Showing posts with label માધવ રામાનુજ. Show all posts
Showing posts with label માધવ રામાનુજ. Show all posts

Friday, October 12, 2012

આપણી વચ્ચે આવાજોની કોઈ ભીંત હશે..

નજર એમને જોવા માગે તો આંખની શુ ભુલ!
દર વખત સુગંધ એમની આવે તો શ્વાસની શુ ભુલ!
સપના ક્યારેય પૂછીને નથી આવતા,
પણ સપના એમના આવે તો રાતની શુ ભુલ!...

પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાં નો ભાસ.

રાત દિનો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારાનું વન અડાબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.

ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આ
વાજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ....

- માધવ રામાનુજ