Wednesday, April 6, 2011

વાણી અને મૌન ...

 આજે એક સાથે કવિ શ્રી સુરેશ દલાલની બે કવિતા ...

દરિયાને તળિયે મેં દાટી છે વાણી
ને પર્વતની ટોચ ઉપર વાવ્યું છે મૌન :

રસ્તા પર ઊખડેલા ઝાડને જુ ઓ :
તો એમાં હશે ક્યાંક મારો સંબંધ.
ઘાસના ગાલીચા પર લેટ્યા પતંગિયાને
ચગદીને ચાલો એ કોનો છે પંથ ?
પૂછો નહી મને કોનો છુ હુ ?
ને પૂછો  નહી   કે   મારુ છે કોણ ?

તુલસીના પાન જેવી લાગણીને થૂંકી
કોઈ બાજારુ પાન મૂકે હોઠ્માં,
ભરતી મેં જોઈ નથી :  વાત કેવળ સાંભળી છે :
પણ હૈયુ તણાઈ રહ્યુ ઓટમાં
મારી તે આસ્થાને કેવો આઘાત
કે જુઠ્ઠાણે પ્રાણ જાય એવો હું દ્રૌણ.

આપણે .......

કાળને ક્યાંક આપણે નડ્યાં
આપણે છૂટા પડ્યા તે પડ્યા

હવે સ્મૃતિ તો વલખી વલખી

             લખી લખી ને થાકી
વ્યથા આપણી કથા આપણી
             કાળ નજર કરડાકી
આપસ આપસમાં  નહી લડ્યાં
તોય આપણે -
            - છૂટાં પડ્યાં તે પડ્યાં

આપણી વચ્ચે અગર કૈંક બન્યું હોત

                   તો પણ સારુ થાતે
એક્મેકને વગોવવામાં કાંઈ નહીં તો
                   સમય આપણો જાતે
આંખમાં દરિયો લઈને રડ્યા
કાળને ક્યાંક આપણે નડ્યાં.....

- સુરેશ દલાલ

No comments:

Post a Comment