આપણે અપ્રમાણિકતાને
સ્વીકારતાં રહીએ છીએ અને પછી 
છાવરતાં રહીએ છીએ. આપણાં 
સંબંધો આમ છીછરા ને છીછરાં થતાં 
જાય છે. હાથ ચાટવાથી પેટ ભરી 
શકાય, તો જ છીછરા સંબંધોથી હ્ર્દયને
ધરવ થઈ શકે. આપણું હ્ર્દય એકાદ 
સાચકલા અને સો ટચના સંબંધનું
તરસ્યું  હોય છે.  ભીતરની આ તરસ
અધૂરી રહી જાય છે અને જીવનભર 
આપણે ટાઢા લોખંડ પર હથોડા
વીંઝતા રહીએ છીએ. મૃગજળ પર 
ઘણાં કાવ્યો લખાયા તેનું રહસ્ય
આપણી સદાય અતૃપ્ત એવી તરસમાં
રહેલુ છે.

- ગુણવંત શાહ

અને છેલ્લે .... 

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.

આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.

સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.

અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?

કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.

પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.

- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,
સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી. 
વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

-  આદિલ મન્સૂરી

Monday, July 9, 2012

તું જ તારા કબીરને ઓળખ...


જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.


- હેમેન શાહ


ફ્રેન્ચ કવિ ફ્રાન્સિસ પોંગેનું પ્રવચન શરુ થાય એ પહેલાં સાવ વિચિત્ર ઘટના સભાખંડમાં બેઠેલા સુગ્ન શ્રોતાઓને જોવા મળેલી. કવિએ પોતાની આગળ ગોઠવાયેલા ટેબલને ભેટવાનું અને વહાલ કરવાનુ શરુ કર્યુ. શ્રોતાઓ એ ચાળાથી ભરે અચરજમાં પડી ગયા. તેમને થયું કે કવિનું મગજ ચસકી ગયુ લાગે છે. પછીની ક્ષણોમાં કવિએ ખુલાસો કર્યો અને કહ્યુ - " તમે સહુએ જોયુ કે હુ ટેબલને વ્હાલ કરુ છુ. કારણ જાણવુ છે ? આ ટેબલ એવુ કશુય નથી કરતુ કે પોતે ટેબલ નહી, પણ પિયાનો છે એવી છાપ પડે. " 


- ગુણવંત શાહ 

સાચી વાત છે. આપણે ભાગ્યે જ આપ્ણે જેવા હોઈએ એવા પ્રગટ થતા હોઈએ છીએ. બાકી તો શિષ્ટા્ચાર, સંસ્કૃતિ અને સંસ્કારના નામે અને એવા બીજા કંઈ કેટલાય કારણસર હોઈએ ભલે ટેબલ  પણ પિયાનો અને ખબર નહી શુ શુ બની ને ફરવુ પડે છે, જો કે અહી એક વાત એ પણ છે કે ટેબલને સમાજ નથી હોતો, એની આસપાસ એના જેવા સેંકડો ટેબલ નથી હોતા. એને બીજા પંચાતિયા ટેબલ હેરાન નથી કરતા હોતા. કોઈ ટેબલ બીજા ટેબલની લાઈફ માં ઈન્ટરફીઅર નથી કરતુ ... કેમકે ટેબલ ને ઈમોશન્સ નથી હોતી. એટલે જ ટેબલ હંમેશા ટેબલ રહી શકે છે. પણ માણસ ક્યારેય એક જેવો નથી રહી શકતો કેમ કે એ લાઈવ હોય છે, એની આસપાસ એના જેવા સંકડો માણસ હોય છે, સવાલો હોય છે, પંચાતો હોય છે, દુખ હોય છે, શોક હોય છે અને શોખ હોય છે, સુખ હોય છે, ઈર્શા હોય છે .... અને બહુ બધુ હોય છે ... જે માણસને ખાલી માણસ નથી રહેવા દેતો. પણ આ બધામાં જીવનમાં કેટલીક જગ્યાઓ અને કેટલોક સમય એવો રાખવો જોઈએ માણસે જ્યાં એ માત્ર અને માત્ર એના માણસ તરીકે ના અસ્તિત્વ સાથે પ્રગટ થઈ શકે. ત્યાં એણે પિયાનો બનવાની જરુર ના પડે. અને એવી ક્ષનો આપણે જાતે આપણી લાઈફમાં શોધવાની/ઉભી કરવાને હોય છે. અને એવી ક્ષણોને વધારવાની પણ હોય છે.


