Thursday, January 27, 2011

હું એટલુ શીખ્યો છુ ...કે..

 કે ... તમે મારો દિવસ સુધારી દીધો - એવુ મને કહેનાર હકીકત મા મારો દિવસ સુધારી દે છે.

 કે ... દયાળુ અને માયાળુ બનવું તે .. ખરા બનવા કરતા વધારે સારું છે.

 કે ... કોઈને મદદ કરવાની શકિત મારામા ન હોય તો ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરુર કરવી જોઈએ.

 કે ... આપણુ પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનુ શિખવાડે પણ આપણી પાસે એવા બે-ચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળ-ટપ્પા મારી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.

કે ... દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય જ છે જે પ્રેમ અને લાગણી ઝંખે છે.

કે ... કોઈપણ વ્યક્તિ પૂર્ણ નથી સિવાય કે જેની સાથે તમે પ્રેમમાં પડો.

કે ... જેને મળીએ તેને બની શકે તો એક સ્મિતની ભેટ આપવી જ જોઈએ.

કે ... તમે જો હ્રદયમાં કટુતા-કડવાશ ને આશરો આપશે તો ખુશાલી ક્યાક બીજે રહેવા જતી રહેશે ! કેમકે એમને અંદરોઅંદર બનતુ નથી.

કે ... સારા મિત્રો અદભુત ખજાના જેવો હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે., તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી વાતો (ઘણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ રસથી સાંભળે છે, તમારી નિસ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હ્રદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે.

કે ... આપણી જિંદગીમા કંઈ કેટલાય આવતા જતા રહે છે. પરંતુ હ્રદયમાં પોતાના પદચિહ્નો તો સાચા મિત્રો જ છોડી જતા હોય છે.

- from "મોતીચારો" - ડો. આઈ. કે . વિજળીવાળા

No comments:

Post a Comment