અને છેલ્લે,

ધન વિના મોજશોખ માણે છે, કોઈ એવા અમીરને ઓળખ,
તું જ આસન લગાવ અંતરમાં, તું જ તારા કબીરને ઓળખ.


- હરજીવન દાફડા

Friday, June 8, 2012

તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં ...



ભગવાન બુધ્ધ યશોધરા સાથે વાતો કરી રહ્યા હતા.
યશોધરા પણ દીક્ષા  લીધા પછી ભિક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ચૂકી હતી.
કોઈક વિરલ પળે એણે બુધ્ધને પ્રશ્ન પૂછ્યો - "ભગવન! તમારી સાધનાના
વર્ષો દરમિયાન હું તમને ક્યારેક યાદ આવતી ખરી ?"

બુધ્ધે સ્મિત વેરીને નિખાલસપણે કહ્યુ - "હા, તું મને યાદ આવતી હતી. સરોવર
પર પૂર્ણિમાની રાત્રે ચંદ્રનાં કિરણો પરિવર્તન પામે, અને જે ચળકતો પટ સર્જાય
તેની વચ્ચેથી પસાર થતી સફેદ સઢવાળી નૌકાની માફક તુ તે વખતે મારા ચિત્તમાંથી
પસાર થઈ જતી હતી."

નિખાલસ હોવા જેટ્લી ધાર્મિક ઘટના બીજી જડવી મુશ્કેલ છે. નહી છુપાવવા જેવી વાતો
છુપાવવામાં માણસનું આયખુ ખતમ થઈ જાય છે. પરણવુ એટલે શુ તે સમજ્યા વગર
માણસ લગ્ન કરી પાડે છે. માતાપિતા થવુ એટલે શુ તે સમજ્યા વગર જ સંતાનો પેદા
કરે છે અને જીવન એટલે શુ તે સમજ્યા વગર જ મૃત્યુ પામે છે. થોરો કહે છે તેમ માણસ
ઈરાદાપૂર્વક જીવવાનું ચૂકી જાય છે.

- ગુણવંત શાહ.

અને છેલ્લે,

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં

- શોભિત દેસાઇ

Wednesday, October 19, 2011

પ્રેમ + વ્હાલમની વાતો ...

"બે મળેલા જીવ વચ્ચે લય ન પ્રગટે તો માનવુ કે બે વચ્ચે જે ઝંકૃતિ પ્રગટી તે પ્રેમ નહી, પણ પ્રેમ નો ભ્રમ હતો..
પ્રેમનો ભ્રમ પણ ખાસ્સો સુખદાયી જણાય છે. જો પ્રેમ નો ભ્રમ આટલો સુખદાયી હોઈ શકે તો, સાચુકલો પ્રેમ કેટ્લો આનંદપ્રદ હશે!

પાલવ અડક્યાનો વ્હેમ પણ હ્ર્દયંગમ હોય છે કારણ કે, કશુક અલૌકિક પામવાની શક્યતાનો કોમળ ઈશારો એમા રહેલો હોય છે.
પ્રત્યેક માણસને જીવન મા આવી રોમાચક પળ પ્રાપ્ત થવી જ જોઈએ.
આવો કોમળ ઈશારો જ્યાં તાણી જાય ત્યાં વહી જવુ એ જો ગુનો હોય તો તે સૌએ કરવા યોગ્ય એવો કાવ્યમય, મધુમય અને પ્રભુમય ગુનો છે..."

- ગુણવંત શાહ

આવો કાવ્યમય, મધુમય અને પ્રભુમય ગુનો થઈ જાય અર્થાત અચાનક જો કોઈ ગમવા લાગે તો હાલત કદાચ નીચેના કાવ્યમાં જણાવી છે એવી જ થતી હશે ..... ન કહેવાય ન સહેવાય .... વ્હાલમ સાથે થયેલી વાતો કોઈને કહી ના શકાય ને એને કોઈને કહ્યા વગર રહી ના શકાય ... એ જ તો હોય છે પ્રેમ નો જાદુ ....

વ્હાલમની વાતો કાંઇ વ્હેતી કરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા,

ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી,

પાગલની પ્રીત કંઇ અમથી હરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું ?

ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

- ભાસ્કર વોરા

Thursday, July 21, 2011

"સંબંધ " ... - શ્રી ગુણવંત શાહ

મૂળ છું હું મૂળથી સંબંધ છે
મારે ચપટી ધૂળથી સંબંધ છે 

અગ્નિ, જળ, વાયુ અને આકાશનો
માનવીના કૂળથી સંબંધ છે...

"સંબંધ " ...આ ખાલી એક અઘરો શબ્દ જ નથી પણ પ્રેક્ટીકલી પણ બહુ કોમ્પ્લીકેટેડ વસ્તુ છે ... કેમ કે લાઈફમાં કેટલાક સંબંધો સમજમા જ નથી આવતા ..... જો કે એની પાછળ એક કારણ છે કે આપણે દરેક સંબંધને નામથી જ જોવા ટેવાયેલા છીએ ... શુ કરીએ સામાજિક પ્રાણી છીએ , એટલે સામાજિક આદતો ની અસરથી મુક્ત તો કેવી રીતે રહી શકાય ? .... છતાં આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના લોકો જીવનમા આવા નામ વગરના નિખાલસ સંબંધો હંમેશા ઝંખતા હોય છે .... ઓ હલો ! અહી કોઈ ફેસબુક પર હાઈ / હલો કરીને બંધાઈ જતા સંબંધની વાત નથી થઈ રહી ..... આ તો વાત થઈ રહી છે એકદમ સહજતાથી બંધાઈ જતા, ક્યારેક તો બિલકુલ એક શબ્દની પણ આપ-લે થયા વગર ખાલી એક સ્મિત ની આપ-લે પુરતા બંધાઈ જતા અને ક્યારેક સાવ સામાન્ય વાતચીત થી શરુ થઈને ગાઢ લાગણીમા ફેરવાઈ જતા સંબંધની વાત થાય છે ..... જેટલા રંગના ફૂલો છે દુનિયામાં સંબંધો પણ કદાચ એટલા જ અવનવા અને અનોખા હોય છે .......

ક્યારેક તો થાય છે કે જે લોકો આપણા જીવનમાં આવતા હોય છે પછી એ દોસ્ત હોય કે દુશ્મન ... શુ એમને આપણે ક્યારેય ઝંખ્યા હશે પૂર્વે ? કુદરતનુ કયુ લોજીક કામ કરે છે એમા એ સમજાતુ જ નથી .... કયારેક આપણી જ ગલીના છેલ્લા મકાનમા રહેતા કે આપણા જ એરિયામા વસતા માણસ વર્ષો સુધી આપણા પરિચયમા પણ ના આવે .... ને ક્યારેક દુનિયાના  કોઈ સામા છેડે વસનાર માણસ આપણા જીવનો ખાસ ભાગ બની જાય ............ મિરેકલ નથી આ તો શુ છે ? એની વેયસ , ..... 
મારી જેમ લેખક શ્રી ગુણવંત શાહ પણ સંબંધોની અવનવી રીતો પર કદાચ મારા જેટલા  જ વિસ્મિત છે ....
જુઓ ......

માનવસંબંધોની ભાત નિરખવા જેવી અને પરખવા જેવી  છે.

કેટલાક સંબંધો ગુલમહોરિયા કે પછી ગરમાળિય જેવા હોય છે,
ભરઉનાળે આંખને ઠંડક અને જીવનને રંગદીક્ષા આપે તેવા.

કેટલાક સંબંધો બોગનવેલિયા હોય છે; સુગંધ નહી પણ શોભા વધારનારા.

કેટલાક સંબંધો બાવળિયા હોય છે; ઉપયોગી તોય કાંટાળા.

કેટલાક સંબંધો વડલાની શીળી છાયા જેવા ઉપકારક,
તો કેટલાક લીમડા જેવા ગુણકારી.

કેટલાક સંબંધો વસંતમાં ખીલેલી આમ્રમંજરી જેવા, 
તો કેટ્લાક પારિજાત જેવા સુવાસયુક્ત હોય છે. 

કેટલાક સંબંધો ગુલાબી તો કેટ્લાક મોગરાની મહેક જેવા હોય છે.

કેટલાક સંબંધો ' ઓફિસ ફ્લાવર્સ ' જેવા હોય છે,
સવારે ખીલે ને સાંજે બિડાઈ જાય ..............
 

- શ્રી ગુણવંત શાહ

અને છેલ્લે ...

ગૂંચ પણ એકે કદીયે હું ઉકેલી ના શક્યો,
હસ્તરેખાથી જટિલ બનતા ગયા સંબંધ સૌ.

જિંદગીના હાથને શેની બિમારી થઈ ગઈ ?
આંગળી માફક સતત ખરતા રહ્યા સંબંધ સૌ. ....

-વિવેક મનહર ટેલર


ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ ....

- જવાહર બક્ષી

Sunday, June 12, 2011

કેટલાક માણસો ...Article

સૌ સમયના વહેણમાં વહેતાં રહે છે એ રીતે
જેમ નદીઓને સતત વહેવું પડે છે ઢાળમાં ! ....
- ભરત વિંઝુડા
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો......

-રતિલાલ ‘અનિલ’


કેટલાક માણસો સાવ સુક્કા ઘાસ જેવા હોય  છે.
તેઓ ભારામા બંધાઇ શકે છે, ભેસનો આહાર બની શકે છે,
અને ઝટઝટ બળી શકે છે, પરંતુ ખીલી શક્તા નથી.
ગમાણમા પડેલા સુક્કા ઘાસને ભારે નિરાત હોય છે, ન ખીલવાની નિરાત !

ધ્રુવ પ્રદેશ ના થીજી ગયેલા બરફ ને નિરાત હોય છે.
એ વહી જવાની ઉપાધીથી મુકત હોય છે.

ખાબોચિયુ સુકાઈ શકે છે પણ વહી નથી શકતુ.
ઝરણુ સદાય વહેવાની ધુન મા હોય છે.
પ્થ્થરો સાથે અથડાતા રહી ને એ વ્હેવાનુ ચાલુ રાખે છે.
પ્રત્યેક પગથિયે પહાડી ઝરણુ પોતાની જાત ને જોખમમા મૂકતુ રહે છે.
એના આવા સાહ્સ માથી જ સંગીત પેદા થતુ હોય  છે.
આ વિશ્વમા જ્યા અને જ્યારે કશાક પ્રકારનો સંઘર્ષ 
લયબધ્ધ બને ત્યારે જ 
સંગીતનુ નિર્માણ થતુ હોય છે.
સંગીત એટ્લે  સંઘર્ષનો મોક્ષ...
ખાબોચિયા અને ઝરણા વચ્ચે જીવતી માણસજાત 
સતત કોને અનુસરવુ તેની વિમાસણમા જ જિદગી પૂરી કરતી આવી છે.
ખાબોચિયાની સલામતી એટ્લે મ્રુત્યુ પહેલા જ મરી જ્વાની જડ્બેસલાક, બંધિયાર અને ગંદી વ્યવસ્થા.

ઝરણાની બિનસલામતી એટ્લે જિવાય ત્યા સુધી જીવી જ્વાની મંગલમય અવ્યવસ્થા.


- by ગુણવંત શાહ

અને છેલ્લે ....

પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
શોધ, ભાષI તું પ્રથમ શબ્દો વગરની....
- રમેશ પારેખ
 

Tuesday, March 1, 2011

ખરા છો તમે .... + Small Article

પુરુષની વ્યાખ્યા શી?

સ્ત્રીને સમજે એ જ ખરો પુરુષ.
સ્ત્રીના ભોળપણનો ગેરલાભ લેનારો પુરુષ સાચો પુરુષ નથી. સમર્પિત સ્ત્રીને રંજાડ્વી એ પાપ છે. એને વહાલ કરવામા કંજૂસાઈ કરવી એ મહાપાપ છે. એના માધુર્યની મશ્કરી કરવી એ ક્રૂરતા છે.
 

સ્ત્રીની વ્યાખ્યા શી ?

પુરુષને સમજે એ ખરી સ્ત્રી.
જીવન સાથી પર પૂરતો પ્રેમ ન ઢોળવો એ પણ એક પ્રકારની ચારિત્ર્યહીનતા જ ગણાય.પોતાના પર લટ્ટુ હોય એવા પુરુષ પર આફરીન થવામા કંજૂસાઈ કરવી એ પાપ છે અને એની લાગણીને અવગણવી એ મહાપાપ છે.સમર્પણ હોય ત્યારે જ રિસામણુ શોભે છે. રિસામણુ રાધાનુ શોભે, કૈકેયીનુ નહી.
 

- ગુણવંત શાહ

આવા જ રિસામણા-મનામણા ને મિલન-જુદાઈ પર બે ગઝલ ... 

रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ…
आ फीर से मुजे़ छोड़ के जाने के लिये आ…
किस-किस को बतायेंगे जुदाई का सबब हम
तु मुज़से ख़फा है तो ज़माने के लिये आ…
- एहमद फराज़

દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા
એ જ મળવાને મને આવ્યા હશે
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે ?
*******  *******  *******
ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.......

- કૈલાસ પંડિત 

If you want to hear this nice Gujarati Gazal just click here -  http://tahuko.com/?p=1279